સરકારી આંકડા અનુસાર છેલ્લાં 24 કલાકમાં રાજકોટમાં 301 કેસ અને 2 મોત.
કુવાડવા ગામની દશાથી વ્યથિત સરપંચ કહે છે કે “10 દિવસમાં 40 લોકો તરફડી મર્યા”
Watch Gujarat. કોરોના સંક્રમણ રોજેરોજ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આંકડા સંતાડવાની રમત ચાલતી હોવાની બૂમરાણ વચ્ચે છેલ્લાં 24 કલાકના કોરોના દર્દી અંગેના સરકારી આંકડા અનુસાર 301 નવા સામે આવ્યા છે તો કોરોનાની સારવાર દરમિયાન 62 દર્દીઓના મોત નિપજ્યાં છે. બેડથી માંડી ઓક્સિજનની અછતની સમસ્યા વચ્ચે દર્દીને દવા ચડાવવાના બોટલના સ્ટેન્ડની પણ અછત હોય તેવો ચિતાર આપતો જુગાડનો વિડીયો વાઈરલ થયો છે. કાર પર ખુરશી મુકીને બોટલનું સ્ટેન્ડ બનાવી પરિવારજનોએ સ્વજનને બચાવવા માટે આ જુગાડ કર્યો હતો.
https://youtu.be/n6sZy2ydpXk
કોરોના કાળમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ હાલ હાઉસફૂલ થઈ જવા પામી છે. એક તરફ, ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં એમ્બ્યુલન્સ સહિતના વાહનોની લાંબી કતારો જોવા મળે છે ત્યારે બીજી તરફ એમ્બ્યુલન્સ નહીં મળતી હોવાને કારણે દર્દીઓને ખાનગી વાહનમાં લાવવામાં આવી રહ્યાં છે. કોરોના દર્દીઓને યોગ્ય સારવાર પૂરી પડી રહે તેવી વ્યવસ્થા કરવામાં તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે ત્યારે લોકો સ્વજનને બચાવવા માટે જુગાડ કરી રહ્યાં છે.
કોરોના દર્દીને દવા ચડાવવા માટેનાં બોટલનું સ્ટેન્ડ નહીં મળવાને કારણે પરિવારજનોએ કાર પર ખુરશી મુકીને હંગામી ધોરણે બોટલ સ્ટેન્ડ બનાવી દીધું હતું. દર્દીને આ રીતે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોવા અંગેનો વિડીયો ભારે વાઈરલ થયો છે. બેડ, ઓક્સિજન, મેડિકલ સાધનો સહિતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ હોવા અંગેના તંત્રના દાવા પોકળ હોવાનો ચિતાર આ વિડીયો પૂરો પાડી રહ્યો છે.
સરકારી આંકડા અનુસાર તા. 23ના સવારનાં 8 વાગ્યાથી તા. 24મીનાં સવારના 8 વાગ્યા સુધીમાં શહેર – જિલ્લામાં કોરોના સારવાર દરમિયાન 62 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે બપોર સુધીમાં વધુ 301 નવા પોઝિટીવ કેસ નોંધાતાં કુલ કોરોના પોઝિટીવ આંક 30,167 પર પહોંચ્યો છે. જે પૈકી 24,570ને ડિસ્ચાર્જ કરાયાં હોવાથી રિકવરી રેટ 82.86% નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં થયેલાં કુલ 9.28 લાખ ટેસ્ટ અનુસાર પોઝિટીવીટી રેટ 3.22% નોંધાયો છે. શહેર – જિલ્લાની સરકારી – ખાનગી હોસ્પિટલ્સમાં 170 બેડ ખાલી હોવાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે.
રાજકોટ શહેર – જિલ્લાના ગામડાઓની સ્થિતિ પણ અત્યંત કફોડી બની રહી છે. કુવાડવા ગામના સરપંચ સંજયભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે, શહેરમાં થતી બૂમાબૂમ સૌને સંભળાય છે પરંતુ ગામડાનો પોકાર તંત્ર સાંભળતું નથી. કુવાડવા ગામમાં વર્ષે 12 જેટલાં મોત નોંધાતા હતાં. પરંતુ હાલ પરિસ્થિતિ અત્યંત વિકટ બની જવા પામી છે. દરેક શેરીઓમાં સ્વજન ગુમાવ્યાનું આક્રંદ સંભળાય છે. 8થી 10 હજારની વસ્તી ધરાવતાં ગામમાં આજે એક જ દિવસમાં 8 મોત નિપજ્યાં છે. છેલ્લાં 10 દિવસમાં 40 જેટલાં ગ્રામવાસીઓને કોરોના ભરખી ગયો છે. નેતાઓ – અધિકારીઓ માત્ર ઠાલી વાતો કરે છે પણ ગ્રામજનોની વહારે કોઈ આવતું નથી. મારી આંખ સામે ઓક્સિજન વિના તરફડીને કેટલાંક લોકો મોત પામ્યા છે. તંત્ર દ્વારા ગ્રામજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં તાત્કાલિક જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે.
