વેક્સીનના ડોઝ પૂરા થઈ જવાને કારણે રસીકરણ અટકી પડવાની અટકળો વહેતી થઈ હતી.
રાજ્ય સરકાર દ્વારા વેક્સિનનો વધુ જથ્થો મોકલાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં સ્ટેન્ડિંગ ચેરમેન.
Watch Gujarat. શહેરમાં વેક્સિનના ડોઝ ખતમ થવાને લઈ રસીકરણ અટકી પડવાની અટકળો વહેતી થઈ હતી. જોકે, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કર પટેલે અટકળોનો અંત લાવવા સાથે જ 18થી 45 વર્ષના માટે 25 હજાર અને 45થી વધુ ઉંમર માટે 25 હજાર મળીને હાલ વેક્સિનના કુલ 50 હજાર ડોઝ ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો છે. જેને લઈને ઓછામાં ઓછા પાંચ દિવસ સતત અને વેગવંતુ રસીકરણ થતું રહેશે તેવું જણાવ્યું છે. સાથે જ ત્યાં સુધીમાં રાજ્ય સરકાર દ્વારા વેક્સિનનો વધુ જથ્થો મોકલવામાં આવે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.
ગત તારીખ 1 મેથી રાજકોટમાં 18 થી 44 વર્ષના વય જુથ માટે વેકસીનેશનના મહા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવા વયજુથમાં વેક્સિન માટે એટલો ઉત્સાહ છે કે નોંધણી અને સ્લોટ મેળવવામાં યુવા વર્ગ વેઇટીંગમાં ઉભો છે. અને નોંધણી થયા બાદ સમય મળવાની પ્રતિક્ષા કરે છે. પરંતુ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સહિતના કારણે 50 કેન્દ્ર દીઠ 100-100ની લીમીટમાં રોજ વધુમાં વધુ પાંચ હજાર નાગરિકને રસી આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું કે, બંને વયજુથ માટે 25-25 હજાર નવા ડોઝ આવી ગયા છે. 45 વર્ષ ઉપરના વય જુથ માટે ભારત સરકારની વ્યવસ્થા મુજબ અને 45થી અંદર એટલે કે 18 થી 44 વર્ષના વયજુથ માટે ગુજરાત સરકારની વ્યવસ્થા મુજબ વેક્સિનના ડોઝ મોકલવામાં આવે છે. 45 વર્ષ ઉપરના લોકો માટે 21 આરોગ્ય કેન્દ્ર, પદ્મકુંવરબા હોસ્પિટલ, વેસ્ટ ઝોન કચેરી, સિવિલ મળી 24 કેન્દ્રો પર કામગીરી ચાલે છે. જયારે 18 થી 44 વર્ષના વય જુથ માટે 49 સ્કુલ બિલ્ડીંગ પર રસીકરણ ચાલી રહ્યું છે. બીજા ડોઝના લાભાર્થીને પ્રાથમિકતા આપવા પણ આરોગ્ય વિભાગને સુચના આપવામાં આવી છે.
હાલમાં 18 થી 44 વર્ષના વય જુથ માટે રોજ 5300 જેટલા ડોઝ અને 45 ઉપરના લોકો માટે 4400 મળી રોજ સરેરાશ 10 હજાર ડોઝ આપવાનું પ્લાનીંગ છે. ત્યારે નવા અડધો લાખ ડોઝ મળતા ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી ખુબ સરળતાથી વેકસીનેશન ચાલતુ રહેશે. રાજય સરકાર રોજેરોજના આંકડાની સમીક્ષા કરીને વેક્સિન મોકલતી રહે છે. આથી લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે વધુમાં વધુ નાગરિકો તેમનું રજિસ્ટ્રેશન કરવી વેક્સિન લે તેવી અપીલ પણ તેમણે કરી છે.
વેક્સીનના ડોઝ પૂરા થઈ જવાને કારણે રસીકરણ અટકી પડવાની અટકળો વહેતી થઈ હતી.
રાજ્ય સરકાર દ્વારા વેક્સિનનો વધુ જથ્થો મોકલાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં સ્ટેન્ડિંગ ચેરમેન.
Watch Gujarat. શહેરમાં વેક્સિનના ડોઝ ખતમ થવાને લઈ રસીકરણ અટકી પડવાની અટકળો વહેતી થઈ હતી. જોકે, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કર પટેલે અટકળોનો અંત લાવવા સાથે જ 18થી 45 વર્ષના માટે 25 હજાર અને 45થી વધુ ઉંમર માટે 25 હજાર મળીને હાલ વેક્સિનના કુલ 50 હજાર ડોઝ ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો છે. જેને લઈને ઓછામાં ઓછા પાંચ દિવસ સતત અને વેગવંતુ રસીકરણ થતું રહેશે તેવું જણાવ્યું છે. સાથે જ ત્યાં સુધીમાં રાજ્ય સરકાર દ્વારા વેક્સિનનો વધુ જથ્થો મોકલવામાં આવે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.
ગત તારીખ 1 મેથી રાજકોટમાં 18 થી 44 વર્ષના વય જુથ માટે વેકસીનેશનના મહા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવા વયજુથમાં વેક્સિન માટે એટલો ઉત્સાહ છે કે નોંધણી અને સ્લોટ મેળવવામાં યુવા વર્ગ વેઇટીંગમાં ઉભો છે. અને નોંધણી થયા બાદ સમય મળવાની પ્રતિક્ષા કરે છે. પરંતુ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સહિતના કારણે 50 કેન્દ્ર દીઠ 100-100ની લીમીટમાં રોજ વધુમાં વધુ પાંચ હજાર નાગરિકને રસી આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું કે, બંને વયજુથ માટે 25-25 હજાર નવા ડોઝ આવી ગયા છે. 45 વર્ષ ઉપરના વય જુથ માટે ભારત સરકારની વ્યવસ્થા મુજબ અને 45થી અંદર એટલે કે 18 થી 44 વર્ષના વયજુથ માટે ગુજરાત સરકારની વ્યવસ્થા મુજબ વેક્સિનના ડોઝ મોકલવામાં આવે છે. 45 વર્ષ ઉપરના લોકો માટે 21 આરોગ્ય કેન્દ્ર, પદ્મકુંવરબા હોસ્પિટલ, વેસ્ટ ઝોન કચેરી, સિવિલ મળી 24 કેન્દ્રો પર કામગીરી ચાલે છે. જયારે 18 થી 44 વર્ષના વય જુથ માટે 49 સ્કુલ બિલ્ડીંગ પર રસીકરણ ચાલી રહ્યું છે. બીજા ડોઝના લાભાર્થીને પ્રાથમિકતા આપવા પણ આરોગ્ય વિભાગને સુચના આપવામાં આવી છે.
હાલમાં 18 થી 44 વર્ષના વય જુથ માટે રોજ 5300 જેટલા ડોઝ અને 45 ઉપરના લોકો માટે 4400 મળી રોજ સરેરાશ 10 હજાર ડોઝ આપવાનું પ્લાનીંગ છે. ત્યારે નવા અડધો લાખ ડોઝ મળતા ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી ખુબ સરળતાથી વેકસીનેશન ચાલતુ રહેશે. રાજય સરકાર રોજેરોજના આંકડાની સમીક્ષા કરીને વેક્સિન મોકલતી રહે છે. આથી લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે વધુમાં વધુ નાગરિકો તેમનું રજિસ્ટ્રેશન કરવી વેક્સિન લે તેવી અપીલ પણ તેમણે કરી છે.