મંદિરનાં નિર્માણ સમયે સમાજના દરેક પરિવારને એક તાંતણે બાંધવા માટે સંકલ્પ કર્યો હતો
સાહિત્ય, સંગીત, મિડિયા અને સરકારી નોકરીમાં પણ લેઉવા પટેલના સમાજના દીકરા દીકરીઓએ આગળ આવવુ જોઈએ – નરેશ પટેલ
2022 પછીના પ્રકલ્પો વિશે વાત કરતાં નરેશ પટેલે જણાવ્યું, અમરેલીમાં 59 એકરની જમીન ખરીદી છે. જ્યાં શિક્ષણ અને આરોગ્યનું ધામ થાય તે માટેનો નિર્ણય લેવાયો છે
WatchGujarat. પાટીદારોની આસ્થાનાં પ્રતીક ખોડલધામ મંદિરનાં નિર્માણને 5 વર્ષ પુરા થતા પાટોત્સવ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતનાં અનેક દિગ્ગજો વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. અને ગામેગામથી 10 હજાર એલઇડી સ્ક્રીન દ્વારા ભાવિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ તકે પોતાના સમાજ જોગ સંબોધન દરમિયાન નરેશ પટેલે દરેક ક્ષેત્રમાં સમાજનાં દિકરા-દીકરીઓને આગળ આવવા અપીલ કરી હતી. સાથે જ 20 કિમિ દૂર શિક્ષણ અને આરોગ્યધામ બનાવવાની જાહેરાત કરી હતી.
નરેશ પટેલનાં જણાવ્યા મુજબ, 2011માં એક વિચાર આવ્યો હતો. જે આધારે શક્તિ અને ભક્તિનાં સંગમ સમાન ખોડલધામ મંદિરનું નિર્માણ થયું હતું. મંદિરનાં નિર્માણ સમયે સમાજના દરેક પરિવારને એક તાંતણે બાંધવા માટે સંકલ્પ કર્યો હતો. જેને આજદિન સુધી વળગેલા છીએ. વર્ષ 2011થી ખોડલ માની પ્રસાદી સાચવીને મંદિરમાં રાખનાર ખેડૂતને યજમાનનો લાભ આપવામાં આવ્યો છે. સાહિત્ય, સંગીત, મિડિયા અને સરકારી નોકરીમાં પણ લેઉવા પટેલના સમાજના દીકરા દીકરીઓએ આગળ આવવુ જોઈએ. કોરોના દ્વારા મળેલી શીખ જીવનમાં ઉતારીએ તો કઈ ખોટું નથી.
વધુમાં તેણે કહ્યું હતું કે, સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન દ્વારા લેઉઆ પટેલ સમાજની સમસ્યા ઉકેલવા માટેનું સમાધાન પંચ કાર્યરત છે. જેના દ્વારા અત્યાર સુધીમાં 2000 કેસનું નિરાકરણ કરવામાં આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટનો સંકલ્પ છે કે, તમામ સમાજના મહાપુરુષોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. સોમનાથ ભવનનું લોકાર્પણ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે કરવામાં આવનાર છે. 2022 પછીના પ્રકલ્પો વિશે વાત કરતાં નરેશ પટેલે જણાવ્યું, અમરેલીમાં 59 એકરની જમીન ખરીદી છે. જ્યાં શિક્ષણ અને આરોગ્યનું ધામ થાય તે માટેનો નિર્ણય લેવાયો છે.
