ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો સાથે જ સંયુક્ત રીતે કોવિડ કેર સેન્ટરો શરૂ કરવાની સુચનાઓ આપવામાં આવી
જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સિવિલના ટ્રોમા કેર સેન્ટર, સમરસ હોસ્ટેલ, સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ, સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ વધારવાની સુચના આપી દેવામાં આવી
રાજકોટ શહેરમાં હાલ 1,487 જેટલા ઓક્સિજન બેડ ઉપલબ્ધ
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં હાલ શહેરી વિસ્તારમાં કેસો ઘટવા છતાંય ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા સંક્રમણને કારણે ભારણ વધ્યું હોવાનું જણાવતા કલેક્ટરે હાલ 20% જેટલા બેડ ખાલી હોવાનું જણાવ્યું હતું. સાથે જ ઓક્સિજન-બેડ ઉપરાંત ઇન્જેક્શન-દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું જણાવતા લોકોને ચિંતા કર્યા વિના નિયમોનું પાલન કરવાની અપીલ પણ તેમણે કરી હતી.
કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં કોરોનાના કેસ ઘટવા છતા હોસ્પિટલો ઉપર ભારણ વધુ છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તાર તેમજ અન્ય જિલ્લાના દર્દીઓ પણ રાજકોટ આવતા હોવાથી આ સ્થિતિ છે. જો કે આ છતાં હાલ 20% જેટલા બેડ ખાલી છે. આ સાથે જ બેડ-ઓક્સિજન બાબતે કોઈ ચીંતા કરવાની જરૂર નથી તેવી હૈયા ધારણા પણ કલેક્ટરે આપી હતી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ કથળવા ઉપર છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો સાથે જ સંયુક્ત રીતે કોવિડ કેર સેન્ટરો શરૂ કરવાની સુચનાઓ આપવામાં આવી છે. જેથી સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને ત્યાં જ સારવાર આપવામાં આવે પરંતુ હાલ વધુ પડતા દર્દીઓ ગંભીર હાલતમાં હોઈ રાજકોટની હોસ્પિટલોમાં સારવાર માટે આવી રહ્યા છે. જેને લઈન હોસ્પિટલો ઉપર ભારણ વધુ છે. જોકે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો સાથે સંયુક્ત રીતે કોવિડ સેન્ટરો શરૂ કરવાની સુચના સરકાર દ્વારા આપવામાં આવી છે. જેથી સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને ત્યાં સારવાર આપી શકાય.
ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરમાં કોરોનાના કેસમાં ભયંકર રીતે ઉછાળો આવ્યો હતો. અને લોકોને બેડ મળવા મુશ્કેલ થયા હતા. જેથી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સિવિલના ટ્રોમા કેર સેન્ટર, સમરસ હોસ્ટેલ, સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ, સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ વધારવાની સુચના આપી દેવામાં આવી હતી. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પોતાના હસ્તક રહેલી હોસ્પિટલોમાં 500 થી વધુ બેડ વધારાયા હતા. તેમ છતા પરિસ્થિતિ વણસી જતા ચૌધરી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં ઓક્સિજનની સુવિધા સાથે 200 બેડ નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ કોઈ કારણોસર ત્યાં હોસ્પિટલ શરૂ ન થઈ શકતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 50 બેડ ઓક્સિજન સાથે શરૂ કરવામાં આવ્યા છે. જો કે હાલ રાજકોટમાં રિકવરી રેટ વધવા ઉપર છે. પોઝીટીવ દર્દીઓની સામે ડી-સ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા વધી હોવાથી હાલ બેડ ખાલી છે. રાજકોટ શહેરમાં હાલ 1,487 જેટલા ઓક્સિજન બેડ ઉપલબ્ધ હોવાનું તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો સાથે જ સંયુક્ત રીતે કોવિડ કેર સેન્ટરો શરૂ કરવાની સુચનાઓ આપવામાં આવી
જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સિવિલના ટ્રોમા કેર સેન્ટર, સમરસ હોસ્ટેલ, સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ, સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ વધારવાની સુચના આપી દેવામાં આવી
રાજકોટ શહેરમાં હાલ 1,487 જેટલા ઓક્સિજન બેડ ઉપલબ્ધ
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં હાલ શહેરી વિસ્તારમાં કેસો ઘટવા છતાંય ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા સંક્રમણને કારણે ભારણ વધ્યું હોવાનું જણાવતા કલેક્ટરે હાલ 20% જેટલા બેડ ખાલી હોવાનું જણાવ્યું હતું. સાથે જ ઓક્સિજન-બેડ ઉપરાંત ઇન્જેક્શન-દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું જણાવતા લોકોને ચિંતા કર્યા વિના નિયમોનું પાલન કરવાની અપીલ પણ તેમણે કરી હતી.
કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં કોરોનાના કેસ ઘટવા છતા હોસ્પિટલો ઉપર ભારણ વધુ છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તાર તેમજ અન્ય જિલ્લાના દર્દીઓ પણ રાજકોટ આવતા હોવાથી આ સ્થિતિ છે. જો કે આ છતાં હાલ 20% જેટલા બેડ ખાલી છે. આ સાથે જ બેડ-ઓક્સિજન બાબતે કોઈ ચીંતા કરવાની જરૂર નથી તેવી હૈયા ધારણા પણ કલેક્ટરે આપી હતી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ કથળવા ઉપર છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો સાથે જ સંયુક્ત રીતે કોવિડ કેર સેન્ટરો શરૂ કરવાની સુચનાઓ આપવામાં આવી છે. જેથી સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને ત્યાં જ સારવાર આપવામાં આવે પરંતુ હાલ વધુ પડતા દર્દીઓ ગંભીર હાલતમાં હોઈ રાજકોટની હોસ્પિટલોમાં સારવાર માટે આવી રહ્યા છે. જેને લઈન હોસ્પિટલો ઉપર ભારણ વધુ છે. જોકે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો સાથે સંયુક્ત રીતે કોવિડ સેન્ટરો શરૂ કરવાની સુચના સરકાર દ્વારા આપવામાં આવી છે. જેથી સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને ત્યાં સારવાર આપી શકાય.
ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરમાં કોરોનાના કેસમાં ભયંકર રીતે ઉછાળો આવ્યો હતો. અને લોકોને બેડ મળવા મુશ્કેલ થયા હતા. જેથી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સિવિલના ટ્રોમા કેર સેન્ટર, સમરસ હોસ્ટેલ, સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ, સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ વધારવાની સુચના આપી દેવામાં આવી હતી. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પોતાના હસ્તક રહેલી હોસ્પિટલોમાં 500 થી વધુ બેડ વધારાયા હતા. તેમ છતા પરિસ્થિતિ વણસી જતા ચૌધરી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં ઓક્સિજનની સુવિધા સાથે 200 બેડ નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ કોઈ કારણોસર ત્યાં હોસ્પિટલ શરૂ ન થઈ શકતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 50 બેડ ઓક્સિજન સાથે શરૂ કરવામાં આવ્યા છે. જો કે હાલ રાજકોટમાં રિકવરી રેટ વધવા ઉપર છે. પોઝીટીવ દર્દીઓની સામે ડી-સ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા વધી હોવાથી હાલ બેડ ખાલી છે. રાજકોટ શહેરમાં હાલ 1,487 જેટલા ઓક્સિજન બેડ ઉપલબ્ધ હોવાનું તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.