મહામારીમાં સિવિલ હોસ્પિટલની બાયોકેમેસ્ટ્રી અને પેથોલોજી લેબના તબીબ નોડલ ઓફિસર અને ટેકનિકશીયનો રાતદિવસ કામગીરી કરે છે
લેબમાં દર્દીના ચાલીસથી વધુ પ્રકારના લોહીના રિપોર્ટ કરવામાં આવે છે – નોડલ ઓફિસર ડો. જીગ્નેશ ગોરસીયા
રોજના 350 થી 400 સીબીસી અને આશરે 100 જેટલા પીટી/એપીટીટીના કોગ્યુલેશનના રિપોર્ટ થાય – ડો.શિલ્પા ગાંધી
બ્લડ બેન્કમાં રોજની સાતથી આઠ પ્લાઝમા ફેરેસીસ પ્રોસીઝર કરવામાં આવે છે. સાથે-સાથે બ્લડ ડોનેશનમાંથી સીસીપી મેળવવામાં આવે છે
WatchGujarat. સિવિલ હોસ્પિટલના કોવીડ વિભાગમાં તબીબો દ્વારા આધુનિક સારવાર આપવામાં આવી રહી છે. જેને લઈને સિવિલ હોસ્પિટલનો રીકવરી રેટ વધી રહ્યો છે. કોઈપણ રોગની સારવાર માટે દર્દીનું સચોટ નિદાન મહત્વનું છે. જેમાં લોહીના રિપોર્ટ અગત્યના હોય છે. આ મહત્વની કામગીરી સિવિલ હોસ્પિટલનાં બાયોકેમેસ્ટ્રી અને પેથોલોજી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. અહીં કોરોનાનાં દૈનિક 4,500 રિપોર્ટ કરવામાં આવે છે. બીજીતરફ પેથોલોજી વિભાગમાં પ્લાઝમા તૈયાર કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.
કોરોનાની વૈશ્વિક મહામારીમાં સિવિલ હોસ્પિટલની બાયોકેમેસ્ટ્રી અને પેથોલોજી લેબના તબીબ નોડલ ઓફિસર અને ટેકનિકશીયનો રાતદિવસ કામગીરી કરે છે. દર્દી નારાયણની સેવામાં આ સ્ટાફે પોતાની પરવા કર્યા વગર અવિરત કામ કર્યું છે. ઓ પી ડી બિલ્ડિંગમાં રૂમ નંબર 12માં ક્લિનિકલ બાયોકેમેસ્ટ્રી લેબ આવેલી છે. નોડલ ઓફિસર ડો. જીગ્નેશ ગોરસીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ લેબમાં દર્દીના ચાલીસથી વધુ પ્રકારના લોહીના રિપોર્ટ કરવામાં આવે છે. જેમાં કોરોનાનાં દર્દીઓ માટે ડી-ડાઈમર, સીઆરપી, ફેરિટીન, આઇ.એલ-6, પીસીટી સહિતના રિપોર્ટ સામેલ છે. આ કામગીરી માટે ટેકનિશિયનો અને આસિસ્ટન્ટ સહિતનો 30નો સ્ટાફ અવિરત કામ કરે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, સિવિલમાં એપ્રિલ મહિનામાં 1.35 લાખ રિપોર્ટ કરવામાં આવ્યા છે. બાયોકેમેસ્ટ્રી વિભાગમાં દૈનિક 4000 થી 4500 રિપોર્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કોરોનાના દર્દીઓ માટે ખૂબ અગત્યના 80,000 જેટલા રિપોર્ટ કરવામાં આવ્યા છે જે ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો 4 થી 4.50 કરોડ જેટલો ખર્ચ થતો હોય છે. તમામ રિપોર્ટ અહીં રાજ્ય સરકારના સંવેદનશીલ અને સેવાકીય અભિગમ અંતર્ગત વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે.