જાણો ક્યાં દિગ્ગજોએ વર્ચ્યુઅલ જોડાઈ નરેશ પટેલને શુભકામનાઓ પાઠવી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જય ખોડિયારનાં નાદ સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિત સમાજના તમામ લોકોને શુભકામનાઓ પાઠવી
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુલી જોડાઈ પાઠવી શુભકામના
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે વર્ચ્યુલી જોડાઈ પાઠવી શુભકામના
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સાંસદ પ્રફુલ પટેલે વર્ચ્યૂલી જોડાઈ પાઠવી શુભેચ્છા
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ઓનલાઇન પાઠવી શુભકામના
વિશ્વભરમાં ઠેર-ઠેરથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજ વર્ચ્યુઅલ રીતે પાટોત્સવમાં જોડાયો
દેશનાં અનેક રાજ્યોમાં ઠેર-ઠેર દિવાળી જેવો માહોલ સર્જાયો અને લાખોની સંખ્યમાં લોકોએ પાટોત્સવનો લાભ લીધો
મંદિરનાં નિર્માણ સમયે સમાજના દરેક પરિવારને એક તાંતણે બાંધવા માટે સંકલ્પ કર્યો હતો
સાહિત્ય, સંગીત, મિડિયા અને સરકારી નોકરીમાં પણ લેઉવા પટેલના સમાજના દીકરા દીકરીઓએ આગળ આવવુ જોઈએ – નરેશ પટેલ
2022 પછીના પ્રકલ્પો વિશે વાત કરતાં નરેશ પટેલે જણાવ્યું, અમરેલીમાં 59 એકરની જમીન ખરીદી છે. જ્યાં શિક્ષણ અને આરોગ્યનું ધામ થાય તે માટેનો નિર્ણય લેવાયો છે
WatchGujarat. પાટીદારોની આસ્થાનાં પ્રતીક ખોડલધામ મંદિરનાં નિર્માણને 5 વર્ષ પુરા થતા પાટોત્સવ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતનાં અનેક દિગ્ગજો વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. અને ગામેગામથી 10 હજાર એલઇડી સ્ક્રીન દ્વારા ભાવિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ તકે પોતાના સમાજ જોગ સંબોધન દરમિયાન નરેશ પટેલે દરેક ક્ષેત્રમાં સમાજનાં દિકરા-દીકરીઓને આગળ આવવા અપીલ કરી હતી. સાથે જ 20 કિમિ દૂર શિક્ષણ અને આરોગ્યધામ બનાવવાની જાહેરાત કરી હતી.
નરેશ પટેલનાં જણાવ્યા મુજબ, 2011માં એક વિચાર આવ્યો હતો. જે આધારે શક્તિ અને ભક્તિનાં સંગમ સમાન ખોડલધામ મંદિરનું નિર્માણ થયું હતું. મંદિરનાં નિર્માણ સમયે સમાજના દરેક પરિવારને એક તાંતણે બાંધવા માટે સંકલ્પ કર્યો હતો. જેને આજદિન સુધી વળગેલા છીએ. વર્ષ 2011થી ખોડલ માની પ્રસાદી સાચવીને મંદિરમાં રાખનાર ખેડૂતને યજમાનનો લાભ આપવામાં આવ્યો છે. સાહિત્ય, સંગીત, મિડિયા અને સરકારી નોકરીમાં પણ લેઉવા પટેલના સમાજના દીકરા દીકરીઓએ આગળ આવવુ જોઈએ. કોરોના દ્વારા મળેલી શીખ જીવનમાં ઉતારીએ તો કઈ ખોટું નથી.
વધુમાં તેણે કહ્યું હતું કે, સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન દ્વારા લેઉઆ પટેલ સમાજની સમસ્યા ઉકેલવા માટેનું સમાધાન પંચ કાર્યરત છે. જેના દ્વારા અત્યાર સુધીમાં 2000 કેસનું નિરાકરણ કરવામાં આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટનો સંકલ્પ છે કે, તમામ સમાજના મહાપુરુષોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. સોમનાથ ભવનનું લોકાર્પણ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે કરવામાં આવનાર છે. 2022 પછીના પ્રકલ્પો વિશે વાત કરતાં નરેશ પટેલે જણાવ્યું, અમરેલીમાં 59 એકરની જમીન ખરીદી છે. જ્યાં શિક્ષણ અને આરોગ્યનું ધામ થાય તે માટેનો નિર્ણય લેવાયો છે.