કાલે થયેલા 57 પૈકી માત્ર 8 મૃત્યુ કોરોનાને કારણે થયાનું કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું
જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 1815 બેડ ઉપલબ્ધ
નર્સોને છેલ્લા એક વર્ષથી આજદીન સુધી ન મળેલી રજાઓનું વળતર આપવા અથવા રજાઓ જમા કરવાનો હુકમ કરવા માંગ
રાજ્યમાં નર્સીસની ખાલી પડેલી 4000 જગ્યા તાત્કાલિક ધોરણે ભરવાની માંગ કરવામાં આવી
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. અને સાથે મૃતકોની સંખ્યામાં પણ ખાસ્સો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 38 દર્દીઓનો કોરોનાની સારવાર દરમિયાન ભોગ લેવાયો છે. તો બપોર સુધી વધુ 101 પોઝીટીવ કેસ પણ સામે આવ્યા છે. બીજી તરફ આજે નર્સિંગ-ડેનાં દિવસે જ સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફે પગાર વધારા સહિતની વિવિધ માંગને લઈને કાળી પેટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે કોવિડ વોર્ડની ડ્યુટીમાં રહેલો સ્ટાફ માનવતાની રાહે આ વિરોધમાં જોડાયો નહોતો. તો આંશિક લોક ડાઉનમાં થયેલા વધારાને કારણે ગુંદાવાડી વિસ્તારનાં વેપારીઓએ વિરોધ પ્રગટ કર્યો હતો.
રાજકોટ શહેર તેમજ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 38નો ભોગ લીધો છે. સતાવાર વિગતો અનુસાર ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 સુધીમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા શહેર અને જીલ્લાના 38 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટી કરશે. કાલે થયેલા 57 પૈકી માત્ર 8 મૃત્યુ કોરોનાને કારણે થયાનું કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે.
બીજીતરફ પોઝીટીવ કેસની સંખ્યામાં ધીમો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને બપોર સુધીમાં વધુ 101 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. મ્યુ. કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે 5 વાગ્યાથી આજે બપોરે 12 સુધીમાં કોરોનાનાં વધુ 101 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 38,325 થઈ છે. જો કે આ પૈકી 35,250 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા હાલ રિકવરી રેઈટ 92 ટકાને પાર પહોંચ્યો છે. શહેર તેમજ જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 1815 બેડ ઉપલબ્ધ હોવાનું સતાવાર યાદીમાં જણાવાયું છે.
વિશ્વ નર્સ દિવસે સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ
રાજકોટમાં વિશ્વ નર્સ દિવસે સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી બાંધીને પોતાની માંગ સાથે વિરોધ કર્યો હતો. આ તકે નર્સિંગ સ્ટાફે જણાવ્યું હતું કે, બધા અમને ટોર્ચર કરે છે, અમારી લાગણીઓનો કોઈ વિચાર કરતુ નથી. આ આંદોલનમાં જો તાત્કાલિક ન્યાય નહી મળે અને માંગ સંતોષવામાં નહીં આવે તો સ્ટાફ એક દિવસની પ્રતીક હડતાળ પર જશે. જોકે એટલું કહેતા-કહેતા નર્સિંગ સ્ટાફના એક બહેન રડી પડ્યા હતા.
નર્સિંગ સ્ટાફના કહેવા મુજબ, તેમને ગ્રેડ પે રૂ.4200 અને ખાસ ભથ્થાઓ રૂ.9600 પ્રતિ માસ મળવા જ જોઈએ. સાથે જ આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરી રૂ.35000 માસિક પગાર મેળવો જોઈએ. નર્સિંગ સ્ટુડન્ટ્સમાં ડીપ્લોમા દરમિયાન રૂ. 15000 પ્રતિમાસ સ્ટાઈપેન્ડ અને ડિગ્રી અભ્યાસમાં (બેઝિક BSC) ફાઈનલ વર્ષમાં ઈન્ટર્નશીપ દરમિયાન રૂ. 18000 પ્રતિ માસ મળવા જોઈએ. નર્સોને બે ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની જેમ 10-20-30 વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર આપવા જોઈએ. સાથે જ રાજ્યમાં નર્સીસની ખાલી પડેલી 4000 જગ્યા તાત્કાલિક ધોરણે ભરવાની માંગ કરવામાં આવી છે.
