Watchgujarat. રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદ ખેંચાઈ જતા આજી-ન્યારી ડેમ સહિતનાં મુખ્ય જળાશયોનાં તળિયા દેખાયા છે. ત્યારે શહેરીજનોની મુશ્કેલી વધે નહીં તેના માટે ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ રાજકોટનાં પનોતા પુત્ર અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને શરણે પહોંચ્યા છે. જેમાં શહેરના મેયર ડોકટર પ્રદીપ ડવે પત્ર લખીને CM રૂપાણી પાસે સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આપવાની માંગ કરી છે. બીજીતરફ તેમને આ બદલ અભિનંદન આપતા પૂર્વ વિપક્ષ નેતા અને વોર્ડ નંબર 15નાં કોર્પોરેટર વશરામ સાગઠિયાએ પણ CM ને નર્મદાનું પાણી આપવા વિનંતી કરી છે.
જાણો મેયર ડો. પ્રદીપ ડવે મુખ્યમંત્રીને પત્રમાં શું કહ્યું
મેયર ડો.પ્રદીપ ડવે CMને પત્ર લખી સૌની યોજનાથી 150 MCFT પાણીનો જથ્થો આપવા માગણી કરી છે. અને પત્રમાં લખ્યું છે કે, રાજકોટને દરરોજ 20 મિનીટ પીવાનું પાણી પુરૂ પાડતા આજી-1, ન્યારી-1, ભાદર-1 ડેમમાં લગભગ 20થી 25 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. 930 MCFTની ક્ષમતાવાળા આજીમાં 225 MCTF, 1248 MCFT ક્ષમતાવાળા ન્યારી-1માં 329 MCFT પાણી છે. બંને ડેમમાંથી રોજ રાજકોટ માટે અનુક્રમે 125 અને 60 MLD પાણી ઉપાડવામાં આવે છે.
બીજીતરફ જિલ્લાને પાણી પુરૂ પાડતા વિશાળ 6640 MCFT ક્ષમતાનાં ભાદર-1 ડેમમાં હવે 1390 MCFT પાણી છે. અને તેમાંથી રોજ 45 MLD પાણીનો ઉપાડ કરવામાં આવે છે. આ રીતે આજી - ન્યારીમાં અંદાજે 25-25 ટકા અને ભાદરમાં 20 ટકા જથ્થો બચ્યો છે. રાજકોટ માટે ત્રણેય ડેમમાંથી 230 MLD પાણી ઉપાડવામાં આવે છે. રાજકોટને રોજ 20 મિનrટ પાણી પુરૂ પાડવા કુલ 355 MLD પાણીની જરૂર છે. તે પૈકી 125 MLD પાણી નર્મદા પાઇપલાઇન યોજના હેઠળ બેડી તથા ન્યારા ઓફ ટેક ખાતે મેળવવામાં આવે છે. આજી ડેમમાં તા. 31/7 સુધીમાં માત્ર 120 MCFT પાણી બચવાનું છે. ડેડ વોટરમાંથી પાણી ખેંચવામાં આવે તો રોજ 65 MLD પાણી મળે તેમ છે.
જો કે વરસાદ ન આવે અને ડેમનું લેવલ સતત ઘટતું જાય તો 20 મિનીટ પાણી વિતરણની વ્યવસ્થા પર અસર થાય તેમ છે. હાલ ઓગસ્ટ મહિનાનાં અંત સુધી ચાલે તેટલું જ પાણી છે. જો વરસાદ ખેંચાય તો રોજ 20 મિનીટ જ પાણી વિતરણ કરવું મુશ્કેલ બની શકે તેમ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા 150 MCFT પાણીનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી હોય આ માટે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી છે.
પૂર્વ વિપક્ષ નેતા અને કોંગી કોર્પોરેટરે CMને વિનંતી કરી મનપાનો કાન આમળ્યો
પાણી મુદ્દે વાત કરતા પૂર્વ વિપક્ષ નેતા અને વોર્ડ નંબર 15નાં કોંગ્રેસનાં કોર્પોરેટર વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે, મેયરે મુખ્યમંત્રીને પાણી મુદ્દે પત્ર લખ્યો તેને હું બિરદાવું છું. સાથે રાજકોટનાં પનોતા પુત્ર હોવાનાં નાતે તેમને પણ મારી વિનંતી છે કે, રાજકોટને નર્મદાનું પાણી આપે. પાણી મુદ્દે કોઈપણ રાજકારણ થવું ન જોઈએ. આજે મેં આજીડેમની મુલાકાત લીધી, ડેમમાં પણ 3 ફૂટ કરતા નીચુ પાણી છે. જે પાણીની અછત દર્શાવે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, હાલ વોર્ડ નંબર 4માં પીવાનું પાણી સમયસર આવતું નથી અને જ્યાં આવે છે, ત્યાં ડહોળું પાણી આવે છે. ત્યારે મનપાએ આ સમસ્યાનો જલ્દી ઉકેલ લાવવો જોઈએ. શહેરમાં નાગરિકો દ્વારા પાણીનો વેરો ભરવામાં આવે છે. છતાં પણ લોકોને પૂરતું પાણી મળતું નથી. હવે જો મનપા સરકારને પાણીનો વેરો નહીં પહોંચાડે તો કોંગ્રેસ મનપા પાસેથી પાણીના પૈસા ઉઘરાવીને સરકારને પહોંચાડવાની જવાબદારી સ્વીકારવા તૈયાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.
