કોરોનાની બીજી લહેર દરમિયાન છેલ્લા બે મહિનામાં સરધારમાં 60 જેટલા લોકોનાં કોરોનાથી મોત થતા લોકોમાં ભયનો માહોલ
ગામમાં સ્થાનિક આગેવાનોએ દર્દીઓનાં ઘરે ઘરે જઈને દવાઓ અને ઓકિસજનનાં બાટલા આપતા રાહત
તાલુકાના પ્રગતીશીલ ગામ તરીકે ઓળખાતા ખોડાપીપરમાં પણ 22 જેટલા લોકો મોતને ભેટયા
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમું પડ્યું છે. અને નવા કેસની સાથે-સાથે મૃતકોની સંખ્યા પણ ઘટી રહી છે. પરંતુ ગામડાઓમાં કોરોનાનો ખોફ યથાવત છે. જિલ્લાનાં 550 જેટલા ગામડાઓમાંથી મોટાભાગનાં ગામમાં કોરોનાનાં કેસ અને મૃત્યુઆંક વધી રહયો છે કેટલાક ગામ એવા છે કે, જ્યાં કોરોના બ્લાસ્ટ થયો છે એકાએક આ ગામમાં લોકો ટપોટપ મોતને ભેટી રહયા હોવાથી ફફડાટ ફેલાયો છે. જેમાં સરધાર, પડધરીનાં થોરીયાળી - ખોડાપીપર અને જેતપુરનાં પાંચપીપળવા ગામમાં કોરોનાએ જાણે મોતનું તાંડવ ખેલ્યુ હોય તેવું લાગી રહ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ કોરોનાની બીજી લહેર દરમિયાન છેલ્લા બે મહિનામાં સરધારમાં 60 જેટલા લોકોનાં કોરોનાથી મોત થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામમાં સ્થાનિક આગેવાનોએ દર્દીઓનાં ઘરે ઘરે જઈને દવાઓ અને ઓકિસજનનાં બાટલા આપતા થોડી રાહત અનુભવાઈ છે. આવી જ હાલત જેતપુર તાલુકાનાં પાંચપીપળવા ગામની છે. 4 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં બીજી લહેરમાં અનેક ઘરનાં સભ્યો કોરોના સંક્રમિત થયા હતા. પરંતુ તાત્કાલિક સારવાર ન મળતા અને જાગૃતિનાં અભાવે છેલ્લા દોઢેક મહિનામાં 70 જેટલા લોકોનાં મોત થતા નાના એવા ગામમાં સન્નાટો ફેલાઈ ગયો છે.
પડધરી તાલુકાનાં થોરીયાળી અને ખોડાપીપરની પણ આવી ગંભીર સ્થિતિ છે. થોરીયાળી ત્રણેક હજારની વસતી ધરાવતુ ગામ છે. જેમાં છેલ્લા દોઢેક મહિનામાં 35 જેટલા લોકોને કોરોના ભરખી ગયો છે. ગામમાં નાની ઉંમરના લોકો પણ કોરોનાનો ભોગ બનતા ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. તાલુકાના પ્રગતીશીલ ગામ તરીકે ઓળખાતા ખોડાપીપરમાં પણ 22 જેટલા લોકો મોતને ભેટયા છે. આરોગ્ય તંત્રની લાપરવાહીથી મહામારીએ માજા મુકી છે. સરપંચોએ તાલુકાનાં આરોગ્ય તંત્રને દવા અને ટેસ્ટીંગ માટેની સુવિધાઓ વધારવા વારંવાર રજુઆતો કરી હતી. પણ આ રજૂઆતોને સમયસર પ્રતિસાદ નહીં મળતા કોરોનાએ કહેર મચાવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
કોરોનાની બીજી લહેર દરમિયાન છેલ્લા બે મહિનામાં સરધારમાં 60 જેટલા લોકોનાં કોરોનાથી મોત થતા લોકોમાં ભયનો માહોલ
ગામમાં સ્થાનિક આગેવાનોએ દર્દીઓનાં ઘરે ઘરે જઈને દવાઓ અને ઓકિસજનનાં બાટલા આપતા રાહત
તાલુકાના પ્રગતીશીલ ગામ તરીકે ઓળખાતા ખોડાપીપરમાં પણ 22 જેટલા લોકો મોતને ભેટયા
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમું પડ્યું છે. અને નવા કેસની સાથે-સાથે મૃતકોની સંખ્યા પણ ઘટી રહી છે. પરંતુ ગામડાઓમાં કોરોનાનો ખોફ યથાવત છે. જિલ્લાનાં 550 જેટલા ગામડાઓમાંથી મોટાભાગનાં ગામમાં કોરોનાનાં કેસ અને મૃત્યુઆંક વધી રહયો છે કેટલાક ગામ એવા છે કે, જ્યાં કોરોના બ્લાસ્ટ થયો છે એકાએક આ ગામમાં લોકો ટપોટપ મોતને ભેટી રહયા હોવાથી ફફડાટ ફેલાયો છે. જેમાં સરધાર, પડધરીનાં થોરીયાળી - ખોડાપીપર અને જેતપુરનાં પાંચપીપળવા ગામમાં કોરોનાએ જાણે મોતનું તાંડવ ખેલ્યુ હોય તેવું લાગી રહ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ કોરોનાની બીજી લહેર દરમિયાન છેલ્લા બે મહિનામાં સરધારમાં 60 જેટલા લોકોનાં કોરોનાથી મોત થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામમાં સ્થાનિક આગેવાનોએ દર્દીઓનાં ઘરે ઘરે જઈને દવાઓ અને ઓકિસજનનાં બાટલા આપતા થોડી રાહત અનુભવાઈ છે. આવી જ હાલત જેતપુર તાલુકાનાં પાંચપીપળવા ગામની છે. 4 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં બીજી લહેરમાં અનેક ઘરનાં સભ્યો કોરોના સંક્રમિત થયા હતા. પરંતુ તાત્કાલિક સારવાર ન મળતા અને જાગૃતિનાં અભાવે છેલ્લા દોઢેક મહિનામાં 70 જેટલા લોકોનાં મોત થતા નાના એવા ગામમાં સન્નાટો ફેલાઈ ગયો છે.
પડધરી તાલુકાનાં થોરીયાળી અને ખોડાપીપરની પણ આવી ગંભીર સ્થિતિ છે. થોરીયાળી ત્રણેક હજારની વસતી ધરાવતુ ગામ છે. જેમાં છેલ્લા દોઢેક મહિનામાં 35 જેટલા લોકોને કોરોના ભરખી ગયો છે. ગામમાં નાની ઉંમરના લોકો પણ કોરોનાનો ભોગ બનતા ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. તાલુકાના પ્રગતીશીલ ગામ તરીકે ઓળખાતા ખોડાપીપરમાં પણ 22 જેટલા લોકો મોતને ભેટયા છે. આરોગ્ય તંત્રની લાપરવાહીથી મહામારીએ માજા મુકી છે. સરપંચોએ તાલુકાનાં આરોગ્ય તંત્રને દવા અને ટેસ્ટીંગ માટેની સુવિધાઓ વધારવા વારંવાર રજુઆતો કરી હતી. પણ આ રજૂઆતોને સમયસર પ્રતિસાદ નહીં મળતા કોરોનાએ કહેર મચાવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.