બીજીતરફ સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગમાં રૂમ નંબર 20 માં પેથોલોજી વિભાગ બેસે છે. અહીં અગત્યની કામગીરી કરતા નોડલ ઓફિસર ડો.શિલ્પા ગાંધીએ જણાવ્યું હતું કે આ વિભાગમાં દર્દીના ખૂબ જ બેઝિક પરંતુ અત્યંત મહત્વના સીબીસી રિપોર્ટ અને જે દર્દીનું ડી-ડાઇમર વધારે હોય તેને બ્લડ થીનર્સની જરૂર હોય તેવા દર્દીના પીટી/એપીટીટીના રિપોર્ટ થાય છે. આ વિભાગમાં હાલ કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ વધુ હોવાથી રોજના 350 થી 400 સીબીસી અને આશરે 100 જેટલા પીટી/એપીટીટીના કોગ્યુલેશનના રિપોર્ટ થાય છે.
અત્યાર સુધીમાં 950 દર્દીઓને પ્લાઝમા આપવામાં આવ્યું : ડોક્ટર શિલ્પા ગાંધી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્લાઝમા પ્રોસિજર અને કલેક્શનની કામગીરીમાં પેથોલોજી વિભાગ મહત્વનું કામ કરે છે. અહીં બ્લડ બેન્કમાં પ્લાઝમા માટે સીસિપી કાર્યરત કરવામાં આવ્યું છે .તે માટે નોડલ ઓફિસર ડો. કૃપાલ પુજારા શરૂઆતથી જ અથાગ મહેનત કરી રહ્યા છે. આ બ્લડ બેન્કમાં રોજની સાતથી આઠ પ્લાઝમા ફેરેસીસ પ્રોસીઝર કરવામાં આવે છે. સાથે-સાથે બ્લડ ડોનેશનમાંથી સીસીપી મેળવવામાં આવે છે. અત્યાર સુધીમાં 987 જેટલા પ્લાઝમા યુનિટ કલેકટ કરવામાં આવ્યા છે. જેને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જરૂરિયાત પ્રમાણે આપવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં 950 દર્દીઓને પ્લાઝમા આપવામાં આવ્યું છે. આ માટે પેથોલોજી વિભાગના બધા જ ફેકલ્ટી, રેસિડેન્ટ ડોક્ટરો અને બ્લડ બેન્કનો ટેકનિકલ સ્ટાફ ખૂબ જ ખંતથી કામ કરે છે.
મહામારીમાં સિવિલ હોસ્પિટલની બાયોકેમેસ્ટ્રી અને પેથોલોજી લેબના તબીબ નોડલ ઓફિસર અને ટેકનિકશીયનો રાતદિવસ કામગીરી કરે છે
લેબમાં દર્દીના ચાલીસથી વધુ પ્રકારના લોહીના રિપોર્ટ કરવામાં આવે છે – નોડલ ઓફિસર ડો. જીગ્નેશ ગોરસીયા
રોજના 350 થી 400 સીબીસી અને આશરે 100 જેટલા પીટી/એપીટીટીના કોગ્યુલેશનના રિપોર્ટ થાય – ડો.શિલ્પા ગાંધી
બ્લડ બેન્કમાં રોજની સાતથી આઠ પ્લાઝમા ફેરેસીસ પ્રોસીઝર કરવામાં આવે છે. સાથે-સાથે બ્લડ ડોનેશનમાંથી સીસીપી મેળવવામાં આવે છે
WatchGujarat. સિવિલ હોસ્પિટલના કોવીડ વિભાગમાં તબીબો દ્વારા આધુનિક સારવાર આપવામાં આવી રહી છે. જેને લઈને સિવિલ હોસ્પિટલનો રીકવરી રેટ વધી રહ્યો છે. કોઈપણ રોગની સારવાર માટે દર્દીનું સચોટ નિદાન મહત્વનું છે. જેમાં લોહીના રિપોર્ટ અગત્યના હોય છે. આ મહત્વની કામગીરી સિવિલ હોસ્પિટલનાં બાયોકેમેસ્ટ્રી અને પેથોલોજી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. અહીં કોરોનાનાં દૈનિક 4,500 રિપોર્ટ કરવામાં આવે છે. બીજીતરફ પેથોલોજી વિભાગમાં પ્લાઝમા તૈયાર કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.
