કોરોના કાળ દરમિયાન એસટી વિભાગનાં રાજકોટ સહિત પાંચ ડિવીઝનનાં 18 અને રાજ્યમાં 150 કર્મી કોરોના સામે જંગ હાર્યા
એસટી વિભાગના કર્મચારીઓને મુસાફરોના સીધા સંપર્કમાં આવવું પડતું હોઈ કોરોના સંક્રમણનું જોખમ વધુ
એસટીના કર્મીઓને વહેલી તકે કોરોના વોરિયર્સ જાહેર કરી રૂ.25 લાખની સહાયતા આપવા માંગ
WatchGujarat. શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 29 દર્દીઓનાં મૃત્યુ થયા છે. જયારે શહેરમાં બપોર સુધીમાં 82 નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જોકે સરકારની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. તેમજ નર્સિંગ સ્ટાફનો વિરોધ યથાવત છે ત્યાં હવે ST કર્મચારીઓએ પણ સરકાર સમેમોરચો માંડ્યો છે. અને કોરોના વોરિયર્સનું બિરૂદ આપવાની માંગ સાથે મુંડન કરવી વિરોધ પ્રદર્શન કર્યું છે.
https://youtu.be/DBzRvwuarwU
કોરોના કાળ દરમિયાન એસટી વિભાગનાં રાજકોટ સહિત પાંચ ડિવીઝનનાં 18 અને રાજ્યમાં 150 કર્મી કોરોના સામે જંગ હાર્યા હતા. જેને લઈને કર્મચારીઓ દ્વારા તેમને કોરોના વોરિયર્સ જાહેર કરવાની માંગ ઉઠી હતી. પરંતુ સરકાર દ્વારા આ માંગ નહીં સ્વીકારવામાં આવતા રાજકોટ લાઈન ચેકિંગ શાખાના બે કર્મીઓએ અધિકારીએ સૌરાષ્ટ્રના પાંચ ડિવીઝનમાં મૃત્યુ પામેલા 18 કર્મચારીના પરિવારની સહાય માટે ફાળો એકત્ર કરવાનું શરુ કર્યું છે. તો સરકારના વિરોધમાં મુકેશસિંહ જાડેજા નામના કર્મચારીએ મુંડન કરાવી વિરોધ પ્રગટ કર્યો હતો.
સમગ્ર મામલે લાઈન ચેકિંગ અધિકારી મુકેશસિંહ જાડેજાએ કહ્યું હતું કે, એસટી કર્મચારીઓ માટે જ તારીખ 7મેથી ઓનલાઈન ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. જેમાં એક સપ્તાહમાં રૂ.1 લાખ એકઠા થયા છે. પરંતુ આ રકમ ઘણી ઓછી હોવાથી હવે ડિવીઝનનાં તમામ બસ સ્ટેન્ડ પર પેટી મૂકાઈ છે. જેમાં એસટીના વિભાગીય નિયામક યોગેશ પટેલનાં રૂ.1100 સહીત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત મુસાફરો પણ સહાય કરી રહ્યાં છે. આ ઉપરાંત અત્યાર સુધી 100 જેટલા એસટી કર્મીઓ માટે ઓક્સિજન સિલીન્ડરની વ્યવસ્થા કરી છે. તેમજ એસટી કર્મી કોરોના સંક્રમિત થાય તો તેને હોસ્પિટલ પહોચાડવામાં મદદ કરી અને હાલ અત્યાર સુધીમાં ત્રણેક કર્મચારીઓ માટે ખાસ મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનની વ્યવસ્થા કરી છે.
જોકે એસટી વિભાગનાં હજારો કર્મચારીઓ માટેની જરૂરિયાત ઘણી મોટી છે. બીજીતરફ કર્મચારીઓને મુસાફરોના સીધા સંપર્કમાં આવવું પડતું હોઈ કોરોના સંક્રમણનું જોખમ વધુ છે. આમ છતાં કર્મચારીઓ પોતાની કોઈપણ ચિંતા કર્યા વિના ફરજ બજાવતા સાચા કોરોના વોરિયર્સ છે. ત્યારે સરકારને એટલી જ વિનંતી છે કે, એસટીના કર્મીઓને વહેલી તકે કોરોના વોરિયર્સ જાહેર કરી રૂ.25 લાખની સહાય આપવામાં આવે.
રાજકોટમાં કોરોનાથી મૃત્યુ અંગે તંત્રની સતાવાર યાદી મુજબ શહેરમાં કોરોનાની સારવાર હેઠળ તારીખ 15 એપ્રિલનાં સવારનાં 8 વાગ્યાથી તા.16નાં સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર-જીલ્લાના 29 દર્દીઓએ દમ તોડી દીધો હતો. જોકે આ પૈકી કોરોનાથી મોત અંગેનો આખરી નિર્ણય સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટી કરશે. ગઇકાલે થયેલા 34 પૈકી માત્ર 8 મૃત્યુ કોરોનાને કારણે થયાનું આ કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે. સાથે જ હાલ શહેર-જીલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 2968 બેડ ખાલી હોવાનું સામે આવ્યું છે.
બીજીતરફ મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 82 નવા કેસ સામે આવ્યા છે. જેને પગલે કુલ સંક્રમિતોની સંખ્યા 39,541 થઈ છે. ગઇકાલે કુલ 4,612 સેમ્પલ લેવાયા હતા.જેમાં 274 કેસ નોંધાતા પોઝિટિવિટી રેટ 5.93 ટકા હતો. જ્યારે ગઈકાલે એક દિવસમાં 445 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી 37,471 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા રિકવરી રેઈટ 94.96% થયો છે.
