અનલોક-6માં રાત્રીના 9 થી સવારના 6 સુધી કર્ફયુનું પાલન કરવાનું રહેશે
પગપાળા કે વાહનો પર ફરનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર માટે મંજુરી આપવામાં આવી
WatchGujarat. રાજ્યમાં વધી રહેલા કોરોનાનાં સંક્રમણને રોકવા સરકારે રાત્રીનાં 9થી સવારે 6 દરમિયાન કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈને શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ, કરફ્યુ દરમિયાન પણ ગોંડલ ચોકડી ખાતેથી ગ્રીનલેન્ડ અને માધાપરથી માલિયાસણ ચોકડી વચ્ચેના રસ્તા તમામ વાહનો માટે ચાલુ રહેશે. જ્યારે એકમાત્ર કેસરી પુલ સિવાયનાં તમામ પુલ અને અંડરબ્રીજ સિવાયનાં બધા બ્રીજ બંધ રાખવામાં આવશે. સાથે જ લગ્ન પ્રસંગ માટે મંજુરી લેવી ફરજીયાત હોવાનું પણ આ જાહેરનામામાં જણાવાયું છે.
પોલીસ કમિશ્નરનાં જણાવ્યા મુજબ, અનલોક-6માં રાત્રીના 9 થી સવારના 6 સુધી કર્ફયુનું પાલન કરવાનું રહેશે. લોકોએ આ સમયમાં ઘરમાં જ રહેવાનું અને શેરી, ગલી, માર્ગો પર નિકળી શકશે નહીં. પગપાળા કે વાહનો પર ફરનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ કરફ્યુમાં સંરક્ષણ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓ, અધિકારીઓ, પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, મ્યુ. કોર્પોરેશનનાં કર્મચારીઓ, પંચાયત સેવાઓ, ફાયર એન્ડ ઇમર્જન્સી સેવા, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ, ઉપરાંત તબીબી સંસ્થાઓ, દવાઓ, ડિસ્પેન્સરીઓ, કેમિસ્ટ સહિતની આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર કરવામાં આવશે.
https://youtu.be/pdv_Pim1nE0
આ સાથે જ પ્રિન્ટ, ઇલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપરનું પરિવહન અને વિતરણ કરનારા, દૂરસંચાર, ઇન્ટરનેટ સેવાઓ, પ્રસારણ, કેબલ સેવાઓ, આઇટી આધારીત સેવાઓ, રેડક્રોસ તેમજ એટીએમ સહિતની સેવાઓમાં છુટછાટ અપાશે. અને હવાઇ માર્ગ, રેલ્વે, બસ મારફત મુસાફરોને લેવા-મુકવા માટે માન્ય ટિકીટ રજુ કરવાથી જવા દેવામાં આવશે. જો કે શહેરમાં એકમાત્ર કેસરી પુલ સિવાયના બીજા પુલ બંધ રહેશે. તેમજ અન્ડર બ્રીજ પૈકીનો એકમાત્ર મહિલા કોલેજ અન્ડરબ્રીજ જ ખુલ્લો રાખવામાં આવનાર હોવાનું પણ જાહેરનામામાં જણાવાયું છે.
અનલોક-6માં રાત્રીના 9 થી સવારના 6 સુધી કર્ફયુનું પાલન કરવાનું રહેશે
પગપાળા કે વાહનો પર ફરનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર માટે મંજુરી આપવામાં આવી
WatchGujarat. રાજ્યમાં વધી રહેલા કોરોનાનાં સંક્રમણને રોકવા સરકારે રાત્રીનાં 9થી સવારે 6 દરમિયાન કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈને શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ, કરફ્યુ દરમિયાન પણ ગોંડલ ચોકડી ખાતેથી ગ્રીનલેન્ડ અને માધાપરથી માલિયાસણ ચોકડી વચ્ચેના રસ્તા તમામ વાહનો માટે ચાલુ રહેશે. જ્યારે એકમાત્ર કેસરી પુલ સિવાયનાં તમામ પુલ અને અંડરબ્રીજ સિવાયનાં બધા બ્રીજ બંધ રાખવામાં આવશે. સાથે જ લગ્ન પ્રસંગ માટે મંજુરી લેવી ફરજીયાત હોવાનું પણ આ જાહેરનામામાં જણાવાયું છે.
પોલીસ કમિશ્નરનાં જણાવ્યા મુજબ, અનલોક-6માં રાત્રીના 9 થી સવારના 6 સુધી કર્ફયુનું પાલન કરવાનું રહેશે. લોકોએ આ સમયમાં ઘરમાં જ રહેવાનું અને શેરી, ગલી, માર્ગો પર નિકળી શકશે નહીં. પગપાળા કે વાહનો પર ફરનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ કરફ્યુમાં સંરક્ષણ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓ, અધિકારીઓ, પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, મ્યુ. કોર્પોરેશનનાં કર્મચારીઓ, પંચાયત સેવાઓ, ફાયર એન્ડ ઇમર્જન્સી સેવા, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ, ઉપરાંત તબીબી સંસ્થાઓ, દવાઓ, ડિસ્પેન્સરીઓ, કેમિસ્ટ સહિતની આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર કરવામાં આવશે.
આ સાથે જ પ્રિન્ટ, ઇલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપરનું પરિવહન અને વિતરણ કરનારા, દૂરસંચાર, ઇન્ટરનેટ સેવાઓ, પ્રસારણ, કેબલ સેવાઓ, આઇટી આધારીત સેવાઓ, રેડક્રોસ તેમજ એટીએમ સહિતની સેવાઓમાં છુટછાટ અપાશે. અને હવાઇ માર્ગ, રેલ્વે, બસ મારફત મુસાફરોને લેવા-મુકવા માટે માન્ય ટિકીટ રજુ કરવાથી જવા દેવામાં આવશે. જો કે શહેરમાં એકમાત્ર કેસરી પુલ સિવાયના બીજા પુલ બંધ રહેશે. તેમજ અન્ડર બ્રીજ પૈકીનો એકમાત્ર મહિલા કોલેજ અન્ડરબ્રીજ જ ખુલ્લો રાખવામાં આવનાર હોવાનું પણ જાહેરનામામાં જણાવાયું છે.