કોરોનાની વૈશ્વિક મહામારીમાં સિવિલ હોસ્પિટલની બાયોકેમેસ્ટ્રી અને પેથોલોજી લેબના તબીબ નોડલ ઓફિસર અને ટેકનિકશીયનો રાતદિવસ કામગીરી કરે છે. દર્દી નારાયણની સેવામાં આ સ્ટાફે પોતાની પરવા કર્યા વગર અવિરત કામ કર્યું છે. ઓ પી ડી બિલ્ડિંગમાં રૂમ નંબર 12માં ક્લિનિકલ બાયોકેમેસ્ટ્રી લેબ આવેલી છે. નોડલ ઓફિસર ડો. જીગ્નેશ ગોરસીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ લેબમાં દર્દીના ચાલીસથી વધુ પ્રકારના લોહીના રિપોર્ટ કરવામાં આવે છે. જેમાં કોરોનાનાં દર્દીઓ માટે ડી-ડાઈમર, સીઆરપી, ફેરિટીન, આઇ.એલ-6, પીસીટી સહિતના રિપોર્ટ સામેલ છે. આ કામગીરી માટે ટેકનિશિયનો અને આસિસ્ટન્ટ સહિતનો 30નો સ્ટાફ અવિરત કામ કરે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, સિવિલમાં એપ્રિલ મહિનામાં 1.35 લાખ રિપોર્ટ કરવામાં આવ્યા છે. બાયોકેમેસ્ટ્રી વિભાગમાં દૈનિક 4000 થી 4500 રિપોર્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કોરોનાના દર્દીઓ માટે ખૂબ અગત્યના 80,000 જેટલા રિપોર્ટ કરવામાં આવ્યા છે જે ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો 4 થી 4.50 કરોડ જેટલો ખર્ચ થતો હોય છે. તમામ રિપોર્ટ અહીં રાજ્ય સરકારના સંવેદનશીલ અને સેવાકીય અભિગમ અંતર્ગત વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે.
બીજીતરફ સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગમાં રૂમ નંબર 20 માં પેથોલોજી વિભાગ બેસે છે. અહીં અગત્યની કામગીરી કરતા નોડલ ઓફિસર ડો.શિલ્પા ગાંધીએ જણાવ્યું હતું કે આ વિભાગમાં દર્દીના ખૂબ જ બેઝિક પરંતુ અત્યંત મહત્વના સીબીસી રિપોર્ટ અને જે દર્દીનું ડી-ડાઇમર વધારે હોય તેને બ્લડ થીનર્સની જરૂર હોય તેવા દર્દીના પીટી/એપીટીટીના રિપોર્ટ થાય છે. આ વિભાગમાં હાલ કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ વધુ હોવાથી રોજના 350 થી 400 સીબીસી અને આશરે 100 જેટલા પીટી/એપીટીટીના કોગ્યુલેશનના રિપોર્ટ થાય છે.
અત્યાર સુધીમાં 950 દર્દીઓને પ્લાઝમા આપવામાં આવ્યું : ડોક્ટર શિલ્પા ગાંધી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્લાઝમા પ્રોસિજર અને કલેક્શનની કામગીરીમાં પેથોલોજી વિભાગ મહત્વનું કામ કરે છે. અહીં બ્લડ બેન્કમાં પ્લાઝમા માટે સીસિપી કાર્યરત કરવામાં આવ્યું છે .તે માટે નોડલ ઓફિસર ડો. કૃપાલ પુજારા શરૂઆતથી જ અથાગ મહેનત કરી રહ્યા છે. આ બ્લડ બેન્કમાં રોજની સાતથી આઠ પ્લાઝમા ફેરેસીસ પ્રોસીઝર કરવામાં આવે છે. સાથે-સાથે બ્લડ ડોનેશનમાંથી સીસીપી મેળવવામાં આવે છે. અત્યાર સુધીમાં 987 જેટલા પ્લાઝમા યુનિટ કલેકટ કરવામાં આવ્યા છે. જેને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જરૂરિયાત પ્રમાણે આપવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં 950 દર્દીઓને પ્લાઝમા આપવામાં આવ્યું છે. આ માટે પેથોલોજી વિભાગના બધા જ ફેકલ્ટી, રેસિડેન્ટ ડોક્ટરો અને બ્લડ બેન્કનો ટેકનિકલ સ્ટાફ ખૂબ જ ખંતથી કામ કરે છે.