ફારૂકની પત્ની ફોન પર કોઇની સાથે વાત કરતી જેને લઈને ફારૂકને પત્ની ઈલુનાં કોઈ સાથે આડાસંબંધ હોવાની શંકા જાગી હતી.
મુદ્દે પતિ-પત્ની વચ્ચે અવારનવાર માથાકૂટ થતી
વાવાઝોડાને કારણે વીજળી ગૂલ થઇ ત્યારે જ ફારૂકને છરીનાં ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો
એટલા ઝુનુનથી છરીના ઘા ઝીંકાયા કે મૃતકના આંતરડા બહાર આવી ગયા
WatchGujarat. શહેરમાં કોરોના કાળ વચ્ચે પણ ગુનાખોરી વકરી રહી છે. ત્યારે મોરબી રોડ પર આવેલ ચામડિયા ખાટકીવાસમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સસરાએ જ જમાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં મૃતક યુવકની પત્ની અને સાળી પણ શંકાના દાયરામાં હોઇ પોલીસે બંનેને સકંજામાં લીધી છે. મૃતક તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હોવાથી તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે હત્યારા સસરાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળી રહેલી વિગતો મુજબ, મોરબી રોડ પરના ચામડિયા ખાટકીવાસમાં રહેતા 35 વર્ષીય ફારૂક રહેમાનભાઇ મુસાણીને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના આંતરડા બહાર નીકળી ગયા હતા. ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક ફારૂકની માતાએ જણાવ્યું હતું કે, ફારૂકની પત્ની ફોન પર કોઇની સાથે વાત કરતી હતી. જેને લઈને ફારૂકને પત્ની ઈલુનાં કોઈ સાથે આડાસંબંધ હોવાની શંકા જાગી હતી. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. અને સાંજે પણ ઝઘડો થયો હતો. દરમિયાન વાવાઝોડાને કારણે વીજળી ગૂલ થઇ ત્યારે જ ફારૂકને છરીનાં ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને મૃતકનાં સસરાએ અંજામ આપ્યો હોવાનો અને તેમાં પત્ની-સાળી પણ સામેલ હોવાનો આરોપ તેણીએ લગાવ્યો હતો.
આ હત્યામાં ઘરના જ ઘાતકી બન્યાનું બહાર આવતા જ પોલીસ સક્રિય બની હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ, ફારૂકને તેના સસરા હારૂન જમાલે છરીના ત્રણેક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે. હત્યામાં તેની પત્ની ઈલુ ઉપરાંત તેની સાળીની પણ સંડોવણીની શંકા હોવાથી બંનેની પૂછપરછ શરૂ કરી હતી. જ્યારે હત્યા કરીને ફરાર હારૂન જમાલને ઝડપી લેવા પોલીસે તપાસ શરૂ કરી છે. હારૂનની હત્યાથી તેના એક પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
ફારૂકની પત્ની ફોન પર કોઇની સાથે વાત કરતી જેને લઈને ફારૂકને પત્ની ઈલુનાં કોઈ સાથે આડાસંબંધ હોવાની શંકા જાગી હતી.
મુદ્દે પતિ-પત્ની વચ્ચે અવારનવાર માથાકૂટ થતી
વાવાઝોડાને કારણે વીજળી ગૂલ થઇ ત્યારે જ ફારૂકને છરીનાં ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો
એટલા ઝુનુનથી છરીના ઘા ઝીંકાયા કે મૃતકના આંતરડા બહાર આવી ગયા
WatchGujarat. શહેરમાં કોરોના કાળ વચ્ચે પણ ગુનાખોરી વકરી રહી છે. ત્યારે મોરબી રોડ પર આવેલ ચામડિયા ખાટકીવાસમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સસરાએ જ જમાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં મૃતક યુવકની પત્ની અને સાળી પણ શંકાના દાયરામાં હોઇ પોલીસે બંનેને સકંજામાં લીધી છે. મૃતક તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હોવાથી તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે હત્યારા સસરાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળી રહેલી વિગતો મુજબ, મોરબી રોડ પરના ચામડિયા ખાટકીવાસમાં રહેતા 35 વર્ષીય ફારૂક રહેમાનભાઇ મુસાણીને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના આંતરડા બહાર નીકળી ગયા હતા. ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક ફારૂકની માતાએ જણાવ્યું હતું કે, ફારૂકની પત્ની ફોન પર કોઇની સાથે વાત કરતી હતી. જેને લઈને ફારૂકને પત્ની ઈલુનાં કોઈ સાથે આડાસંબંધ હોવાની શંકા જાગી હતી. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. અને સાંજે પણ ઝઘડો થયો હતો. દરમિયાન વાવાઝોડાને કારણે વીજળી ગૂલ થઇ ત્યારે જ ફારૂકને છરીનાં ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને મૃતકનાં સસરાએ અંજામ આપ્યો હોવાનો અને તેમાં પત્ની-સાળી પણ સામેલ હોવાનો આરોપ તેણીએ લગાવ્યો હતો.
આ હત્યામાં ઘરના જ ઘાતકી બન્યાનું બહાર આવતા જ પોલીસ સક્રિય બની હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ, ફારૂકને તેના સસરા હારૂન જમાલે છરીના ત્રણેક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે. હત્યામાં તેની પત્ની ઈલુ ઉપરાંત તેની સાળીની પણ સંડોવણીની શંકા હોવાથી બંનેની પૂછપરછ શરૂ કરી હતી. જ્યારે હત્યા કરીને ફરાર હારૂન જમાલને ઝડપી લેવા પોલીસે તપાસ શરૂ કરી છે. હારૂનની હત્યાથી તેના એક પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.