Watchgujarat. રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદ ખેંચાઈ જતા આજી-ન્યારી ડેમ સહિતનાં મુખ્ય જળાશયોનાં તળિયા દેખાયા છે. ત્યારે શહેરીજનોની મુશ્કેલી વધે નહીં તેના માટે ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ રાજકોટનાં પનોતા પુત્ર અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને શરણે પહોંચ્યા છે. જેમાં શહેરના મેયર ડોકટર પ્રદીપ ડવે પત્ર લખીને CM રૂપાણી પાસે સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આપવાની માંગ કરી છે. બીજીતરફ તેમને આ બદલ અભિનંદન આપતા પૂર્વ વિપક્ષ નેતા અને વોર્ડ નંબર 15નાં કોર્પોરેટર વશરામ સાગઠિયાએ પણ CM ને નર્મદાનું પાણી આપવા વિનંતી કરી છે.
મેયર ડો.પ્રદીપ ડવે CMને પત્ર લખી સૌની યોજનાથી 150 MCFT પાણીનો જથ્થો આપવા માગણી કરી છે. અને પત્રમાં લખ્યું છે કે, રાજકોટને દરરોજ 20 મિનીટ પીવાનું પાણી પુરૂ પાડતા આજી-1, ન્યારી-1, ભાદર-1 ડેમમાં લગભગ 20થી 25 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. 930 MCFTની ક્ષમતાવાળા આજીમાં 225 MCTF, 1248 MCFT ક્ષમતાવાળા ન્યારી-1માં 329 MCFT પાણી છે. બંને ડેમમાંથી રોજ રાજકોટ માટે અનુક્રમે 125 અને 60 MLD પાણી ઉપાડવામાં આવે છે.
બીજીતરફ જિલ્લાને પાણી પુરૂ પાડતા વિશાળ 6640 MCFT ક્ષમતાનાં ભાદર-1 ડેમમાં હવે 1390 MCFT પાણી છે. અને તેમાંથી રોજ 45 MLD પાણીનો ઉપાડ કરવામાં આવે છે. આ રીતે આજી - ન્યારીમાં અંદાજે 25-25 ટકા અને ભાદરમાં 20 ટકા જથ્થો બચ્યો છે. રાજકોટ માટે ત્રણેય ડેમમાંથી 230 MLD પાણી ઉપાડવામાં આવે છે. રાજકોટને રોજ 20 મિનrટ પાણી પુરૂ પાડવા કુલ 355 MLD પાણીની જરૂર છે. તે પૈકી 125 MLD પાણી નર્મદા પાઇપલાઇન યોજના હેઠળ બેડી તથા ન્યારા ઓફ ટેક ખાતે મેળવવામાં આવે છે. આજી ડેમમાં તા. 31/7 સુધીમાં માત્ર 120 MCFT પાણી બચવાનું છે. ડેડ વોટરમાંથી પાણી ખેંચવામાં આવે તો રોજ 65 MLD પાણી મળે તેમ છે.
જો કે વરસાદ ન આવે અને ડેમનું લેવલ સતત ઘટતું જાય તો 20 મિનીટ પાણી વિતરણની વ્યવસ્થા પર અસર થાય તેમ છે. હાલ ઓગસ્ટ મહિનાનાં અંત સુધી ચાલે તેટલું જ પાણી છે. જો વરસાદ ખેંચાય તો રોજ 20 મિનીટ જ પાણી વિતરણ કરવું મુશ્કેલ બની શકે તેમ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા 150 MCFT પાણીનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી હોય આ માટે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી છે.
પૂર્વ વિપક્ષ નેતા અને કોંગી કોર્પોરેટરે CMને વિનંતી કરી મનપાનો કાન આમળ્યો
પાણી મુદ્દે વાત કરતા પૂર્વ વિપક્ષ નેતા અને વોર્ડ નંબર 15નાં કોંગ્રેસનાં કોર્પોરેટર વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે, મેયરે મુખ્યમંત્રીને પાણી મુદ્દે પત્ર લખ્યો તેને હું બિરદાવું છું. સાથે રાજકોટનાં પનોતા પુત્ર હોવાનાં નાતે તેમને પણ મારી વિનંતી છે કે, રાજકોટને નર્મદાનું પાણી આપે. પાણી મુદ્દે કોઈપણ રાજકારણ થવું ન જોઈએ. આજે મેં આજીડેમની મુલાકાત લીધી, ડેમમાં પણ 3 ફૂટ કરતા નીચુ પાણી છે. જે પાણીની અછત દર્શાવે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, હાલ વોર્ડ નંબર 4માં પીવાનું પાણી સમયસર આવતું નથી અને જ્યાં આવે છે, ત્યાં ડહોળું પાણી આવે છે. ત્યારે મનપાએ આ સમસ્યાનો જલ્દી ઉકેલ લાવવો જોઈએ. શહેરમાં નાગરિકો દ્વારા પાણીનો વેરો ભરવામાં આવે છે. છતાં પણ લોકોને પૂરતું પાણી મળતું નથી. હવે જો મનપા સરકારને પાણીનો વેરો નહીં પહોંચાડે તો કોંગ્રેસ મનપા પાસેથી પાણીના પૈસા ઉઘરાવીને સરકારને પહોંચાડવાની જવાબદારી સ્વીકારવા તૈયાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.