જિલ્લાની 391 કોરોના હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટેની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી
PGVCL ની 291 ડિપાર્ટમેન્ટલ અને 294 કોન્ટ્રાકટરની ટીમ તૈનાત
વિજવિક્ષેપ અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર
WatchGujarat. હવામાન વિભાગ દ્વારા તૌકતે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જે સંદર્ભે તંત્ર સતર્ક થયું છે. અને કોરોના કાળ વચ્ચે વાવાઝોડાની આગાહીને લઈને સઘન તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે ઊર્જા પ્રધાન સૌરભ પટેલ ખાસ રાજકોટ આવી પહોંચ્યા હતા. અહીં તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં જિલ્લાની 391 કોરોના હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટેની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
https://youtu.be/SGBgWh4TJr4
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 41 જેટલા ઑક્સિજન પ્લાન્ટમાં વીજ વિક્ષેપ ઊભો ન થાય તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમજ PGVCL ની 291 ડિપાર્ટમેન્ટલ અને 294 કોન્ટ્રાકટરની ટીમ તૈનાત છે. આ ઉપરાંત વેરાવળ, સોમનાથ, ઉનાં, મહુવા, દ્વારકા, ખંભાળિયા, નલિયા, ગાંધીધામ અને મુન્દ્રા ખાતે રો મટીરીયલ પહોંચાડવામાં આવી રહ્યું છે. જેમાં 1 લાખ થાંભલા, 25,000કિમી કંડકટર, 20,000 ટ્રાન્સફોર્મર, 400 કિમી LT કેબલ, તેમજ જરૂરી ફેબ્રીકેશન વસ્તુ મોકલવાનું શરૂ કરાયું છે.
જેટકો દ્વારા વિજવિક્ષેપ અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે ખાસ સાયકલોન કમિટીની રચના કરવામાં આવી છે. તો વીજલાઈન માટે મટીરીયલની તૈયારી કરવામાં આવી છે. પાણી ભરાતા સબ સ્ટેશનોમાં વોટર પંપ તૈયાર રાખવામાં આવ્યા છે. વીજવિક્ષેપ અટકાવવા ટ્રાન્સફોર્મરનાં વોટર પ્રૂફિંગની કામગીરી કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં ખાસ બે ફીડરમાંથી પાવર આપવામાં આવશે. આ માટે ડીજી સેટ લગાવવામાં આવી રહ્યો છે, આજ સાંજ સુધીમાં તે પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે તેમજ ઊર્જામંત્રી જાતે PGVCL કંટ્રોલરૂમનું મોનિટરિંગ કરશે.
જિલ્લાની 391 કોરોના હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટેની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી
PGVCL ની 291 ડિપાર્ટમેન્ટલ અને 294 કોન્ટ્રાકટરની ટીમ તૈનાત
વિજવિક્ષેપ અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર
WatchGujarat. હવામાન વિભાગ દ્વારા તૌકતે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જે સંદર્ભે તંત્ર સતર્ક થયું છે. અને કોરોના કાળ વચ્ચે વાવાઝોડાની આગાહીને લઈને સઘન તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે ઊર્જા પ્રધાન સૌરભ પટેલ ખાસ રાજકોટ આવી પહોંચ્યા હતા. અહીં તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં જિલ્લાની 391 કોરોના હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટેની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 41 જેટલા ઑક્સિજન પ્લાન્ટમાં વીજ વિક્ષેપ ઊભો ન થાય તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમજ PGVCL ની 291 ડિપાર્ટમેન્ટલ અને 294 કોન્ટ્રાકટરની ટીમ તૈનાત છે. આ ઉપરાંત વેરાવળ, સોમનાથ, ઉનાં, મહુવા, દ્વારકા, ખંભાળિયા, નલિયા, ગાંધીધામ અને મુન્દ્રા ખાતે રો મટીરીયલ પહોંચાડવામાં આવી રહ્યું છે. જેમાં 1 લાખ થાંભલા, 25,000કિમી કંડકટર, 20,000 ટ્રાન્સફોર્મર, 400 કિમી LT કેબલ, તેમજ જરૂરી ફેબ્રીકેશન વસ્તુ મોકલવાનું શરૂ કરાયું છે.
જેટકો દ્વારા વિજવિક્ષેપ અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે ખાસ સાયકલોન કમિટીની રચના કરવામાં આવી છે. તો વીજલાઈન માટે મટીરીયલની તૈયારી કરવામાં આવી છે. પાણી ભરાતા સબ સ્ટેશનોમાં વોટર પંપ તૈયાર રાખવામાં આવ્યા છે. વીજવિક્ષેપ અટકાવવા ટ્રાન્સફોર્મરનાં વોટર પ્રૂફિંગની કામગીરી કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં ખાસ બે ફીડરમાંથી પાવર આપવામાં આવશે. આ માટે ડીજી સેટ લગાવવામાં આવી રહ્યો છે, આજ સાંજ સુધીમાં તે પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે તેમજ ઊર્જામંત્રી જાતે PGVCL કંટ્રોલરૂમનું મોનિટરિંગ કરશે.