સરકારી આંકડા અનુસાર છેલ્લાં 24 કલાકમાં રાજકોટમાં 301 કેસ અને 2 મોત.
કુવાડવા ગામની દશાથી વ્યથિત સરપંચ કહે છે કે “10 દિવસમાં 40 લોકો તરફડી મર્યા”
Watch Gujarat. કોરોના સંક્રમણ રોજેરોજ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આંકડા સંતાડવાની રમત ચાલતી હોવાની બૂમરાણ વચ્ચે છેલ્લાં 24 કલાકના કોરોના દર્દી અંગેના સરકારી આંકડા અનુસાર 301 નવા સામે આવ્યા છે તો કોરોનાની સારવાર દરમિયાન 62 દર્દીઓના મોત નિપજ્યાં છે. બેડથી માંડી ઓક્સિજનની અછતની સમસ્યા વચ્ચે દર્દીને દવા ચડાવવાના બોટલના સ્ટેન્ડની પણ અછત હોય તેવો ચિતાર આપતો જુગાડનો વિડીયો વાઈરલ થયો છે. કાર પર ખુરશી મુકીને બોટલનું સ્ટેન્ડ બનાવી પરિવારજનોએ સ્વજનને બચાવવા માટે આ જુગાડ કર્યો હતો.
કોરોના કાળમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ હાલ હાઉસફૂલ થઈ જવા પામી છે. એક તરફ, ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં એમ્બ્યુલન્સ સહિતના વાહનોની લાંબી કતારો જોવા મળે છે ત્યારે બીજી તરફ એમ્બ્યુલન્સ નહીં મળતી હોવાને કારણે દર્દીઓને ખાનગી વાહનમાં લાવવામાં આવી રહ્યાં છે. કોરોના દર્દીઓને યોગ્ય સારવાર પૂરી પડી રહે તેવી વ્યવસ્થા કરવામાં તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે ત્યારે લોકો સ્વજનને બચાવવા માટે જુગાડ કરી રહ્યાં છે.
કોરોના દર્દીને દવા ચડાવવા માટેનાં બોટલનું સ્ટેન્ડ નહીં મળવાને કારણે પરિવારજનોએ કાર પર ખુરશી મુકીને હંગામી ધોરણે બોટલ સ્ટેન્ડ બનાવી દીધું હતું. દર્દીને આ રીતે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોવા અંગેનો વિડીયો ભારે વાઈરલ થયો છે. બેડ, ઓક્સિજન, મેડિકલ સાધનો સહિતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ હોવા અંગેના તંત્રના દાવા પોકળ હોવાનો ચિતાર આ વિડીયો પૂરો પાડી રહ્યો છે.
સરકારી આંકડા અનુસાર તા. 23ના સવારનાં 8 વાગ્યાથી તા. 24મીનાં સવારના 8 વાગ્યા સુધીમાં શહેર – જિલ્લામાં કોરોના સારવાર દરમિયાન 62 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે બપોર સુધીમાં વધુ 301 નવા પોઝિટીવ કેસ નોંધાતાં કુલ કોરોના પોઝિટીવ આંક 30,167 પર પહોંચ્યો છે. જે પૈકી 24,570ને ડિસ્ચાર્જ કરાયાં હોવાથી રિકવરી રેટ 82.86% નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં થયેલાં કુલ 9.28 લાખ ટેસ્ટ અનુસાર પોઝિટીવીટી રેટ 3.22% નોંધાયો છે. શહેર – જિલ્લાની સરકારી – ખાનગી હોસ્પિટલ્સમાં 170 બેડ ખાલી હોવાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે.
રાજકોટ શહેર – જિલ્લાના ગામડાઓની સ્થિતિ પણ અત્યંત કફોડી બની રહી છે. કુવાડવા ગામના સરપંચ સંજયભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે, શહેરમાં થતી બૂમાબૂમ સૌને સંભળાય છે પરંતુ ગામડાનો પોકાર તંત્ર સાંભળતું નથી. કુવાડવા ગામમાં વર્ષે 12 જેટલાં મોત નોંધાતા હતાં. પરંતુ હાલ પરિસ્થિતિ અત્યંત વિકટ બની જવા પામી છે. દરેક શેરીઓમાં સ્વજન ગુમાવ્યાનું આક્રંદ સંભળાય છે. 8થી 10 હજારની વસ્તી ધરાવતાં ગામમાં આજે એક જ દિવસમાં 8 મોત નિપજ્યાં છે. છેલ્લાં 10 દિવસમાં 40 જેટલાં ગ્રામવાસીઓને કોરોના ભરખી ગયો છે. નેતાઓ – અધિકારીઓ માત્ર ઠાલી વાતો કરે છે પણ ગ્રામજનોની વહારે કોઈ આવતું નથી. મારી આંખ સામે ઓક્સિજન વિના તરફડીને કેટલાંક લોકો મોત પામ્યા છે. તંત્ર દ્વારા ગ્રામજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં તાત્કાલિક જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે.