કર્મકાંડી બ્રાહ્મણ કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ પોતાના યુવાન પુત્ર અંકિત અને પુત્રી કૃપાલીને કોરોનાની દવા છે તેમ કહી ઝેરી દવા પીવડાવી
સાટાખત કરવાના દિવસે પૈસા તો તમને આપી દીધા છે, કહી ઠગાઇ કરતાં કમલેશભાઇ મરવા અને સંતાનોને મારવા મજબૂર થયા
મામલે પહેલા પુત્ર, પછી પિતા કમલેશભાઇ અને બાદમાં પુત્રીનું પણ મોત થયું
સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશ ટીમ (સિટ) માં અધ્યક્ષ સ્થાને ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા રહેશે
WatchGujarat. શહેરનાં નાનામૌવા રોડ નજીક સામુહિક આપઘાતનો મામલો સામે આવ્યો હતો. જેમાં પિતાએ કોરોનાની દવા હોવાનું કહી પુત્ર અને પુત્રીને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ ગટગટાવી લીધી હતી. જેમાં સારવાર દરમિયાન ત્રણેયના મોત નિપજ્યા હતા. આ મામલે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા 'સીટ'ની રચના કરવામાં આવી છે. આ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)નાં અધ્યક્ષ તરીકે ડીસીપી મનોહરસિંહ જાડેજા, સભ્ય તરીકે એસીપી જે.એસ.ગેડમ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલ દ્વારા તપાસ આગળ વધારવામાં આવશે. આ ગુનાની ગંભીરતાને લઈ પોલીસ કમિશ્નર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજકોટનાં નાનામૌવા રોડ પર અજમેરા શાસ્ત્રીનગર સામે આવેલા શિવમ્ પાર્ક-2માં રહેતાં કર્મકાંડી બ્રાહ્મણ કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ પોતાના યુવાન પુત્ર અંકિત અને પુત્રી કૃપાલીને કોરોનાની દવા છે તેમ કહી ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી હતી. જેમાં પહેલા પુત્ર, પછી પિતા કમલેશભાઇ અને બાદમાં પુત્રીનું પણ મોત થયું હતું.
આ બનાવમાં તાલુકા પોલીસે મૃતક કમલેશભાઇના ભાઇ કાનજીભાઇ લાબડીયાની ફરિયાદ પરથી તાલુકા એડ્વોકેટ આર. ડી. વોરા અને દિલીપ જીવરાજભાઇ કોરાટ સામે આઇપીસી 306, 406, 384, 114, અને 120-બી મુજબ ગુનો નોંધ્યો હતો. આ બંનેએ કાવત્રુ કરી 1.29 કરોડમાં કમલેશભાઈનાં મકાનનો સોદો કરી સુથીના રૂ. 51 હજાર અને બીજા 20 લાખ ચુકવીને બાકીના સાટાખત વખતે આપવાનો વાયદો કર્યો હતો.
જોકે બાદમાં સાટાખત કરવાના દિવસે પૈસા તો તમને આપી દીધા છે, કહી ઠગાઇ કરતાં કમલેશભાઇ મરવા અને સંતાનોને મારવા મજબૂર થયા હતા. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે તલસ્પર્શી તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશ ટીમ (સિટ)ની રચના કરી છે. જેમાં અધ્યક્ષ સ્થાને ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા રહેશે. એસીપી જે. એસ. ગેડમ તથા એસઓજી પીઆઇ આર. વાય. રાવલ અને તેમની ટીમ ઉંડાણ પુર્વકની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરશે.
કર્મકાંડી બ્રાહ્મણ કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ પોતાના યુવાન પુત્ર અંકિત અને પુત્રી કૃપાલીને કોરોનાની દવા છે તેમ કહી ઝેરી દવા પીવડાવી
સાટાખત કરવાના દિવસે પૈસા તો તમને આપી દીધા છે, કહી ઠગાઇ કરતાં કમલેશભાઇ મરવા અને સંતાનોને મારવા મજબૂર થયા
મામલે પહેલા પુત્ર, પછી પિતા કમલેશભાઇ અને બાદમાં પુત્રીનું પણ મોત થયું
WatchGujarat. શહેરનાં નાનામૌવા રોડ નજીક સામુહિક આપઘાતનો મામલો સામે આવ્યો હતો. જેમાં પિતાએ કોરોનાની દવા હોવાનું કહી પુત્ર અને પુત્રીને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ ગટગટાવી લીધી હતી. જેમાં સારવાર દરમિયાન ત્રણેયના મોત નિપજ્યા હતા. આ મામલે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા 'સીટ'ની રચના કરવામાં આવી છે. આ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)નાં અધ્યક્ષ તરીકે ડીસીપી મનોહરસિંહ જાડેજા, સભ્ય તરીકે એસીપી જે.એસ.ગેડમ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલ દ્વારા તપાસ આગળ વધારવામાં આવશે. આ ગુનાની ગંભીરતાને લઈ પોલીસ કમિશ્નર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજકોટનાં નાનામૌવા રોડ પર અજમેરા શાસ્ત્રીનગર સામે આવેલા શિવમ્ પાર્ક-2માં રહેતાં કર્મકાંડી બ્રાહ્મણ કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ પોતાના યુવાન પુત્ર અંકિત અને પુત્રી કૃપાલીને કોરોનાની દવા છે તેમ કહી ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી હતી. જેમાં પહેલા પુત્ર, પછી પિતા કમલેશભાઇ અને બાદમાં પુત્રીનું પણ મોત થયું હતું.
આ બનાવમાં તાલુકા પોલીસે મૃતક કમલેશભાઇના ભાઇ કાનજીભાઇ લાબડીયાની ફરિયાદ પરથી તાલુકા એડ્વોકેટ આર. ડી. વોરા અને દિલીપ જીવરાજભાઇ કોરાટ સામે આઇપીસી 306, 406, 384, 114, અને 120-બી મુજબ ગુનો નોંધ્યો હતો. આ બંનેએ કાવત્રુ કરી 1.29 કરોડમાં કમલેશભાઈનાં મકાનનો સોદો કરી સુથીના રૂ. 51 હજાર અને બીજા 20 લાખ ચુકવીને બાકીના સાટાખત વખતે આપવાનો વાયદો કર્યો હતો.
જોકે બાદમાં સાટાખત કરવાના દિવસે પૈસા તો તમને આપી દીધા છે, કહી ઠગાઇ કરતાં કમલેશભાઇ મરવા અને સંતાનોને મારવા મજબૂર થયા હતા. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે તલસ્પર્શી તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશ ટીમ (સિટ)ની રચના કરી છે. જેમાં અધ્યક્ષ સ્થાને ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા રહેશે. એસીપી જે. એસ. ગેડમ તથા એસઓજી પીઆઇ આર. વાય. રાવલ અને તેમની ટીમ ઉંડાણ પુર્વકની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરશે.