2016માં મહાનગરપાલિકાએ ભરતભાઇને એક બંજર પ્લોટ ફાળવ્યો હતો
અમારો આ ઓક્સિજન પાર્ક બનાવવા પાછળનો હેતુ એટલો જ છે કે લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે અને કોઈ બીમાર પડે નહીં – ભરતભાઇ
સ્માર્ટ સિટીની સાથે ગ્રીન સિટી બનાવવાનો પોતાનો અને તેની ટીમનો ઉદ્દેશ હોઈ રંગીલું રાજકોટ હરિયાળું બને એ માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે
WatchGujarat. કોરોનાનાં કપરાકાળમાં લોકો ઓક્સિજનનાં મહત્વથી સારી રીતે વાકેફ થયા છે. ત્યારે શહેરમાં પુરા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તેવો એક ખાસ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં હાર્ટ બ્લોકેજને ખોલી નાખતા છોડ સહિત 3 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પાર્ક 'ઓક્સિજન પાર્ક' નામથી પ્રચલિત થયો છે. અને મોટી સંખ્યામાં લોકો શુદ્ધ ઓક્સિજન લેવા માટે અહીં આવી રહ્યા છે.
રાજકોટનાં કાલાવડ રોડ પાસે આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે વૃક્ષપ્રેમી ભરતભાઈ સુરેજાએ ઓક્સિજન પાર્કનું નિર્માણ કર્યું છે. 2016માં મહાનગરપાલિકાએ ભરતભાઇને એક બંજર પ્લોટ ફાળવ્યો હતો. તેમજ વૃક્ષોનાં વાવેતરની મંજૂરી આપી હતી. ભરતભાઇએ આ બંજર પ્લોટની 1 એકર જગ્યામાં 3000 જેટલાં વૃક્ષોનું વાવેતર કરી હરિયાળો ઓક્સિજન પાર્ક ઉભો કરી દીધો છે.
નેચર એન્ડ એડવેન્ચર ક્લબના પ્રમુખ ભરતભાઇએ જણાવ્યું હતું કે, 2016માં 115 જાતિનાં 3 હજાર વૃક્ષો અમે વાવ્યા છે. અમારો આ ઓક્સિજન પાર્ક બનાવવા પાછળનો હેતુ એટલો જ છે કે લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે અને કોઈ બીમાર પડે નહીં. ઓક્સિજન પાર્કમાં ઔષધિય છોડ પણ વાવ્યા છે. હાર્ટ બ્લોક થઇ જાય તો એ છોડ બ્લોક ખોલી દે એવા છોડ વાવ્યા છે. કોરોનામાંથી સાજા થયેલા લોકો અહીં આવે છે તો તેમને પણ ઘણીબધી રાહત મળી છે
વધુમાં તેમણે કહ્યું હતું કે, સ્વાસ્થ્યની સુખાકારીમાં પર્યાવરણનો બહોળો ફાળો રહેલો છે, જેને લઈને જ અહીં અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઓક્સિજન પાર્કમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં થયું છે. રાજકોટને સ્માર્ટ સિટીની સાથે ગ્રીન સિટી બનાવવાનો પોતાનો અને તેની ટીમનો ઉદ્દેશ હોઈ રંગીલું રાજકોટ હરિયાળું બને એ માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. હાલ મારા માતા-પિતા સહિત મોટી સંખ્યામાં કોરોનામાંથી સાજા થયેલા લોકો અહીં શુદ્ધ ઓક્સિજન મેળવવા પહોંચી જાય છે.
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે લોકો પર્યાવરણની જાળવણી કરે એનું મહત્ત્વ સમજે એ પણ ખૂબ જ અગત્યનું છે. રાજકોટ પ્રદૂષણ રેટમાં આગળ હોય છે. ત્યારે કંઈ રીતે એને પ્રદૂષણમુક્ત બનાવી ગ્રીન સિટી તરફ લઈ જવું એવો વિચાર આવ્યો હતો. જેને લઈને તેમણે ઓક્સિજન પાર્ક બનાવ્યો હોવાનું જણાવતા રાજકોટને હરિયાળું બનાવવા હજુ પણ ઘણીબધી જગ્યાએ આ રીતે ઓક્સિજન પાર્ક ઊભા કરવાનું પોતાનું આયોજન હોવાનું પણ તેમણે કહ્યું હતું.