કોરોનાનાં દર્દીઓને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખીશું : નર્સિંગ સ્ટાફ
આ ઉપરાંત નર્સોને છેલ્લા એક વર્ષથી આજદીન સુધી ન મળેલી રજાઓનું વળતર આપવું જોઈએ અથવા આ રજાઓ જમા કરવાનો હુકમ કરવો જોઈએ. ફિક્સ પગારમાં ફરજો બજાવતા નર્સીસને પણ તમામ ભથ્થા સમાન દરે ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ જો મંગણીઓ નહીં સંતોષાય તો એક દિવસની પ્રતીક હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો કે માનવતાની રાહે કોવિડ વોર્ડમાં ફરજ પર રહેલો સ્ટાફ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયો નહોતો. અને આગળ પણ કોરોનાનાં દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તેની પુરી કાળજી લેવાની ખાતરી પણ નર્સિંગ સ્ટાફ દ્વારા અપાઈ છે.
18 મે પછી લોકડાઉન લંબાશે તો દુકાનો ખોલી નાખીશું : વેપારીઓ
આંશિક લોકડાઉન 18 મે સુધી લંબાતા આજે ફરી ગુંદાવાડી બજારના વેપારીઓએ વિરોધ કર્યો હતો. જેમાં વેપારીઓએ જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં મોટાભાગની દુકાનો ખુલ્લી છે, માત્ર 40 ટકા જેટલી દુકાનો જ બંધ છે. આમ કરવાથી સંક્રમણમાં ફરક આવવાની શક્યતા નહિવત છે. જ્યારે નાના-નાના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જો 18 તારીખ પછી લોકડાઉન લંબાવાશે તો દુકાનો ખોલીને ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે. સરકાર સંપૂર્ણ લોકડાઉન કરે અથવા આંશિક લોકડાઉન હટાવે તેવી માંગ વેપારીઓએ કરી છે.
કાલે થયેલા 57 પૈકી માત્ર 8 મૃત્યુ કોરોનાને કારણે થયાનું કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું
જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 1815 બેડ ઉપલબ્ધ
નર્સોને છેલ્લા એક વર્ષથી આજદીન સુધી ન મળેલી રજાઓનું વળતર આપવા અથવા રજાઓ જમા કરવાનો હુકમ કરવા માંગ
રાજ્યમાં નર્સીસની ખાલી પડેલી 4000 જગ્યા તાત્કાલિક ધોરણે ભરવાની માંગ કરવામાં આવી
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. અને સાથે મૃતકોની સંખ્યામાં પણ ખાસ્સો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 38 દર્દીઓનો કોરોનાની સારવાર દરમિયાન ભોગ લેવાયો છે. તો બપોર સુધી વધુ 101 પોઝીટીવ કેસ પણ સામે આવ્યા છે. બીજી તરફ આજે નર્સિંગ-ડેનાં દિવસે જ સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફે પગાર વધારા સહિતની વિવિધ માંગને લઈને કાળી પેટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે કોવિડ વોર્ડની ડ્યુટીમાં રહેલો સ્ટાફ માનવતાની રાહે આ વિરોધમાં જોડાયો નહોતો. તો આંશિક લોક ડાઉનમાં થયેલા વધારાને કારણે ગુંદાવાડી વિસ્તારનાં વેપારીઓએ વિરોધ પ્રગટ કર્યો હતો.
રાજકોટ શહેર તેમજ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 38નો ભોગ લીધો છે. સતાવાર વિગતો અનુસાર ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 સુધીમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા શહેર અને જીલ્લાના 38 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટી કરશે. કાલે થયેલા 57 પૈકી માત્ર 8 મૃત્યુ કોરોનાને કારણે થયાનું કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે.
