ભારતીય કિસાન સંઘનાં આગેવાનોએ આ મુદ્દે કૃષિમંત્રી સાથે ટેલિફોનિક વાતચીતનો પ્રયાસ કર્યો હતો
ખાતરમાં ભાવ વધારાનો વિરોધ કરી રહેલા ખેડુતો કૃષિમંત્રીના નિવાસ સ્થાને જતા પોલીસે અટકાયત કરી
ખાતરમાં કરેલો ભાવવધારો ખેડૂતોને પડ્યા પર પાટું સમાન છે - ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા
WatchGujarat. ચૂંટણી પુરી થયા બાદ તાજેતરમાં ખાતરનાં ભાવમાં વધારો કરાયો છે. જેને લઈને ખેડૂતો ઉપરાંત જુદા-જુદા કિસાન સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આ ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આજે ભારતીય કિસાન સંઘનાં આગેવાનોએ આ મુદ્દે કૃષિમંત્રી સાથે ટેલિફોનિક વાતચીતનો પ્રયાસ કર્યો હતો. એટલું નહીં પ્રત્યુત્તર નહીં મળતા તેમના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા તમામ આગેવાનો - કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
જાણવા મળી રહેલી વિગતો અનુસાર, ખાતરનાં ભાવ વધારાને લઈને તેમજ જૂના ભાવે રાસાયણિક ખાતરનું વિતરણ શરૂ કરવાની માંગ ઉઠી છે. આ બાબતે કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ કૃષિમંત્રીને ટેલીફોનીક રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં કોઈ જવાબ નહીં મળતાં અંતે કિસાન સંઘના આગેવાનો રાજ્યનાં કૃષિમંત્રી આર.સી.ફળદુના નિવાસસ્થાને જ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસે ભારતીય કિસાન સંઘના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી છે.
સમગ્ર મામલે ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, હાલમાં ગામડાઓમાં કોરોનાને લઈને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. ખેડૂતોને કોરોનાને લઈને પણ ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. તેમાં હવે ખાતરમાં કરેલો ભાવવધારો ખેડૂતોને પડ્યા પર પાટું સમાન છે. જે તાત્કાલિક પાછો ખેંચવા અને જુના ભાવે રાસાયણિક ખાતરનું વિતરણ કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોની આ રજુઆત કૃષિમંત્રી સુધી પહોંચાડવા અમે ટેલિફોનિક તેમજ રૂબરૂ પ્રયાસ કર્યો હતો. પણ ફોન રિસીવ થયો નહોતો અને કૃષિમંત્રીનાં ઘરે પહોંચતા જ અમારી અટકાયત કરાઈ છે.
ભારતીય કિસાન સંઘનાં આગેવાનોએ આ મુદ્દે કૃષિમંત્રી સાથે ટેલિફોનિક વાતચીતનો પ્રયાસ કર્યો હતો
ખાતરમાં ભાવ વધારાનો વિરોધ કરી રહેલા ખેડુતો કૃષિમંત્રીના નિવાસ સ્થાને જતા પોલીસે અટકાયત કરી
ખાતરમાં કરેલો ભાવવધારો ખેડૂતોને પડ્યા પર પાટું સમાન છે - ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા
WatchGujarat. ચૂંટણી પુરી થયા બાદ તાજેતરમાં ખાતરનાં ભાવમાં વધારો કરાયો છે. જેને લઈને ખેડૂતો ઉપરાંત જુદા-જુદા કિસાન સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આ ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આજે ભારતીય કિસાન સંઘનાં આગેવાનોએ આ મુદ્દે કૃષિમંત્રી સાથે ટેલિફોનિક વાતચીતનો પ્રયાસ કર્યો હતો. એટલું નહીં પ્રત્યુત્તર નહીં મળતા તેમના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા તમામ આગેવાનો - કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
જાણવા મળી રહેલી વિગતો અનુસાર, ખાતરનાં ભાવ વધારાને લઈને તેમજ જૂના ભાવે રાસાયણિક ખાતરનું વિતરણ શરૂ કરવાની માંગ ઉઠી છે. આ બાબતે કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ કૃષિમંત્રીને ટેલીફોનીક રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં કોઈ જવાબ નહીં મળતાં અંતે કિસાન સંઘના આગેવાનો રાજ્યનાં કૃષિમંત્રી આર.સી.ફળદુના નિવાસસ્થાને જ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસે ભારતીય કિસાન સંઘના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી છે.
સમગ્ર મામલે ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, હાલમાં ગામડાઓમાં કોરોનાને લઈને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. ખેડૂતોને કોરોનાને લઈને પણ ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. તેમાં હવે ખાતરમાં કરેલો ભાવવધારો ખેડૂતોને પડ્યા પર પાટું સમાન છે. જે તાત્કાલિક પાછો ખેંચવા અને જુના ભાવે રાસાયણિક ખાતરનું વિતરણ કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોની આ રજુઆત કૃષિમંત્રી સુધી પહોંચાડવા અમે ટેલિફોનિક તેમજ રૂબરૂ પ્રયાસ કર્યો હતો. પણ ફોન રિસીવ થયો નહોતો અને કૃષિમંત્રીનાં ઘરે પહોંચતા જ અમારી અટકાયત કરાઈ છે.