21 વર્ષીય મનોદિવ્યાંગ યુવક સાથે તેના પિતાએ પણ કોરોનાને હરાવ્યો.
હોસ્પિટલમાં અગવડોની ઉહાપોહ સામે આશાસ્પદ કિસ્સાઓ.
Watch Gujarat. કોરોના દર્દીઓને હોસ્પિટલ્સમાં અગવડો પડતી હોવાનાં ઉહાપોહ વચ્ચે અનેક દર્દીઓ સ્વસ્થ થતાં હોવાના આશાસ્પદ કિસ્સાઓ પણ સામે આવતાં હોય છે. શહેરની સમરસ કોવિડ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યાં છે, જેમાં 21 વર્ષીય મનોદિવ્યાંગ યુવક અને તેના પિતાનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઓક્સિજન લેવલ 73 સુધી ઘટી ગયા બાદ હોસ્પિટલમાં 7 દિવસની સારવાર લઈને તે સ્વસ્થ થયો છે.
21 વર્ષના મનોદિવ્યાંગ યુવક પાર્થ આણંદપરાનાં પિતા અમોલભાઈ કહે છે કે,પાર્થ અમારૂ એકનું એક સંતાન છે. જન્મ સમયથી જ પાર્થ મનોદિવ્યાંગ છે. તેને બે દિવસથી તાવ આવતો હતો. તાવની દવા લીધી. પણ ઉતર્યો નહીં. પછી કોરોના ટેસ્ટ કરાવ્યો તો તે પોઝીટીવ આવ્યો છે. ઉપરાંત પાર્થનો સિટિ સ્કેન પણ કરાવવામાં આવ્યો. ઘરે દસ દિવસ કોરોનાની સારવાર લીધી પરંતુ પાર્થની તબિયતમાં સુધારો થવાના બદલે શ્વાસની તકલીફ શરૂ થઇ. ઓકિસજન લેવલ 75થી73 સુધી ઘટી ગયુ. એટલે રાતોરાત સમરસના કોરોના સેન્ટરમાં દાખલ કરવો પડયો.
પાર્થ મનોદિવ્યાંગ હોઇ તેની સંભાળ માટે મારે સતત ઘરમાં પણ તેની સાથે જ રહેવુ પડતું હતું. જેથી મને પણ કોરોના હતો. સમરસમાં ઓકિસજન અપાયો. નિયમિત દવાઓ અને ઇંજેકશન અપાયા. સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થતાં અમને પિતા પુત્રને રજા અપાઇ. આજ અમે બંનેસંપૂર્ણ સ્વસ્થ છીએ. તેનો યશ સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરના ફાળે જાય છે. જો ત્યાં સમયસર સારવાર ન મળી હોત તો મારા પુત્રની સ્થિતિ વધુ બગડી શકી હોત. કોરોનાનું સંક્રમણ વધ્યુ હોત.’
નોંધનીય છેકે, અમોલભાઇ અને તેના પત્ની સ્પેશ્યલ એજયુકેટર છે. દંપતિએ બીએડ સ્પેશ્યલ એજયુકેટર તરીકે કર્યુ હતું. જેના થકી તેઓ મનોદિવ્યાંગ બાળકોને પોતાના ઘરે જ રિહેબિટેશન સેન્ટરમાં તાલીમ આપે છે. તેમજ મનો દિવ્યાંગ બાળકો માટે કામ કરતી પ્રયાસ સંસ્થામાં પણ દંપતિ તેમની સેવા આપે છે. સરકારી સારવારના અનુભવ વિશે અમોલભાઇએ કહ્યું હતું કે, જો હું ખાનગી હોસ્પિટલમાં સારવાર લેત તો અમારે ખર્ચ અને ભોજનની ચિંતા રહેત. અમારી સમયસરની યોગ્ય સારવાર માટે અમે સરકારી હોસ્પિટલના ડોકટરો, નર્સ, અટેન્ડન્ટ, કલીનીંગ સ્ટાફ વગેરેના આભારી છીએ.
