પોપટ પરિવાર દ્વારા પોતાની વ્હાલુડીનાં વધામણાં કરવાની અનોખી રીતને લોકો વખાણી રહ્યા છે
લાડકવાયીનાં ચહેરા પર સ્મિત કાયમી અકબંધ જળવાઈ રહે તે માટે રુદ્રીનાં પિતા પોતાનો પૂરો પગાર વ્હાલુડીનાં વધામણાં માટે રામ ચરિત માનસની વહેંચણી કરવામાં ખર્ચ કરશે
જો કાયમી માટે કોઈનું જીવન મધુર બનાવવા તેમજ તેમના સબંધોમાં મીઠાશ કાયમી પથરાઈ રહે તે પ્રકારના હેતુ સાથે અમે રામચરિત માનસ વહેચવાનું નક્કી કર્યું - માતા હિમાની બેન પોપટ
WatchGujarat. શહેરમાં રહેતા પોપટ પરિવાર દ્વારા પુત્રીનાં જન્મની અનોખી ઉજવણી કરવામાં આવી છે. પોપટ પરિવારે પુત્રીનાં જન્મનાં નિમિતે મીઠાઈઓ વહેંચવાને બદલે PM અને CMથી લઈને સ્નેહીજનોને રામચરિત માનસની ભેંટ આપવાનો અનોખો નિર્ણય કર્યો છે. આ માટે નવજાત રુદ્રીનાં પિતાએ પોતાની એક મહિનાની સેલેરી ખર્ચી નાખવાનું નક્કી કર્યું છે. પરિવારમાં પુત્ર કે પુત્રીનાં જન્મ સમયે સામાન્ય રીતે લોકો મીઠાઈ વહેંચી મોં મીઠા કરાવતા હોય છે. ત્યારે પોપટ પરિવારે દ્વારા પોતાની વ્હાલુડીનાં વધામણાં કરવાની અનોખી રીતને લોકો વખાણી રહ્યા છે.
આ અંગે નવજાત રુદ્રીની માતા હિમાની બેન પોપટે કહ્યું હતું કે, મીઠાઈઓ વહેંચવાથી થોડીક ક્ષણો માટે કોઈના મોં મીઠા કરી શકાય છે. પરંતુ જો કાયમી માટે કોઈનું જીવન મધુર બનાવવા તેમજ તેમના સબંધોમાં મીઠાશ કાયમી પથરાઈ રહે તે પ્રકારના હેતુ સાથે અમે રામચરિત માનસ વહેચવાનું નક્કી કર્યું છે. રામચરિત માનસના વાંચન થકી જ વ્યક્તિના જીવનમાં મહત્વનું પરિવર્તન આવે છે. આજે જ્યારે વિભક્ત કુટુંબની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. ત્યારે પારિવારિક સંબંધો જેવા કે, સાસુ-સસરા, સસરા-જમાઈ તેમજ બાપ દીકરીના સંબંધો કેવા હોવા જોઈએ તે બાબતનો તલસ્પર્શી ખ્યાલ રામચરિત માનસ દ્વારા જ આવતો હોવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમજ આ માટે રામચરિત માનસ આપવાનો નિર્ણય તેઓનાં પરિવારે લીધો હોવાનું પણ જણાવ્યું હતું.
પિતા-પુત્રીનો સંબંધ અનોખો ગણાય છે. તેમજ એક પિતા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરે છે. લાડકવાયીનાં ચહેરા પર સ્મિત કાયમી અકબંધ જળવાઈ રહે તે માટે રુદ્રીનાં પિતા પોતાનો પૂરો પગાર વ્હાલુડીનાં વધામણાં માટે રામ ચરિત માનસની વહેંચણી કરવામાં ખર્ચ કરશે. જેમાં રાજકોટ જિલ્લા જેલ, શહેર પોલીસ કમિશ્નરની કચેરીમાં આવેલ લાઇબ્રેરીથી માંડી શહેરભરનાં તમામ પોલીસ સ્ટેશનમાં આવેલ લાઇબ્રેરી તેમજ જુદી જુદી સંસ્થાઓની લાઇબ્રેરીમાં રામચરિત માનસ આપવામાં આવશે. સાથે જ પોતાના સ્નેહીજનો મિત્ર વર્તુળ અને ધાર્મિક સંસ્થાનો ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલથી લઇ વડાપ્રધાનનાં કાર્યાલય સુધી પણ રામચરિત માનસ મોકલાવવામાં આવનાર છે.
