ગોંડલ રોડ પર આવેલી કુરીયર એડ કાર્ગોની ઓફિસમાં ત્રણ અજાણ્યા શખ્સો ત્રાટક્યાં.
માલિકને ખુરશીની સાથે દોરી વડે બાંધી રૂ. 15 લાખથી વધુની લૂંટ કરી ત્રિપુટી રફૂચક્કર.
Watch Gujarat. કોરોના કાળ વચ્ચે પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે. અને વારંવાર ચોરી, લૂંટ તેમજ હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગોંડલ રોડ ઉપર આવેલી કુરિયર એન્ડ કાર્ગોની ઓફિસમાં અજાણ્યા શખ્સોએ માલિકને ખુરશી સાથે બાંધીને રૂ. 15 લાખથી વધુની લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો. હાલમાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે ભોગ બનનારની ઉલટ તપાસ પણ કરાઈ રહી છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગોંડલ રોડ પર બાલાજી ફાસ્ટ કુરીયર એન્ડ કાર્ગો પ્રા.લિના માલીક હરજીવનભાઈ ભગયતા સાંજે પોતાની ઓફિસે હતા. દરમિયાન સાતેક વાગ્યાના અરસામાં બાઈક પર ત્રણ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. તેમજ કંઈપણ સમજે તે પહેલાં હરજીવનભાઈને દોરી વડે ખુરશીની સાથે બાંધી દીધા હતા. બાદમાં તેમની પાસે રહેલ રૂા.15 લાખથી વધુ રકમ ભરેલું બેગ લઈ ત્રિપુટી નાસી છૂટી હતી.
આ ઘટના અંગેની જાણ થતાં ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ અને માલવીયાનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બાલાજી ફાસ્ટ કુરીયર એન્ડ કાર્ગો પ્રા.લિના માલીક હરજીવનભાઈ ભગયતાની પૂછપરછ અને સીસીટીવી ફુટેજના આધારે લૂંટ ચલાવીને નાસી છૂટેલી ત્રિપુટીનું પગેરુ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. આ માટે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, થોડા દિવસો અગાઉ સોની વેપારીને તિજોરીમાં પૂરી આશરે એકાદ કરોડની લૂંટ ચલાવ્યાની ઘટનાનો ભેદ હજુપણ ઉકેલાયો નથી. ત્યાં આવી જ વધુ એક ઘટના સામે આવતા કોઈ લૂંટારૂ ટોળકી સક્રિય થઈ હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
ગોંડલ રોડ પર આવેલી કુરીયર એડ કાર્ગોની ઓફિસમાં ત્રણ અજાણ્યા શખ્સો ત્રાટક્યાં.
માલિકને ખુરશીની સાથે દોરી વડે બાંધી રૂ. 15 લાખથી વધુની લૂંટ કરી ત્રિપુટી રફૂચક્કર.
Watch Gujarat. કોરોના કાળ વચ્ચે પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે. અને વારંવાર ચોરી, લૂંટ તેમજ હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગોંડલ રોડ ઉપર આવેલી કુરિયર એન્ડ કાર્ગોની ઓફિસમાં અજાણ્યા શખ્સોએ માલિકને ખુરશી સાથે બાંધીને રૂ. 15 લાખથી વધુની લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો. હાલમાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે ભોગ બનનારની ઉલટ તપાસ પણ કરાઈ રહી છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગોંડલ રોડ પર બાલાજી ફાસ્ટ કુરીયર એન્ડ કાર્ગો પ્રા.લિના માલીક હરજીવનભાઈ ભગયતા સાંજે પોતાની ઓફિસે હતા. દરમિયાન સાતેક વાગ્યાના અરસામાં બાઈક પર ત્રણ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. તેમજ કંઈપણ સમજે તે પહેલાં હરજીવનભાઈને દોરી વડે ખુરશીની સાથે બાંધી દીધા હતા. બાદમાં તેમની પાસે રહેલ રૂા.15 લાખથી વધુ રકમ ભરેલું બેગ લઈ ત્રિપુટી નાસી છૂટી હતી.
આ ઘટના અંગેની જાણ થતાં ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ અને માલવીયાનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બાલાજી ફાસ્ટ કુરીયર એન્ડ કાર્ગો પ્રા.લિના માલીક હરજીવનભાઈ ભગયતાની પૂછપરછ અને સીસીટીવી ફુટેજના આધારે લૂંટ ચલાવીને નાસી છૂટેલી ત્રિપુટીનું પગેરુ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. આ માટે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, થોડા દિવસો અગાઉ સોની વેપારીને તિજોરીમાં પૂરી આશરે એકાદ કરોડની લૂંટ ચલાવ્યાની ઘટનાનો ભેદ હજુપણ ઉકેલાયો નથી. ત્યાં આવી જ વધુ એક ઘટના સામે આવતા કોઈ લૂંટારૂ ટોળકી સક્રિય થઈ હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.