શહેરમાં કુલ 4000 જેટલી પાનની દુકાનો આવી છે. એસો. સાથે જોડાયેલી 1100 જેટલી દુકાનો શનિ-રવિ બંધ રાખવામાં આવનાર છે.
પાન ગલ્લાનાં 1000થી પણ વધારે વેપારીઓ અને ખ્યાતનામ જ્વેલર્સ અને જુદા-જુદા 30 જેટલા વેપારી એસોસિએશને આ જાહેરાતને ટેકો
WatchGujarat. આજરોજ રાજ્યનાં સીએમ વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે લોકોને સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરી હતી. જેના કલાકોમાં જ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ પાન એસો. એ શનિ-રવિ સ્વૈચ્છિક રીતે ધંધા બંધ રાખી લોકડાઉનની જાહેરાત કરી છે. પાન ગલ્લાનાં 1000થી પણ વધારે વેપારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સ તેમજ પેલેસ રોડ પરના ખ્યાતનામ જ્વેલર્સ અને જુદા-જુદા 30 જેટલા વેપારી એસોસિએશને આ જાહેરાતને ટેકો આપતા શનિ-રવિ હજારો દુકાનો બંધ રહેશે.
આ અંગે રાજકોટ પાન એસો.ના પ્રમુખ પિયુષભાઇ સીતાપરાએ જણાવ્યું હતું કે, શહેરમાં સતત વધતા સંક્રમણને અટકાવવા માટે પાન એસોસિએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉનનો આ નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં કુલ 4000 જેટલી પાનની દુકાનો આવી છે. એસો. સાથે જોડાયેલી 1100 જેટલી દુકાનો શનિ-રવિ બંધ રાખવામાં આવનાર છે. આ તકે કોઈપણ પેનિક વિના સહકાર આપવાની અપીલ પણ તેમણે કરી છે.
બીજીતરફ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, સતત વધતા કોરોના સંક્રમણને લઈ અગાઉ સ્વૈચ્છિક લોકડાઉનની વાત કરવામાં આવી હતી. જે અંતર્ગત વિવિધ વેપારી એસો. સાથે ચર્ચા કર્યા બાદ શનિવારે અને રવિવારે તમામ વેપાર-ધંધાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને આવતીકાલે સવારથી રવિવારે સાંજ સુધી વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને કોરોનાની ચેઈન તોડવામાં મદદરૂપ બનશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણથી બચવા રાજકોટ જિલ્લાના લોધીકાનું ખીરસરા ગામ સવારનાં 10 થી 5 બંધ તેમજ સાંજનાં 8 પછી સદંતર બંધ જાહેર કરાયું છે. આ ઉપરાંત ગોંડલના અનિડા-જામવાડી ગામે પણ 10 દિવસનું આંશિક લોકડાઉન જાહેર કર્યું છે. ત્યાં સવાર-સાંજ બે કલાક સુધી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે ગામ ખુલ્લું રહેશે. અને બાકીના સમયમાં સજ્જડ બંધ પાળવામાં આવશે. સાથે જ ફેરિયાઓ માટે પ્રવેશબંધ રાખવામાં આવ્યો છે.
શહેરમાં કુલ 4000 જેટલી પાનની દુકાનો આવી છે. એસો. સાથે જોડાયેલી 1100 જેટલી દુકાનો શનિ-રવિ બંધ રાખવામાં આવનાર છે.
પાન ગલ્લાનાં 1000થી પણ વધારે વેપારીઓ અને ખ્યાતનામ જ્વેલર્સ અને જુદા-જુદા 30 જેટલા વેપારી એસોસિએશને આ જાહેરાતને ટેકો
WatchGujarat.આજરોજ રાજ્યનાં સીએમ વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે લોકોને સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરી હતી. જેના કલાકોમાં જ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ પાન એસો. એ શનિ-રવિ સ્વૈચ્છિક રીતે ધંધા બંધ રાખી લોકડાઉનની જાહેરાત કરી છે. પાન ગલ્લાનાં 1000થી પણ વધારે વેપારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સ તેમજ પેલેસ રોડ પરના ખ્યાતનામ જ્વેલર્સ અને જુદા-જુદા 30 જેટલા વેપારી એસોસિએશને આ જાહેરાતને ટેકો આપતા શનિ-રવિ હજારો દુકાનો બંધ રહેશે.
આ અંગે રાજકોટ પાન એસો.ના પ્રમુખ પિયુષભાઇ સીતાપરાએ જણાવ્યું હતું કે, શહેરમાં સતત વધતા સંક્રમણને અટકાવવા માટે પાન એસોસિએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉનનો આ નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં કુલ 4000 જેટલી પાનની દુકાનો આવી છે. એસો. સાથે જોડાયેલી 1100 જેટલી દુકાનો શનિ-રવિ બંધ રાખવામાં આવનાર છે. આ તકે કોઈપણ પેનિક વિના સહકાર આપવાની અપીલ પણ તેમણે કરી છે.
બીજીતરફ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, સતત વધતા કોરોના સંક્રમણને લઈ અગાઉ સ્વૈચ્છિક લોકડાઉનની વાત કરવામાં આવી હતી. જે અંતર્ગત વિવિધ વેપારી એસો. સાથે ચર્ચા કર્યા બાદ શનિવારે અને રવિવારે તમામ વેપાર-ધંધાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને આવતીકાલે સવારથી રવિવારે સાંજ સુધી વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને કોરોનાની ચેઈન તોડવામાં મદદરૂપ બનશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણથી બચવા રાજકોટ જિલ્લાના લોધીકાનું ખીરસરા ગામ સવારનાં 10 થી 5 બંધ તેમજ સાંજનાં 8 પછી સદંતર બંધ જાહેર કરાયું છે. આ ઉપરાંત ગોંડલના અનિડા-જામવાડી ગામે પણ 10 દિવસનું આંશિક લોકડાઉન જાહેર કર્યું છે. ત્યાં સવાર-સાંજ બે કલાક સુધી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે ગામ ખુલ્લું રહેશે. અને બાકીના સમયમાં સજ્જડ બંધ પાળવામાં આવશે. સાથે જ ફેરિયાઓ માટે પ્રવેશબંધ રાખવામાં આવ્યો છે.