પોપટ પરિવાર દ્વારા પોતાની વ્હાલુડીનાં વધામણાં કરવાની અનોખી રીતને લોકો વખાણી રહ્યા છે
લાડકવાયીનાં ચહેરા પર સ્મિત કાયમી અકબંધ જળવાઈ રહે તે માટે રુદ્રીનાં પિતા પોતાનો પૂરો પગાર વ્હાલુડીનાં વધામણાં માટે રામ ચરિત માનસની વહેંચણી કરવામાં ખર્ચ કરશે
જો કાયમી માટે કોઈનું જીવન મધુર બનાવવા તેમજ તેમના સબંધોમાં મીઠાશ કાયમી પથરાઈ રહે તે પ્રકારના હેતુ સાથે અમે રામચરિત માનસ વહેચવાનું નક્કી કર્યું - માતા હિમાની બેન પોપટ
WatchGujarat. શહેરમાં રહેતા પોપટ પરિવાર દ્વારા પુત્રીનાં જન્મની અનોખી ઉજવણી કરવામાં આવી છે. પોપટ પરિવારે પુત્રીનાં જન્મનાં નિમિતે મીઠાઈઓ વહેંચવાને બદલે PM અને CMથી લઈને સ્નેહીજનોને રામચરિત માનસની ભેંટ આપવાનો અનોખો નિર્ણય કર્યો છે. આ માટે નવજાત રુદ્રીનાં પિતાએ પોતાની એક મહિનાની સેલેરી ખર્ચી નાખવાનું નક્કી કર્યું છે. પરિવારમાં પુત્ર કે પુત્રીનાં જન્મ સમયે સામાન્ય રીતે લોકો મીઠાઈ વહેંચી મોં મીઠા કરાવતા હોય છે. ત્યારે પોપટ પરિવારે દ્વારા પોતાની વ્હાલુડીનાં વધામણાં કરવાની અનોખી રીતને લોકો વખાણી રહ્યા છે.
આ અંગે નવજાત રુદ્રીની માતા હિમાની બેન પોપટે કહ્યું હતું કે, મીઠાઈઓ વહેંચવાથી થોડીક ક્ષણો માટે કોઈના મોં મીઠા કરી શકાય છે. પરંતુ જો કાયમી માટે કોઈનું જીવન મધુર બનાવવા તેમજ તેમના સબંધોમાં મીઠાશ કાયમી પથરાઈ રહે તે પ્રકારના હેતુ સાથે અમે રામચરિત માનસ વહેચવાનું નક્કી કર્યું છે. રામચરિત માનસના વાંચન થકી જ વ્યક્તિના જીવનમાં મહત્વનું પરિવર્તન આવે છે. આજે જ્યારે વિભક્ત કુટુંબની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. ત્યારે પારિવારિક સંબંધો જેવા કે, સાસુ-સસરા, સસરા-જમાઈ તેમજ બાપ દીકરીના સંબંધો કેવા હોવા જોઈએ તે બાબતનો તલસ્પર્શી ખ્યાલ રામચરિત માનસ દ્વારા જ આવતો હોવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમજ આ માટે રામચરિત માનસ આપવાનો નિર્ણય તેઓનાં પરિવારે લીધો હોવાનું પણ જણાવ્યું હતું.
પિતા-પુત્રીનો સંબંધ અનોખો ગણાય છે. તેમજ એક પિતા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરે છે. લાડકવાયીનાં ચહેરા પર સ્મિત કાયમી અકબંધ જળવાઈ રહે તે માટે રુદ્રીનાં પિતા પોતાનો પૂરો પગાર વ્હાલુડીનાં વધામણાં માટે રામ ચરિત માનસની વહેંચણી કરવામાં ખર્ચ કરશે. જેમાં રાજકોટ જિલ્લા જેલ, શહેર પોલીસ કમિશ્નરની કચેરીમાં આવેલ લાઇબ્રેરીથી માંડી શહેરભરનાં તમામ પોલીસ સ્ટેશનમાં આવેલ લાઇબ્રેરી તેમજ જુદી જુદી સંસ્થાઓની લાઇબ્રેરીમાં રામચરિત માનસ આપવામાં આવશે. સાથે જ પોતાના સ્નેહીજનો મિત્ર વર્તુળ અને ધાર્મિક સંસ્થાનો ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલથી લઇ વડાપ્રધાનનાં કાર્યાલય સુધી પણ રામચરિત માનસ મોકલાવવામાં આવનાર છે.