મેયર ડૉ.પ્રદીપ ડવ અને વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, વશરામ સાગઠિયા સહિતનાએ આંતરિક સહમતિ સાધીને આ નિર્ણય લીધો
સામાન્ય રીતે જનરલ બોર્ડની કાર્યવાહી એક કલાક સુધી ચાલતી હોય છે
જનરલ બોર્ડ પહેલાં જ ભાજપના ચાર નગરસેવકો કોરોનાગ્રસ્ત
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેમાં તાજેતરમાં 4 કોર્પોરેટરો પણ સંક્રમિત થયા છે. ત્યારે કાલે મળનાર જનરલ બોર્ડમાં ઇતિહાસમાં પ્રથમ વખત જનરલ બોર્ડમાં પ્રશ્નોતરી જ રદ્દ કરવામાં આવી છે. જો કે કોર્પોરેટરો એકઠા થશે અને વંદેમાતરમ બાદ બોર્ડની દરખાસ્તો અંગે નિર્ણય લઈ મિનિટોમાં જ કાર્યવાહી પુરી કરી લેવામાં આવશે. માત્ર 5-10 મિનિટ ચાલનારી આ કાર્યવાહી માટે પણ બોર્ડરૂમને લગભગ અડધો કલાક સેનેટાઈઝ પણ કરવામાં આવ્યો છે.
આજે મેયર ડૉ.પ્રદીપ ડવ અને વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, વશરામ સાગઠિયા સહિતનાએ આંતરિક સહમતિ સાધીને આ નિર્ણય લીધો છે. જે અંતર્ગત આવતીકાલના બોર્ડમાં પ્રશ્નોત્તરી કરવાની જગ્યાએ માત્ર વંદેમાતરમ્ ગાન અને એજન્ડામાં રહેલી દરખાસ્તો અંગે નિર્ણય લઈને બોર્ડની કાર્યવાહી સમાપ્ત જાહેર કરી દેવામાં આવશે. જ્યારે જનરલ બોર્ડ અંતર્ગત નગરસેવકો દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ તેમને લેખિતમાં આપી દેવામાં આવનાર હોવાનું પણ નક્કી કરી લેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, સામાન્ય રીતે જનરલ બોર્ડની કાર્યવાહી એક કલાક સુધી ચાલતી હોય છે. જો કે પહેલા અથવા બીજા પ્રશ્નથી બન્ને પક્ષોના નગરસેવકો વચ્ચે બઘડાટી શરૂ થઈ જતી હોય છે અને ડાયસ સુધી નગરસેવકો ધસી આવતા હોય છે. ત્યારે જો કાલે આવું થાય તો કોરોના વિસ્ફોટ થવાની પૂરી સંભાવના રહેલી હોવાથી સાવધાનીના ભાગરૂપે કાલે જનરલ બોર્ડને પાંચ-દસ મિનિટમાં આટોપી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલાં બીજી લહેર વખતે દર બે મહિને મળતું જનરલ બોર્ડ સરકારની મંજૂરીથી મોકુફ રાખવામાં આવ્યું હતું. જ્યારે ત્રીજી લહેરની અસર પણ તેના ઉપર પડી હોય તેવી રીતે કાલે બોર્ડ મળશે જરૂર પરંતુ તેમાં પ્રશ્નોત્તરી કરવામાં આવશે નહીં.
જનરલ બોર્ડ પહેલાં જ ભાજપના ચાર નગરસેવકો કોરોનાગ્રસ્ત
આવતીકાલે મહાપાલિકાનું જનરલ બોર્ડ મળે તે પહેલાં જ ભાજપના ચાર નગરસેવકો કોરોનાગ્રસ્ત થઈ જવા પામ્યા છે. જે કોર્પોરેટર કોરોનાગ્રસ્ત થયા છે. તેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને આશાબેન ઉપાધ્યાય (વોર્ડ નં.9), ભારતીબેન પાડલિયા (વોર્ડ નં.11) ઉપરાંત જયમીન ઠાકર (વોર્ડ નં.2)નો સમાવેશ થાય છે.
