બે નરાધમોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યાની ઘટના સામે આવી
પોલીસે બન્ને આરોપી વિરૂધ્ધ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, પોક્સો અને ખૂનની ધમકી સહિતની કલમ મુજબ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી
ઘર નજીક આવેલા સ્મશાનમાં લઇ જઇને દુષ્કૃત્ય આચરનારાઓની શોધખોળ શરૂ કરાઇ
રાજકોટ : શહેરનાં છેવાડાનાં વિસ્તારમાં રહેતા 11 અને 13 વર્ષના બે બાળકો ઉપર તેમના જ વિસ્તારમાં રહેતા બે નરાધમોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યાની ઘટના સામે આવી છે. આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને આરોપી વિરૂધ્ધ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, પોક્સો અને ખૂનની ધમકી સહિતની કલમ મુજબ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
ધૃણાસ્પદ બનાવની બનાવની જાણવા મળતી વિગત મુજબ, નવા રાજકોટના છેવાડાના વિસ્તારમાં રહેતા બે પરિવારના 11 અને 13 વર્ષના પુત્ર અનુક્રમે ધોરણ 6 અને 8માં અભ્યાસ કરે છે. છેલ્લા એક પખવાડિયાથી બન્ને ગુમસુમ રહેતા હતા અને ચહેરા ઉપર ભય જોવા મળી રહ્યો હતો. એટલું જ નહીં ઘરની બહાર નિકળતા પણ ડરતા હોઈ પરિવારજનોએ અનેક વખત પૂછપરછ કરી હતી. જેમાં આખરે માસુમોએ પોતાની આપવીતી જણાવી હતી. જે સાંભળી પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.
બંને બાળકોએ જણાવ્યું હતું કે, ગત 28 સપ્ટેમ્બરનાં બપોરે ઘર પાસે હતા. ત્યારે આ જ વિસ્તારમાં રહેતા પ્રશાંત સુરેશ સોલંકી અને કિરણ રમેશ સોલંકી આવ્યા હતા. અને ધાક, ધમકી આપી જોકીયા હનુમાનજીનાં મંદિર પાસે સ્મશાન નજીક લઇ ગયા હતા. અને બાદમાં નરાધમોએ વારાફરતી બંને ઉપર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતું. એટલું જ નહીં આ અંગે કોઈને વાત કરવા પર જાનથી મારવાની ધમકી પણ આપી હતી.
આરોપીઓનાં ડરને કારણે બંને બાળકો ચુપ રહ્યા હતા. જેને લઈ બંને નરાધમોની હિંમત વધી હતી. અને દસેક દિવસ પછી બંને આરોપીએ ફરી વખત એ જ સ્થળે લઇ જઇ કુકર્મ કર્યું હતું. અને ધમકી આપી બાઇક પર નાસી છૂટ્યા હતા. બાળકોની આ આપવીતી સાંભળી પરિવારે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે ગુનો નોંધી હાલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
- બે નરાધમોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યાની ઘટના સામે આવી
- પોલીસે બન્ને આરોપી વિરૂધ્ધ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, પોક્સો અને ખૂનની ધમકી સહિતની કલમ મુજબ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી
- ઘર નજીક આવેલા સ્મશાનમાં લઇ જઇને દુષ્કૃત્ય આચરનારાઓની શોધખોળ શરૂ કરાઇ
રાજકોટ : શહેરનાં છેવાડાનાં વિસ્તારમાં રહેતા 11 અને 13 વર્ષના બે બાળકો ઉપર તેમના જ વિસ્તારમાં રહેતા બે નરાધમોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યાની ઘટના સામે આવી છે. આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને આરોપી વિરૂધ્ધ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, પોક્સો અને ખૂનની ધમકી સહિતની કલમ મુજબ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
ધૃણાસ્પદ બનાવની બનાવની જાણવા મળતી વિગત મુજબ, નવા રાજકોટના છેવાડાના વિસ્તારમાં રહેતા બે પરિવારના 11 અને 13 વર્ષના પુત્ર અનુક્રમે ધોરણ 6 અને 8માં અભ્યાસ કરે છે. છેલ્લા એક પખવાડિયાથી બન્ને ગુમસુમ રહેતા હતા અને ચહેરા ઉપર ભય જોવા મળી રહ્યો હતો. એટલું જ નહીં ઘરની બહાર નિકળતા પણ ડરતા હોઈ પરિવારજનોએ અનેક વખત પૂછપરછ કરી હતી. જેમાં આખરે માસુમોએ પોતાની આપવીતી જણાવી હતી. જે સાંભળી પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.
બંને બાળકોએ જણાવ્યું હતું કે, ગત 28 સપ્ટેમ્બરનાં બપોરે ઘર પાસે હતા. ત્યારે આ જ વિસ્તારમાં રહેતા પ્રશાંત સુરેશ સોલંકી અને કિરણ રમેશ સોલંકી આવ્યા હતા. અને ધાક, ધમકી આપી જોકીયા હનુમાનજીનાં મંદિર પાસે સ્મશાન નજીક લઇ ગયા હતા. અને બાદમાં નરાધમોએ વારાફરતી બંને ઉપર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતું. એટલું જ નહીં આ અંગે કોઈને વાત કરવા પર જાનથી મારવાની ધમકી પણ આપી હતી.
આરોપીઓનાં ડરને કારણે બંને બાળકો ચુપ રહ્યા હતા. જેને લઈ બંને નરાધમોની હિંમત વધી હતી. અને દસેક દિવસ પછી બંને આરોપીએ ફરી વખત એ જ સ્થળે લઇ જઇ કુકર્મ કર્યું હતું. અને ધમકી આપી બાઇક પર નાસી છૂટ્યા હતા. બાળકોની આ આપવીતી સાંભળી પરિવારે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે ગુનો નોંધી હાલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.