ફી નિર્ધારણ કમિટી સમક્ષ આ શાળાઓએ વર્ષ 2019-2021 બાદ ફી વધારાની માંગ મુકી
શાળાઓ કોરાનાના કારણે મુશ્કેલીમાં છે. છેલ્લા બે વર્ષથી શાળાઓએ ફી વધારો કર્યો નથી - ડી વી મહેતા
છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. અને ત્રીજી લહેર ઓછી ઘાતક હોવાનું સામે આવ્યું છે
WatchGujarat. કોરોનાની ત્રીજી લહેરને કારણે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. તેવા સમયમાં જ ફી નિર્ધારણ કમિટી સમક્ષ સૌરાષ્ટ્ર ઝોનની શાળાઓએ ફી વધારા માટેની માંગ કરી છે. સાથે જ ઓફલાઇન શિક્ષણ પણ ફરી શરૂ કરવા અપીલ કરી છે. મહત્ત્વની વાત એ છે કે ફી નિર્ધારણ સમિટીએ સંખ્યાબંધ સ્કૂલોની ફી વધારા માટેની માગણી સ્વીકારી લીધી છે.
જાણવા મળતી વિગત મુજબ, ફી નિર્ધારણ કમિટી સમક્ષ આ શાળાઓએ વર્ષ 2019-2021 બાદ ફી વધારાની માંગ મુકી હતી. જેમાં કમિટી દ્રારા રૂ. 15 હજારથી ઓછી ફી હોય તેવી 3500 શાળાઓની સમિક્ષા કરવામાં આવી હતી. આ પૈકી 1500થી વધુ શાળાઓનો 5થી 10 ટકા સુધીનો ફી વધારો મંજુર કરાયો છે. આગામી નવા સત્રથી આ ફી વધારો લાગુ થશે. જોકે હજુ પણ સત્ર ફી 15 હજારથી વધારે હોય તેવી શાળાઓની સમિક્ષા બાકી છે.
આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના પ્રમુખ ડી વી મહેતાએ કહ્યું હતું કે, શાળાઓ કોરાનાના કારણે મુશ્કેલીમાં છે. છેલ્લા બે વર્ષથી શાળાઓએ ફી વધારો કર્યો નથી અને અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. તેમાં પણ એક વર્ષ રાજ્ય સરકાર દ્રારા 25 ટકા ફી માફી આપવામાં આવી અને ફી ચૂકવણીમાં વાલીઓએ સમય લગાડ્યો છે. ત્યારે આવા સમયે ફી વઘારો કરવો ખૂબ જ જરૂરી છે. કોરોનાના સમયમાં શાળાઓએ ઓનલાઇન શિક્ષણ આપ્યું જ છે ત્યારે શિક્ષકોને પણ હવે પગાર વધારો આપવો પડે છે. ત્યારે શાળાઓને ટકાવી રાખવા માટે ઓછામાં ઓછો 10 ટકા વધારો આપવો ખુબ જ જરૂરી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. અને ત્રીજી લહેર ઓછી ઘાતક હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શાળા ફરી શરૂ કરવાની માંગ કરી છે. આ અંગે જણાવતા ડી. વી મહેતાએ કહ્યું હતું કે કોરોનાની સ્થિતિને જોતા અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓફલાઇન શિક્ષણ શરૂ કરવું જોઇએ. શિક્ષણમંત્રી સમક્ષ હાલ 1 ફેબ્રુઆરીથી 6થી 9 ધોરણ અને 15 ફેબ્રુઆરીથી 1થી 5 ધોરણ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
ફી નિર્ધારણ કમિટી સમક્ષ આ શાળાઓએ વર્ષ 2019-2021 બાદ ફી વધારાની માંગ મુકી
શાળાઓ કોરાનાના કારણે મુશ્કેલીમાં છે. છેલ્લા બે વર્ષથી શાળાઓએ ફી વધારો કર્યો નથી - ડી વી મહેતા
છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. અને ત્રીજી લહેર ઓછી ઘાતક હોવાનું સામે આવ્યું છે
WatchGujarat. કોરોનાની ત્રીજી લહેરને કારણે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. તેવા સમયમાં જ ફી નિર્ધારણ કમિટી સમક્ષ સૌરાષ્ટ્ર ઝોનની શાળાઓએ ફી વધારા માટેની માંગ કરી છે. સાથે જ ઓફલાઇન શિક્ષણ પણ ફરી શરૂ કરવા અપીલ કરી છે. મહત્ત્વની વાત એ છે કે ફી નિર્ધારણ સમિટીએ સંખ્યાબંધ સ્કૂલોની ફી વધારા માટેની માગણી સ્વીકારી લીધી છે.
જાણવા મળતી વિગત મુજબ, ફી નિર્ધારણ કમિટી સમક્ષ આ શાળાઓએ વર્ષ 2019-2021 બાદ ફી વધારાની માંગ મુકી હતી. જેમાં કમિટી દ્રારા રૂ. 15 હજારથી ઓછી ફી હોય તેવી 3500 શાળાઓની સમિક્ષા કરવામાં આવી હતી. આ પૈકી 1500થી વધુ શાળાઓનો 5થી 10 ટકા સુધીનો ફી વધારો મંજુર કરાયો છે. આગામી નવા સત્રથી આ ફી વધારો લાગુ થશે. જોકે હજુ પણ સત્ર ફી 15 હજારથી વધારે હોય તેવી શાળાઓની સમિક્ષા બાકી છે.
આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના પ્રમુખ ડી વી મહેતાએ કહ્યું હતું કે, શાળાઓ કોરાનાના કારણે મુશ્કેલીમાં છે. છેલ્લા બે વર્ષથી શાળાઓએ ફી વધારો કર્યો નથી અને અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. તેમાં પણ એક વર્ષ રાજ્ય સરકાર દ્રારા 25 ટકા ફી માફી આપવામાં આવી અને ફી ચૂકવણીમાં વાલીઓએ સમય લગાડ્યો છે. ત્યારે આવા સમયે ફી વઘારો કરવો ખૂબ જ જરૂરી છે. કોરોનાના સમયમાં શાળાઓએ ઓનલાઇન શિક્ષણ આપ્યું જ છે ત્યારે શિક્ષકોને પણ હવે પગાર વધારો આપવો પડે છે. ત્યારે શાળાઓને ટકાવી રાખવા માટે ઓછામાં ઓછો 10 ટકા વધારો આપવો ખુબ જ જરૂરી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. અને ત્રીજી લહેર ઓછી ઘાતક હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શાળા ફરી શરૂ કરવાની માંગ કરી છે. આ અંગે જણાવતા ડી. વી મહેતાએ કહ્યું હતું કે કોરોનાની સ્થિતિને જોતા અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓફલાઇન શિક્ષણ શરૂ કરવું જોઇએ. શિક્ષણમંત્રી સમક્ષ હાલ 1 ફેબ્રુઆરીથી 6થી 9 ધોરણ અને 15 ફેબ્રુઆરીથી 1થી 5 ધોરણ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.