21 વર્ષીય મનોદિવ્યાંગ યુવક સાથે તેના પિતાએ પણ કોરોનાને હરાવ્યો.
હોસ્પિટલમાં અગવડોની ઉહાપોહ સામે આશાસ્પદ કિસ્સાઓ.
Watch Gujarat. કોરોના દર્દીઓને હોસ્પિટલ્સમાં અગવડો પડતી હોવાનાં ઉહાપોહ વચ્ચે અનેક દર્દીઓ સ્વસ્થ થતાં હોવાના આશાસ્પદ કિસ્સાઓ પણ સામે આવતાં હોય છે. શહેરની સમરસ કોવિડ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યાં છે, જેમાં 21 વર્ષીય મનોદિવ્યાંગ યુવક અને તેના પિતાનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઓક્સિજન લેવલ 73 સુધી ઘટી ગયા બાદ હોસ્પિટલમાં 7 દિવસની સારવાર લઈને તે સ્વસ્થ થયો છે.
21 વર્ષના મનોદિવ્યાંગ યુવક પાર્થ આણંદપરાનાં પિતા અમોલભાઈ કહે છે કે,પાર્થ અમારૂ એકનું એક સંતાન છે. જન્મ સમયથી જ પાર્થ મનોદિવ્યાંગ છે. તેને બે દિવસથી તાવ આવતો હતો. તાવની દવા લીધી. પણ ઉતર્યો નહીં. પછી કોરોના ટેસ્ટ કરાવ્યો તો તે પોઝીટીવ આવ્યો છે. ઉપરાંત પાર્થનો સિટિ સ્કેન પણ કરાવવામાં આવ્યો. ઘરે દસ દિવસ કોરોનાની સારવાર લીધી પરંતુ પાર્થની તબિયતમાં સુધારો થવાના બદલે શ્વાસની તકલીફ શરૂ થઇ. ઓકિસજન લેવલ 75થી73 સુધી ઘટી ગયુ. એટલે રાતોરાત સમરસના કોરોના સેન્ટરમાં દાખલ કરવો પડયો.
પાર્થ મનોદિવ્યાંગ હોઇ તેની સંભાળ માટે મારે સતત ઘરમાં પણ તેની સાથે જ રહેવુ પડતું હતું. જેથી મને પણ કોરોના હતો. સમરસમાં ઓકિસજન અપાયો. નિયમિત દવાઓ અને ઇંજેકશન અપાયા. સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થતાં અમને પિતા પુત્રને રજા અપાઇ. આજ અમે બંનેસંપૂર્ણ સ્વસ્થ છીએ. તેનો યશ સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરના ફાળે જાય છે. જો ત્યાં સમયસર સારવાર ન મળી હોત તો મારા પુત્રની સ્થિતિ વધુ બગડી શકી હોત. કોરોનાનું સંક્રમણ વધ્યુ હોત.’
નોંધનીય છેકે, અમોલભાઇ અને તેના પત્ની સ્પેશ્યલ એજયુકેટર છે. દંપતિએ બીએડ સ્પેશ્યલ એજયુકેટર તરીકે કર્યુ હતું. જેના થકી તેઓ મનોદિવ્યાંગ બાળકોને પોતાના ઘરે જ રિહેબિટેશન સેન્ટરમાં તાલીમ આપે છે. તેમજ મનો દિવ્યાંગ બાળકો માટે કામ કરતી પ્રયાસ સંસ્થામાં પણ દંપતિ તેમની સેવા આપે છે. સરકારી સારવારના અનુભવ વિશે અમોલભાઇએ કહ્યું હતું કે, જો હું ખાનગી હોસ્પિટલમાં સારવાર લેત તો અમારે ખર્ચ અને ભોજનની ચિંતા રહેત. અમારી સમયસરની યોગ્ય સારવાર માટે અમે સરકારી હોસ્પિટલના ડોકટરો, નર્સ, અટેન્ડન્ટ, કલીનીંગ સ્ટાફ વગેરેના આભારી છીએ.