બીજીતરફ પોઝીટીવ કેસની સંખ્યામાં ધીમો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને બપોર સુધીમાં વધુ 101 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. મ્યુ. કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે 5 વાગ્યાથી આજે બપોરે 12 સુધીમાં કોરોનાનાં વધુ 101 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 38,325 થઈ છે. જો કે આ પૈકી 35,250 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા હાલ રિકવરી રેઈટ 92 ટકાને પાર પહોંચ્યો છે. શહેર તેમજ જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 1815 બેડ ઉપલબ્ધ હોવાનું સતાવાર યાદીમાં જણાવાયું છે.
વિશ્વ નર્સ દિવસે સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ
રાજકોટમાં વિશ્વ નર્સ દિવસે સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી બાંધીને પોતાની માંગ સાથે વિરોધ કર્યો હતો. આ તકે નર્સિંગ સ્ટાફે જણાવ્યું હતું કે, બધા અમને ટોર્ચર કરે છે, અમારી લાગણીઓનો કોઈ વિચાર કરતુ નથી. આ આંદોલનમાં જો તાત્કાલિક ન્યાય નહી મળે અને માંગ સંતોષવામાં નહીં આવે તો સ્ટાફ એક દિવસની પ્રતીક હડતાળ પર જશે. જોકે એટલું કહેતા-કહેતા નર્સિંગ સ્ટાફના એક બહેન રડી પડ્યા હતા.
નર્સિંગ સ્ટાફના કહેવા મુજબ, તેમને ગ્રેડ પે રૂ.4200 અને ખાસ ભથ્થાઓ રૂ.9600 પ્રતિ માસ મળવા જ જોઈએ. સાથે જ આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરી રૂ.35000 માસિક પગાર મેળવો જોઈએ. નર્સિંગ સ્ટુડન્ટ્સમાં ડીપ્લોમા દરમિયાન રૂ. 15000 પ્રતિમાસ સ્ટાઈપેન્ડ અને ડિગ્રી અભ્યાસમાં (બેઝિક BSC) ફાઈનલ વર્ષમાં ઈન્ટર્નશીપ દરમિયાન રૂ. 18000 પ્રતિ માસ મળવા જોઈએ. નર્સોને બે ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની જેમ 10-20-30 વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર આપવા જોઈએ. સાથે જ રાજ્યમાં નર્સીસની ખાલી પડેલી 4000 જગ્યા તાત્કાલિક ધોરણે ભરવાની માંગ કરવામાં આવી છે.
કોરોનાનાં દર્દીઓને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખીશું : નર્સિંગ સ્ટાફ
આ ઉપરાંત નર્સોને છેલ્લા એક વર્ષથી આજદીન સુધી ન મળેલી રજાઓનું વળતર આપવું જોઈએ અથવા આ રજાઓ જમા કરવાનો હુકમ કરવો જોઈએ. ફિક્સ પગારમાં ફરજો બજાવતા નર્સીસને પણ તમામ ભથ્થા સમાન દરે ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ જો મંગણીઓ નહીં સંતોષાય તો એક દિવસની પ્રતીક હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો કે માનવતાની રાહે કોવિડ વોર્ડમાં ફરજ પર રહેલો સ્ટાફ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયો નહોતો. અને આગળ પણ કોરોનાનાં દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તેની પુરી કાળજી લેવાની ખાતરી પણ નર્સિંગ સ્ટાફ દ્વારા અપાઈ છે.
18 મે પછી લોકડાઉન લંબાશે તો દુકાનો ખોલી નાખીશું : વેપારીઓ
આંશિક લોકડાઉન 18 મે સુધી લંબાતા આજે ફરી ગુંદાવાડી બજારના વેપારીઓએ વિરોધ કર્યો હતો. જેમાં વેપારીઓએ જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં મોટાભાગની દુકાનો ખુલ્લી છે, માત્ર 40 ટકા જેટલી દુકાનો જ બંધ છે. આમ કરવાથી સંક્રમણમાં ફરક આવવાની શક્યતા નહિવત છે. જ્યારે નાના-નાના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જો 18 તારીખ પછી લોકડાઉન લંબાવાશે તો દુકાનો ખોલીને ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે. સરકાર સંપૂર્ણ લોકડાઉન કરે અથવા આંશિક લોકડાઉન હટાવે તેવી માંગ વેપારીઓએ કરી છે.