જનરલ બોર્ડના એજન્ડામાં સમાવિષ્ટ દરખાસ્તો
મહાપાલિકાની આખરી નગર રચના યોજના નં.4 રૈયાના ‘હોસ્પિટલ’ના હેતુ માટેના અનામ પ્લોટ નં.407નો ‘વાણિજ્ય વેચાણ’ના હેતુમાં હેતુફેર કરવા
સરકાર દ્વારા સુચવાયેલા જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિના રચના કરવા
વોર્ડ નં.6માં શીતળા માતાના મંદિર, પાંજરાપોળ પાસે આવેલું સુલભ શૌચાલય દૂર કરવા
એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્સ અંગેની કામગીરી કરવા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ ધ્યાન પર લેવા
મહાપાલિકામાં મેડિકલ ઑફિસર ઑફ હેલ્થની જગ્યા પર નિમણૂક કરવા
સિટી એન્જિનિયરની જગ્યા પર નિમણૂક કરવા
- મેયર ડૉ.પ્રદીપ ડવ અને વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, વશરામ સાગઠિયા સહિતનાએ આંતરિક સહમતિ સાધીને આ નિર્ણય લીધો
- સામાન્ય રીતે જનરલ બોર્ડની કાર્યવાહી એક કલાક સુધી ચાલતી હોય છે
- જનરલ બોર્ડ પહેલાં જ ભાજપના ચાર નગરસેવકો કોરોનાગ્રસ્ત
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેમાં તાજેતરમાં 4 કોર્પોરેટરો પણ સંક્રમિત થયા છે. ત્યારે કાલે મળનાર જનરલ બોર્ડમાં ઇતિહાસમાં પ્રથમ વખત જનરલ બોર્ડમાં પ્રશ્નોતરી જ રદ્દ કરવામાં આવી છે. જો કે કોર્પોરેટરો એકઠા થશે અને વંદેમાતરમ બાદ બોર્ડની દરખાસ્તો અંગે નિર્ણય લઈ મિનિટોમાં જ કાર્યવાહી પુરી કરી લેવામાં આવશે. માત્ર 5-10 મિનિટ ચાલનારી આ કાર્યવાહી માટે પણ બોર્ડરૂમને લગભગ અડધો કલાક સેનેટાઈઝ પણ કરવામાં આવ્યો છે.
આજે મેયર ડૉ.પ્રદીપ ડવ અને વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, વશરામ સાગઠિયા સહિતનાએ આંતરિક સહમતિ સાધીને આ નિર્ણય લીધો છે. જે અંતર્ગત આવતીકાલના બોર્ડમાં પ્રશ્નોત્તરી કરવાની જગ્યાએ માત્ર વંદેમાતરમ્ ગાન અને એજન્ડામાં રહેલી દરખાસ્તો અંગે નિર્ણય લઈને બોર્ડની કાર્યવાહી સમાપ્ત જાહેર કરી દેવામાં આવશે. જ્યારે જનરલ બોર્ડ અંતર્ગત નગરસેવકો દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ તેમને લેખિતમાં આપી દેવામાં આવનાર હોવાનું પણ નક્કી કરી લેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, સામાન્ય રીતે જનરલ બોર્ડની કાર્યવાહી એક કલાક સુધી ચાલતી હોય છે. જો કે પહેલા અથવા બીજા પ્રશ્નથી બન્ને પક્ષોના નગરસેવકો વચ્ચે બઘડાટી શરૂ થઈ જતી હોય છે અને ડાયસ સુધી નગરસેવકો ધસી આવતા હોય છે. ત્યારે જો કાલે આવું થાય તો કોરોના વિસ્ફોટ થવાની પૂરી સંભાવના રહેલી હોવાથી સાવધાનીના ભાગરૂપે કાલે જનરલ બોર્ડને પાંચ-દસ મિનિટમાં આટોપી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલાં બીજી લહેર વખતે દર બે મહિને મળતું જનરલ બોર્ડ સરકારની મંજૂરીથી મોકુફ રાખવામાં આવ્યું હતું. જ્યારે ત્રીજી લહેરની અસર પણ તેના ઉપર પડી હોય તેવી રીતે કાલે બોર્ડ મળશે જરૂર પરંતુ તેમાં પ્રશ્નોત્તરી કરવામાં આવશે નહીં.
જનરલ બોર્ડ પહેલાં જ ભાજપના ચાર નગરસેવકો કોરોનાગ્રસ્ત
આવતીકાલે મહાપાલિકાનું જનરલ બોર્ડ મળે તે પહેલાં જ ભાજપના ચાર નગરસેવકો કોરોનાગ્રસ્ત થઈ જવા પામ્યા છે. જે કોર્પોરેટર કોરોનાગ્રસ્ત થયા છે. તેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને આશાબેન ઉપાધ્યાય (વોર્ડ નં.9), ભારતીબેન પાડલિયા (વોર્ડ નં.11) ઉપરાંત જયમીન ઠાકર (વોર્ડ નં.2)નો સમાવેશ થાય છે.
જનરલ બોર્ડના એજન્ડામાં સમાવિષ્ટ દરખાસ્તો
- મહાપાલિકાની આખરી નગર રચના યોજના નં.4 રૈયાના ‘હોસ્પિટલ’ના હેતુ માટેના અનામ પ્લોટ નં.407નો ‘વાણિજ્ય વેચાણ’ના હેતુમાં હેતુફેર કરવા
- સરકાર દ્વારા સુચવાયેલા જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિના રચના કરવા
- વોર્ડ નં.6માં શીતળા માતાના મંદિર, પાંજરાપોળ પાસે આવેલું સુલભ શૌચાલય દૂર કરવા
- એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્સ અંગેની કામગીરી કરવા
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ ધ્યાન પર લેવા
- મહાપાલિકામાં મેડિકલ ઑફિસર ઑફ હેલ્થની જગ્યા પર નિમણૂક કરવા
- સિટી એન્જિનિયરની જગ્યા પર નિમણૂક કરવા