21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 6 મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સી.આર.પાટીલે ભાજપના ઉમેદવાર પસંદગીના નિયમો બદલ્યા
રાજકોટ ભાજપના ઘણા સ્થાનિક અગ્રણી સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના ધંધાઓમાં ભાગીદારી ધરાવે છે
કેટલાક આગેવાનો તો પોતાના ભાગીદારોને કોર્પોરેટર બનાવી પોતાના ધંધામાં તેનો ફાયદો લેવા માંગતા હોય છે - મનસુખ વરસાણી
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, 60 વર્ષથી વધુ ઉંમરનાં તેમજ ત્રણ વખત ચૂંટણી જીતેલા ઉમેદવારોને ટીકીટ આપવામાં આવશે નહીં. પાટીલનાં આ નિર્ણયને વોર્ડ નંબર 8નાં સામાજીક અગ્રણી અને RSS નાં હોદ્દેદાર મનસુખ વરસાણીએ વધાવ્યો છે. સાથે અપીલ કરી છે કે, ધંધાના ભાગીદારોને કોર્પોરેટર બનાવવા ઇચ્છનારને પણ ટીકીટ મળવી જોઈએ નહીં.
મનસુખ વરસાણીએ જણાવ્યું હતું કે, 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 6 મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સી.આર.પાટીલે ભાજપના ઉમેદવાર પસંદગીના નિયમો બદલ્યા છે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરનાં અને ત્રણ વખત જીતી ચૂકેલા હોય તેને ટીકીટ આપવામાં નહીં આવનાર હોવાનું જણાવાયું છે. આ નિર્ણય ખરેખર હિંમતભર્યો અને વખાણવા લાયક છે. રાજકોટ ભાજપના ઘણા સ્થાનિક અગ્રણી સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના ધંધાઓમાં ભાગીદારી ધરાવે છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના આવા આગેવાનોને પણ ટીકીટ ન આપવી જોઈએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેટલાક આગેવાનો તો પોતાના ભાગીદારોને કોર્પોરેટર બનાવી પોતાના ધંધામાં તેનો ફાયદો લેવા માંગતા હોય છે. આવા લોકોને ટીકીટ મળવાથી ભ્રષ્ટાચાર વધવાની પૂરતી શક્યતા છે. ત્યારે મારો ખાસ આગ્રહ છે કે આવા સ્થાનિક આગેવાનો કે તેમના ભાગીદારોને ટિકિટ ન આપવી જોઈએ. મારા મતે આવા આગેવાનોના કે તેમનાં ભાગીદારને ચૂંટણીમાં ઉમેદવારો જ બનાવવા જોઈએ નહીં.
ઉલ્લેખનીય છે કે, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનાં આ નિર્ણયથી સિનિયર નેતાઓમાં અંદરખાને વિરોધનો સુર પણ ઉઠી રહ્યો છે. જો કે સામે ચાલીને આ મામલે વાત કરવા કોઈ તૈયાર નથી. કારણ કે, ભાજપ પક્ષમાં હાઇકમાન્ડની વાત નહીં માનનાર કે તેનો વિરોધ કરનાર પક્ષમાં ટકી શકતો નથી. અને શિસ્તબદ્ધ રીતે સૌકોઈ હાઇકમાન્ડનાં તમામ નિર્ણયોને સ્વીકારતા હોય છે.
21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 6 મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સી.આર.પાટીલે ભાજપના ઉમેદવાર પસંદગીના નિયમો બદલ્યા
રાજકોટ ભાજપના ઘણા સ્થાનિક અગ્રણી સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના ધંધાઓમાં ભાગીદારી ધરાવે છે
કેટલાક આગેવાનો તો પોતાના ભાગીદારોને કોર્પોરેટર બનાવી પોતાના ધંધામાં તેનો ફાયદો લેવા માંગતા હોય છે - મનસુખ વરસાણી
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, 60 વર્ષથી વધુ ઉંમરનાં તેમજ ત્રણ વખત ચૂંટણી જીતેલા ઉમેદવારોને ટીકીટ આપવામાં આવશે નહીં. પાટીલનાં આ નિર્ણયને વોર્ડ નંબર 8નાં સામાજીક અગ્રણી અને RSS નાં હોદ્દેદાર મનસુખ વરસાણીએ વધાવ્યો છે. સાથે અપીલ કરી છે કે, ધંધાના ભાગીદારોને કોર્પોરેટર બનાવવા ઇચ્છનારને પણ ટીકીટ મળવી જોઈએ નહીં.
મનસુખ વરસાણીએ જણાવ્યું હતું કે, 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 6 મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સી.આર.પાટીલે ભાજપના ઉમેદવાર પસંદગીના નિયમો બદલ્યા છે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરનાં અને ત્રણ વખત જીતી ચૂકેલા હોય તેને ટીકીટ આપવામાં નહીં આવનાર હોવાનું જણાવાયું છે. આ નિર્ણય ખરેખર હિંમતભર્યો અને વખાણવા લાયક છે. રાજકોટ ભાજપના ઘણા સ્થાનિક અગ્રણી સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના ધંધાઓમાં ભાગીદારી ધરાવે છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના આવા આગેવાનોને પણ ટીકીટ ન આપવી જોઈએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેટલાક આગેવાનો તો પોતાના ભાગીદારોને કોર્પોરેટર બનાવી પોતાના ધંધામાં તેનો ફાયદો લેવા માંગતા હોય છે. આવા લોકોને ટીકીટ મળવાથી ભ્રષ્ટાચાર વધવાની પૂરતી શક્યતા છે. ત્યારે મારો ખાસ આગ્રહ છે કે આવા સ્થાનિક આગેવાનો કે તેમના ભાગીદારોને ટિકિટ ન આપવી જોઈએ. મારા મતે આવા આગેવાનોના કે તેમનાં ભાગીદારને ચૂંટણીમાં ઉમેદવારો જ બનાવવા જોઈએ નહીં.
ઉલ્લેખનીય છે કે, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનાં આ નિર્ણયથી સિનિયર નેતાઓમાં અંદરખાને વિરોધનો સુર પણ ઉઠી રહ્યો છે. જો કે સામે ચાલીને આ મામલે વાત કરવા કોઈ તૈયાર નથી. કારણ કે, ભાજપ પક્ષમાં હાઇકમાન્ડની વાત નહીં માનનાર કે તેનો વિરોધ કરનાર પક્ષમાં ટકી શકતો નથી. અને શિસ્તબદ્ધ રીતે સૌકોઈ હાઇકમાન્ડનાં તમામ નિર્ણયોને સ્વીકારતા હોય છે.