વર્ષાબા તેમના પતિ યોગીરાજસિંહ સરવૈયા તથા પુત્ર અને પુત્રી સાથે થોડા સમય પહેલા જ રેલનગરની શિવાજી ટાઉનશીપ રહેવા આવ્યા
ગુરુવારે પુત્ર-પુત્રી સુતા હતા, ત્યારે જ માતાએ અગ્નિસ્નાન કરતા બાળકો લપેટમાં આવી ગયા હતા
પતિ સહિત આસપાસના લોકો આવી જતા આગ બુઝાવી તમામને બચાવવા પ્રયાસ કર્યો
WatchGujarat. શહેરના રેલનગરમાં શિવાજી ટાઉનશીપનાં છઠ્ઠા માળે બ્લોક ન. 605માં આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. જો કે આ પહેલાં જ લોકોએ આગ બુઝાવી નાખી હતી. પરંતુ આગમાં 32 વર્ષીય વર્ષાબા સરવૈયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનામાં મૃતકનાં પતિની સાથે પુત્ર-પુત્રી પણ દાઝી જતા સ્થાનિકોએ ત્રણેયને સારવાર માટે ખસેડયા હતા. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં વર્ષાબાએ ઘરકંકાસથી કંટાળી અગ્નિસ્નાન કર્યું હોવાનું અને તેને બચાવવા જતા પતિ સહિત પુત્ર અને પુત્રી દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. જો કે વિચિત્ર જણાતા આ મામલે પોલીસે સામુહિક આપઘાત સહિતની વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ મૃતક વર્ષાબા તેમના પતિ યોગીરાજસિંહ સરવૈયા 8 વર્ષીય પુત્રી કૃતિકા તેમજ 2 વર્ષીય પુત્ર ઉર્વરાજસિંહ સાથે થોડા સમય પહેલા જ રેલનગરની શિવાજી ટાઉનશીપનાં છઠ્ઠા માળે બ્લોક ન. 605માં રહેવા આવ્યા હતા. યોગીરાજસિંહ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરીને આ ઘરનું ગુજરાન ચલાવતા હતા. ગુરુવારે પુત્ર-પુત્રી સુતા હતા, ત્યારે જ માતાએ અગ્નિસ્નાન કરતા બાળકો લપેટમાં આવી ગયા હતા. દરમિયાન પતિ સહિત આસપાસના લોકો આવી જતા આગ બુઝાવી તમામને બચાવવા પ્રયાસ કર્યો હતો.
જો કે આગ બુઝાય તે પહેલાં ગંભીર રીતે દાઝી ગયેલા વર્ષાબાનું મોત નિપજતાં સ્થાનિકોએ પિતા-પુત્ર-પુત્રીને સારવાર માટે ખસેડયા હતા. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ઘરમાં ઝઘડાઓ થતા હોવાનું સામે આવ્યું છે. સાથે જ સામુહિક આપઘાતની ચર્ચાઓ પણ ચાલી રહી છે. જેને પગલે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં સ્થાનિક લોકોની તેમજ મૃતકનાં સગા-સંબંધીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ત્યારે સાચી હકીકત તો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.
વર્ષાબા તેમના પતિ યોગીરાજસિંહ સરવૈયા તથા પુત્ર અને પુત્રી સાથે થોડા સમય પહેલા જ રેલનગરની શિવાજી ટાઉનશીપ રહેવા આવ્યા
ગુરુવારે પુત્ર-પુત્રી સુતા હતા, ત્યારે જ માતાએ અગ્નિસ્નાન કરતા બાળકો લપેટમાં આવી ગયા હતા
પતિ સહિત આસપાસના લોકો આવી જતા આગ બુઝાવી તમામને બચાવવા પ્રયાસ કર્યો
WatchGujarat. શહેરના રેલનગરમાં શિવાજી ટાઉનશીપનાં છઠ્ઠા માળે બ્લોક ન. 605માં આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. જો કે આ પહેલાં જ લોકોએ આગ બુઝાવી નાખી હતી. પરંતુ આગમાં 32 વર્ષીય વર્ષાબા સરવૈયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનામાં મૃતકનાં પતિની સાથે પુત્ર-પુત્રી પણ દાઝી જતા સ્થાનિકોએ ત્રણેયને સારવાર માટે ખસેડયા હતા. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં વર્ષાબાએ ઘરકંકાસથી કંટાળી અગ્નિસ્નાન કર્યું હોવાનું અને તેને બચાવવા જતા પતિ સહિત પુત્ર અને પુત્રી દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. જો કે વિચિત્ર જણાતા આ મામલે પોલીસે સામુહિક આપઘાત સહિતની વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ મૃતક વર્ષાબા તેમના પતિ યોગીરાજસિંહ સરવૈયા 8 વર્ષીય પુત્રી કૃતિકા તેમજ 2 વર્ષીય પુત્ર ઉર્વરાજસિંહ સાથે થોડા સમય પહેલા જ રેલનગરની શિવાજી ટાઉનશીપનાં છઠ્ઠા માળે બ્લોક ન. 605માં રહેવા આવ્યા હતા. યોગીરાજસિંહ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરીને આ ઘરનું ગુજરાન ચલાવતા હતા. ગુરુવારે પુત્ર-પુત્રી સુતા હતા, ત્યારે જ માતાએ અગ્નિસ્નાન કરતા બાળકો લપેટમાં આવી ગયા હતા. દરમિયાન પતિ સહિત આસપાસના લોકો આવી જતા આગ બુઝાવી તમામને બચાવવા પ્રયાસ કર્યો હતો.
જો કે આગ બુઝાય તે પહેલાં ગંભીર રીતે દાઝી ગયેલા વર્ષાબાનું મોત નિપજતાં સ્થાનિકોએ પિતા-પુત્ર-પુત્રીને સારવાર માટે ખસેડયા હતા. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ઘરમાં ઝઘડાઓ થતા હોવાનું સામે આવ્યું છે. સાથે જ સામુહિક આપઘાતની ચર્ચાઓ પણ ચાલી રહી છે. જેને પગલે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં સ્થાનિક લોકોની તેમજ મૃતકનાં સગા-સંબંધીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ત્યારે સાચી હકીકત તો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.