ભરત મકવાણા પશુપાલન ઉપરાંત ચા ની કેબીન રાખી પરીવારનું ગુજરાન ચલાવે છે
પૈકીની દુઝણી ગાયના શરીર પર તિક્ષ્ણ હથીયારનો ઉંડો ઘા સવારે જોવા મળ્યો
તત્કાળ એનીમલ હેલ્પ લાઈનમાં ફોન કરી ગાયોની સારવાર કરાવી
પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ આગળ ધપાવી આરોપી વિશાલની ઓળખ મેળવી તેની અટકાયત કરી
WatchGujarat. શહેરનાં ભગવતીપરા નજીક ચાર ગાયોને તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી દેવાતા જીવદયાપ્રેમી અને માલધારીઓની આંતરડી કકળી ઉઠવાની સાથે રોષ ભભૂકી ઉઠયો હતો. બી-ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાતા મોડી સાંજે કૃત્ય કરનાર 23 વર્ષીય વિશાલ જેન્તીભાઈ મકવાણાની ઓળખ મેળવીને પોલીસે પારેવાડી ચોક નજીકથી ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પુછપરછમાં આરોપીએ થોડા સમય પહેલા ગાયે ઢીક મારતા ક્રોધે ભરાઈ આ કૃત્ય કર્યાની કબૂલાત કરી છે.
જાણવા મળતી વિગત મુજબ, પારેવડી ચોક પાસેના મહાત્માગાંધી પ્લોટ મેઈન રોડ પરની ખોડીયારપરા સોસાયટીમાં રહેતા ભરત મકવાણા પશુપાલન ઉપરાંત ચા ની કેબીન રાખી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેની પાસે બે ગાયો છે. જેમાંથી એક દુઝણી અને બીજી નાની વાછરડી છે. શુક્રવારની મોડીરાત્રે જ તેના પિતા ભુપતભાઈ બંને ગાયોને નિરણ ખવડાવી ભગવતીપરા પુલ નીચે રામાપીરના મંદિર નજીક મૂકી આવ્યા હતા. આ સ્થળે બીજી ગાયોને પણ રાખવામાં આવે છે. એકંદરે આ સ્થળે ગાયોની બેઠક છે. ભરતની બંને ગાયો રાત્રે તેના ઘર પાસે પરત ફરી હતી. આ બે પૈકીની દુઝણી ગાયના શરીર પર તિક્ષ્ણ હથીયારનો ઉંડો ઘા સવારે જોવા મળ્યો હતો.
આ જ રીતે આજે સવારે બેડીપરા વિસ્તારમાં રહેતા કનૈયાલાલ, ભાવેશભાઈ અને લઘુભાઈની ગાયોના શરીર ઉપર પણ તિક્ષ્ણ હથીયારના ઘા જોવા મળ્યા હતા. આ તમામ ગાયો જયારે ભગવતીપરા પુલ નીચે હતી, ત્યારે ત્યાં જ તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકાયાનું તારણ નિકળ્યું હતું. સવારે ચારૈય ગૌપાલકોને પોતાની ગાયોને તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકાયાનું જાણવા મળતા ચોંકી ઉઠયા હતા. તત્કાળ એનીમલ હેલ્પ લાઈનમાં ફોન કરી ગાયોની સારવાર કરાવી હતી. જાણ થતા ધીરે ધીરે માલધારી સમાજના લોકો પણ એકત્રીત થઈ ગયા હતા અને આ કૃત્ય સામે રોષ વ્યકત કર્યો હતો.
સમગ્ર મામલે બી-ડીવીઝન પોલીસને જાણ કરાતા ભરતભાઈની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સો સામે આઈપીસીની કલમો ઉપરાંત પ્રાણી કૃરતા નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ આગળ ધપાવી આરોપી વિશાલની ઓળખ મેળવી તેની અટકાયત કરી હતી. પ્રાથમિક પુછપરછમાં તેણે એવી કબૂલાત આપી છે કે, તે જે રસ્તા પરથી પસાર થતો ત્યારે ત્યાં ખુબ ગાયો રહેતી હોવાથી મનપામાં અરજી કરી હતી. થોડા સમય પહેલા તેને ગાય ઢીક મારી હતી. જેને કારણે ક્રોધ ચઢતા ગઈકાલે ચાર ગાય જયારે ભગવતીપરા પુલ નીચે હતી ત્યારે ત્યાં જઈ પુઠના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. આરોપી પાસેથી છરી પણ પોલીસે કબ્જે લીધી છે.
ભરત મકવાણા પશુપાલન ઉપરાંત ચા ની કેબીન રાખી પરીવારનું ગુજરાન ચલાવે છે
પૈકીની દુઝણી ગાયના શરીર પર તિક્ષ્ણ હથીયારનો ઉંડો ઘા સવારે જોવા મળ્યો
તત્કાળ એનીમલ હેલ્પ લાઈનમાં ફોન કરી ગાયોની સારવાર કરાવી
પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ આગળ ધપાવી આરોપી વિશાલની ઓળખ મેળવી તેની અટકાયત કરી
WatchGujarat. શહેરનાં ભગવતીપરા નજીક ચાર ગાયોને તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી દેવાતા જીવદયાપ્રેમી અને માલધારીઓની આંતરડી કકળી ઉઠવાની સાથે રોષ ભભૂકી ઉઠયો હતો. બી-ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાતા મોડી સાંજે કૃત્ય કરનાર 23 વર્ષીય વિશાલ જેન્તીભાઈ મકવાણાની ઓળખ મેળવીને પોલીસે પારેવાડી ચોક નજીકથી ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પુછપરછમાં આરોપીએ થોડા સમય પહેલા ગાયે ઢીક મારતા ક્રોધે ભરાઈ આ કૃત્ય કર્યાની કબૂલાત કરી છે.
જાણવા મળતી વિગત મુજબ, પારેવડી ચોક પાસેના મહાત્માગાંધી પ્લોટ મેઈન રોડ પરની ખોડીયારપરા સોસાયટીમાં રહેતા ભરત મકવાણા પશુપાલન ઉપરાંત ચા ની કેબીન રાખી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેની પાસે બે ગાયો છે. જેમાંથી એક દુઝણી અને બીજી નાની વાછરડી છે. શુક્રવારની મોડીરાત્રે જ તેના પિતા ભુપતભાઈ બંને ગાયોને નિરણ ખવડાવી ભગવતીપરા પુલ નીચે રામાપીરના મંદિર નજીક મૂકી આવ્યા હતા. આ સ્થળે બીજી ગાયોને પણ રાખવામાં આવે છે. એકંદરે આ સ્થળે ગાયોની બેઠક છે. ભરતની બંને ગાયો રાત્રે તેના ઘર પાસે પરત ફરી હતી. આ બે પૈકીની દુઝણી ગાયના શરીર પર તિક્ષ્ણ હથીયારનો ઉંડો ઘા સવારે જોવા મળ્યો હતો.
આ જ રીતે આજે સવારે બેડીપરા વિસ્તારમાં રહેતા કનૈયાલાલ, ભાવેશભાઈ અને લઘુભાઈની ગાયોના શરીર ઉપર પણ તિક્ષ્ણ હથીયારના ઘા જોવા મળ્યા હતા. આ તમામ ગાયો જયારે ભગવતીપરા પુલ નીચે હતી, ત્યારે ત્યાં જ તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકાયાનું તારણ નિકળ્યું હતું. સવારે ચારૈય ગૌપાલકોને પોતાની ગાયોને તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકાયાનું જાણવા મળતા ચોંકી ઉઠયા હતા. તત્કાળ એનીમલ હેલ્પ લાઈનમાં ફોન કરી ગાયોની સારવાર કરાવી હતી. જાણ થતા ધીરે ધીરે માલધારી સમાજના લોકો પણ એકત્રીત થઈ ગયા હતા અને આ કૃત્ય સામે રોષ વ્યકત કર્યો હતો.
સમગ્ર મામલે બી-ડીવીઝન પોલીસને જાણ કરાતા ભરતભાઈની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સો સામે આઈપીસીની કલમો ઉપરાંત પ્રાણી કૃરતા નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ આગળ ધપાવી આરોપી વિશાલની ઓળખ મેળવી તેની અટકાયત કરી હતી. પ્રાથમિક પુછપરછમાં તેણે એવી કબૂલાત આપી છે કે, તે જે રસ્તા પરથી પસાર થતો ત્યારે ત્યાં ખુબ ગાયો રહેતી હોવાથી મનપામાં અરજી કરી હતી. થોડા સમય પહેલા તેને ગાય ઢીક મારી હતી. જેને કારણે ક્રોધ ચઢતા ગઈકાલે ચાર ગાય જયારે ભગવતીપરા પુલ નીચે હતી ત્યારે ત્યાં જઈ પુઠના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. આરોપી પાસેથી છરી પણ પોલીસે કબ્જે લીધી છે.