2016માં મહાનગરપાલિકાએ ભરતભાઇને એક બંજર પ્લોટ ફાળવ્યો હતો
અમારો આ ઓક્સિજન પાર્ક બનાવવા પાછળનો હેતુ એટલો જ છે કે લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે અને કોઈ બીમાર પડે નહીં – ભરતભાઇ
સ્માર્ટ સિટીની સાથે ગ્રીન સિટી બનાવવાનો પોતાનો અને તેની ટીમનો ઉદ્દેશ હોઈ રંગીલું રાજકોટ હરિયાળું બને એ માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે
WatchGujarat. કોરોનાનાં કપરાકાળમાં લોકો ઓક્સિજનનાં મહત્વથી સારી રીતે વાકેફ થયા છે. ત્યારે શહેરમાં પુરા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તેવો એક ખાસ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં હાર્ટ બ્લોકેજને ખોલી નાખતા છોડ સહિત 3 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પાર્ક 'ઓક્સિજન પાર્ક' નામથી પ્રચલિત થયો છે. અને મોટી સંખ્યામાં લોકો શુદ્ધ ઓક્સિજન લેવા માટે અહીં આવી રહ્યા છે.
રાજકોટનાં કાલાવડ રોડ પાસે આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે વૃક્ષપ્રેમી ભરતભાઈ સુરેજાએ ઓક્સિજન પાર્કનું નિર્માણ કર્યું છે. 2016માં મહાનગરપાલિકાએ ભરતભાઇને એક બંજર પ્લોટ ફાળવ્યો હતો. તેમજ વૃક્ષોનાં વાવેતરની મંજૂરી આપી હતી. ભરતભાઇએ આ બંજર પ્લોટની 1 એકર જગ્યામાં 3000 જેટલાં વૃક્ષોનું વાવેતર કરી હરિયાળો ઓક્સિજન પાર્ક ઉભો કરી દીધો છે.
નેચર એન્ડ એડવેન્ચર ક્લબના પ્રમુખ ભરતભાઇએ જણાવ્યું હતું કે, 2016માં 115 જાતિનાં 3 હજાર વૃક્ષો અમે વાવ્યા છે. અમારો આ ઓક્સિજન પાર્ક બનાવવા પાછળનો હેતુ એટલો જ છે કે લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે અને કોઈ બીમાર પડે નહીં. ઓક્સિજન પાર્કમાં ઔષધિય છોડ પણ વાવ્યા છે. હાર્ટ બ્લોક થઇ જાય તો એ છોડ બ્લોક ખોલી દે એવા છોડ વાવ્યા છે. કોરોનામાંથી સાજા થયેલા લોકો અહીં આવે છે તો તેમને પણ ઘણીબધી રાહત મળી છે
વધુમાં તેમણે કહ્યું હતું કે, સ્વાસ્થ્યની સુખાકારીમાં પર્યાવરણનો બહોળો ફાળો રહેલો છે, જેને લઈને જ અહીં અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઓક્સિજન પાર્કમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં થયું છે. રાજકોટને સ્માર્ટ સિટીની સાથે ગ્રીન સિટી બનાવવાનો પોતાનો અને તેની ટીમનો ઉદ્દેશ હોઈ રંગીલું રાજકોટ હરિયાળું બને એ માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. હાલ મારા માતા-પિતા સહિત મોટી સંખ્યામાં કોરોનામાંથી સાજા થયેલા લોકો અહીં શુદ્ધ ઓક્સિજન મેળવવા પહોંચી જાય છે.
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે લોકો પર્યાવરણની જાળવણી કરે એનું મહત્ત્વ સમજે એ પણ ખૂબ જ અગત્યનું છે. રાજકોટ પ્રદૂષણ રેટમાં આગળ હોય છે. ત્યારે કંઈ રીતે એને પ્રદૂષણમુક્ત બનાવી ગ્રીન સિટી તરફ લઈ જવું એવો વિચાર આવ્યો હતો. જેને લઈને તેમણે ઓક્સિજન પાર્ક બનાવ્યો હોવાનું જણાવતા રાજકોટને હરિયાળું બનાવવા હજુ પણ ઘણીબધી જગ્યાએ આ રીતે ઓક્સિજન પાર્ક ઊભા કરવાનું પોતાનું આયોજન હોવાનું પણ તેમણે કહ્યું હતું.