કોરોના કાળ દરમિયાન એસટી વિભાગનાં રાજકોટ સહિત પાંચ ડિવીઝનનાં 18 અને રાજ્યમાં 150 કર્મી કોરોના સામે જંગ હાર્યા
એસટીના કર્મીઓને વહેલી તકે કોરોના વોરિયર્સ જાહેર કરી રૂ.25 લાખની સહાયતા આપવા માંગ
WatchGujarat. શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 29 દર્દીઓનાં મૃત્યુ થયા છે. જયારે શહેરમાં બપોર સુધીમાં 82 નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જોકે સરકારની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. તેમજ નર્સિંગ સ્ટાફનો વિરોધ યથાવત છે ત્યાં હવે ST કર્મચારીઓએ પણ સરકાર સમેમોરચો માંડ્યો છે. અને કોરોના વોરિયર્સનું બિરૂદ આપવાની માંગ સાથે મુંડન કરવી વિરોધ પ્રદર્શન કર્યું છે.
કોરોના કાળ દરમિયાન એસટી વિભાગનાં રાજકોટ સહિત પાંચ ડિવીઝનનાં 18 અને રાજ્યમાં 150 કર્મી કોરોના સામે જંગ હાર્યા હતા. જેને લઈને કર્મચારીઓ દ્વારા તેમને કોરોના વોરિયર્સ જાહેર કરવાની માંગ ઉઠી હતી. પરંતુ સરકાર દ્વારા આ માંગ નહીં સ્વીકારવામાં આવતા રાજકોટ લાઈન ચેકિંગ શાખાના બે કર્મીઓએ અધિકારીએ સૌરાષ્ટ્રના પાંચ ડિવીઝનમાં મૃત્યુ પામેલા 18 કર્મચારીના પરિવારની સહાય માટે ફાળો એકત્ર કરવાનું શરુ કર્યું છે. તો સરકારના વિરોધમાં મુકેશસિંહ જાડેજા નામના કર્મચારીએ મુંડન કરાવી વિરોધ પ્રગટ કર્યો હતો.
સમગ્ર મામલે લાઈન ચેકિંગ અધિકારી મુકેશસિંહ જાડેજાએ કહ્યું હતું કે, એસટી કર્મચારીઓ માટે જ તારીખ 7મેથી ઓનલાઈન ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. જેમાં એક સપ્તાહમાં રૂ.1 લાખ એકઠા થયા છે. પરંતુ આ રકમ ઘણી ઓછી હોવાથી હવે ડિવીઝનનાં તમામ બસ સ્ટેન્ડ પર પેટી મૂકાઈ છે. જેમાં એસટીના વિભાગીય નિયામક યોગેશ પટેલનાં રૂ.1100 સહીત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત મુસાફરો પણ સહાય કરી રહ્યાં છે. આ ઉપરાંત અત્યાર સુધી 100 જેટલા એસટી કર્મીઓ માટે ઓક્સિજન સિલીન્ડરની વ્યવસ્થા કરી છે. તેમજ એસટી કર્મી કોરોના સંક્રમિત થાય તો તેને હોસ્પિટલ પહોચાડવામાં મદદ કરી અને હાલ અત્યાર સુધીમાં ત્રણેક કર્મચારીઓ માટે ખાસ મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનની વ્યવસ્થા કરી છે.
જોકે એસટી વિભાગનાં હજારો કર્મચારીઓ માટેની જરૂરિયાત ઘણી મોટી છે. બીજીતરફ કર્મચારીઓને મુસાફરોના સીધા સંપર્કમાં આવવું પડતું હોઈ કોરોના સંક્રમણનું જોખમ વધુ છે. આમ છતાં કર્મચારીઓ પોતાની કોઈપણ ચિંતા કર્યા વિના ફરજ બજાવતા સાચા કોરોના વોરિયર્સ છે. ત્યારે સરકારને એટલી જ વિનંતી છે કે, એસટીના કર્મીઓને વહેલી તકે કોરોના વોરિયર્સ જાહેર કરી રૂ.25 લાખની સહાય આપવામાં આવે.
રાજકોટમાં કોરોનાથી મૃત્યુ અંગે તંત્રની સતાવાર યાદી મુજબ શહેરમાં કોરોનાની સારવાર હેઠળ તારીખ 15 એપ્રિલનાં સવારનાં 8 વાગ્યાથી તા.16નાં સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર-જીલ્લાના 29 દર્દીઓએ દમ તોડી દીધો હતો. જોકે આ પૈકી કોરોનાથી મોત અંગેનો આખરી નિર્ણય સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટી કરશે. ગઇકાલે થયેલા 34 પૈકી માત્ર 8 મૃત્યુ કોરોનાને કારણે થયાનું આ કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે. સાથે જ હાલ શહેર-જીલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 2968 બેડ ખાલી હોવાનું સામે આવ્યું છે.
બીજીતરફ મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 82 નવા કેસ સામે આવ્યા છે. જેને પગલે કુલ સંક્રમિતોની સંખ્યા 39,541 થઈ છે. ગઇકાલે કુલ 4,612 સેમ્પલ લેવાયા હતા.જેમાં 274 કેસ નોંધાતા પોઝિટિવિટી રેટ 5.93 ટકા હતો. જ્યારે ગઈકાલે એક દિવસમાં 445 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી 37,471 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા રિકવરી રેઈટ 94.96% થયો છે.