કોરોનાથી 37 દર્દીઓના મોત, બપોર સુધીમાં 80 કેસ
Watch Gujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. અને સાથે મૃતકોની સંખ્યામાં ઘટાડો સતત ત્રીજા દિવસે પણ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં વધુ 37 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. અને બપોર સુધી માત્ર 80 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. બીજીતરફ શહેરમાં રસીકરણની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. જેમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અને તેના પત્ની રિવાબાએ પણ રસીકરણ કરાવ્યું હતું. સાથે જ વધુમાં વધુ લોકોને વેકસીનેશન માટે આગળ આવવા અપીલ પણ કરી હતી.
ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા આજે પત્ની રિવાબા સાથે મનપાની વેસ્ટઝોન કચેરીએ પહોંચ્યો હતો. અને નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડની હાજરીમાં આ સેલિબ્રિટી દંપતિએ પણ વેકસીનેશન કરાવ્યું હતું. આ તકે લોકોને અપીલ કરતા રિવાબાએ જણાવ્યું હતું કે, કોરોનાને હરાવવા માટે વેકસીનેશન એ એકમાત્ર ઉપાય છે. ત્યારે લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓમાં આવ્યા વિના રસીકરણ કરાવવું જોઈએ. વધુમાં વધુ લોકો વેકસીનેશન કરાવશે એટલે કોરોનાનું સંક્રમણ આપોઆપ દેશમાંથી દૂર થઈ જશે.
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 37 દર્દીનો ભોગ લીધો છે. સતાવાર વિગતો અનુસાર ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 સુધીમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા શહેર અને જીલ્લાના 37 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય સરકાર દ્વારા ખાસ નિમાયેલી ડેથ ઓડિટ કમિટી કરશે. ગઈકાલે થયેલા 39 પૈકી માત્ર 6 દર્દીઓનાં મૃત્યુ કોરોનાને કારણે થયાનું આ કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે.
બીજીતરફ પોઝીટીવ કેસની સંખ્યામાં છેલ્લા એકાદ પખવાડિયાથી ધીમો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બપોર સુધીમાં માત્ર 80 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. મ્યુ. કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે 5 વાગ્યાથી આજે બપોરે 12 સુધીમાં કોરોનાનાં વધુ 80 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 38,949 થઈ છે. જો કે આ પૈકી 36,072 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા હાલમાં રિકવરી રેઈટ વધીને 92.80 ટકા પર પહોંચ્યો છે. જ્યારે પોઝીટીવીટી રેઈટ 3.58 ટકા છે.
75થી વધુ ઉંમરનાં ત્રણ વૃદ્ધાઓએ અનેક મુશ્કેલી હોવા છતાં કોરોનાને હરાવ્યો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મન મક્કમ હોય ત્યારે ઉંમર બાધારૂપ ન બનતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે આવા જ વધુ 3 કિસ્સા હાલમાં સામે આવ્યા છે. જેમાં 76 વર્ષના એક વૃદ્ધા 15 દિવસથી વેન્ટિલેટર પર હતા. પરંતુ મન મક્કમ હોવાથી તેઓ આજે સાદા માસ્ક પર આવી ગયા છે અને ઓક્સિજન લેવલ પણ 97 થઇ ગયું છે. બીજા કિસ્સામાં 86 વર્ષના વૃદ્ધાને 40 ટકા ફેફસાં નબળા હોવા છતાં મક્કમ મનોબળથી કોરોનાને મ્હાત આપી છે. જ્યારે અન્ય એક 80 વર્ષના વૃદ્ધાને બ્લડપ્રેશરની તકલીફ હોવા છતાં માત્ર 7 દિવસમાં કોરોનાને હરાવી દીધો હોવાનું પણ સામે આવ્યું છે.
કોરોનાથી 37 દર્દીઓના મોત, બપોર સુધીમાં 80 કેસ
Watch Gujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. અને સાથે મૃતકોની સંખ્યામાં ઘટાડો સતત ત્રીજા દિવસે પણ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં વધુ 37 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. અને બપોર સુધી માત્ર 80 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. બીજીતરફ શહેરમાં રસીકરણની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. જેમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અને તેના પત્ની રિવાબાએ પણ રસીકરણ કરાવ્યું હતું. સાથે જ વધુમાં વધુ લોકોને વેકસીનેશન માટે આગળ આવવા અપીલ પણ કરી હતી.
ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા આજે પત્ની રિવાબા સાથે મનપાની વેસ્ટઝોન કચેરીએ પહોંચ્યો હતો. અને નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડની હાજરીમાં આ સેલિબ્રિટી દંપતિએ પણ વેકસીનેશન કરાવ્યું હતું. આ તકે લોકોને અપીલ કરતા રિવાબાએ જણાવ્યું હતું કે, કોરોનાને હરાવવા માટે વેકસીનેશન એ એકમાત્ર ઉપાય છે. ત્યારે લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓમાં આવ્યા વિના રસીકરણ કરાવવું જોઈએ. વધુમાં વધુ લોકો વેકસીનેશન કરાવશે એટલે કોરોનાનું સંક્રમણ આપોઆપ દેશમાંથી દૂર થઈ જશે.
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 37 દર્દીનો ભોગ લીધો છે. સતાવાર વિગતો અનુસાર ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 સુધીમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા શહેર અને જીલ્લાના 37 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય સરકાર દ્વારા ખાસ નિમાયેલી ડેથ ઓડિટ કમિટી કરશે. ગઈકાલે થયેલા 39 પૈકી માત્ર 6 દર્દીઓનાં મૃત્યુ કોરોનાને કારણે થયાનું આ કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે.
બીજીતરફ પોઝીટીવ કેસની સંખ્યામાં છેલ્લા એકાદ પખવાડિયાથી ધીમો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બપોર સુધીમાં માત્ર 80 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. મ્યુ. કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે 5 વાગ્યાથી આજે બપોરે 12 સુધીમાં કોરોનાનાં વધુ 80 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 38,949 થઈ છે. જો કે આ પૈકી 36,072 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા હાલમાં રિકવરી રેઈટ વધીને 92.80 ટકા પર પહોંચ્યો છે. જ્યારે પોઝીટીવીટી રેઈટ 3.58 ટકા છે.
75થી વધુ ઉંમરનાં ત્રણ વૃદ્ધાઓએ અનેક મુશ્કેલી હોવા છતાં કોરોનાને હરાવ્યો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મન મક્કમ હોય ત્યારે ઉંમર બાધારૂપ ન બનતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે આવા જ વધુ 3 કિસ્સા હાલમાં સામે આવ્યા છે. જેમાં 76 વર્ષના એક વૃદ્ધા 15 દિવસથી વેન્ટિલેટર પર હતા. પરંતુ મન મક્કમ હોવાથી તેઓ આજે સાદા માસ્ક પર આવી ગયા છે અને ઓક્સિજન લેવલ પણ 97 થઇ ગયું છે. બીજા કિસ્સામાં 86 વર્ષના વૃદ્ધાને 40 ટકા ફેફસાં નબળા હોવા છતાં મક્કમ મનોબળથી કોરોનાને મ્હાત આપી છે. જ્યારે અન્ય એક 80 વર્ષના વૃદ્ધાને બ્લડપ્રેશરની તકલીફ હોવા છતાં માત્ર 7 દિવસમાં કોરોનાને હરાવી દીધો હોવાનું પણ સામે આવ્યું છે.