ઘણા લાંબા સમયથી યુનિવર્સિટીના કુલપતિ અને કુલનાયક વચ્ચેનો આંતરિક વિવાદ ચાલી રહ્યો છે
યુનિવર્સિટીને 2.49 CGPS સાથે બી ગ્રેડ આપવામાં આવતા સતાધીશોએ ઇન્સ્પેકશન માટે કરેલો લાખો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો
અધ્યાપકોની ભરતી કરવામાં તેમજ વિદ્યાર્થીઓના સંશોધન - ઇનોવેટિવ પ્રવૃત્તિઓનું સ્તર ઊંચે લઈ જવામાં સત્તાધીશો નિષ્ફળ
WatchGujarat. UGC નેટ કમિટી દ્વારા 18થી20 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સર્વાંગી મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા મહાવિદ્યાલયોના તજજ્ઞોની છ ટીમો દ્વારા જુદા પાડવાનો અને વહીવટી કામગીરી તેમજ પરિક્ષા સહિત યુનિવર્સિટીના તમામ કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ કમિટી દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યા બાદ અને કમિટી વર્ષ 2014 થી 2019 સુધીની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યા બાદ આજે યુનિવર્સિટીને બી ગ્રેડ જાહેર કરાયો હતો. યુનિવર્સિટીને 2.49 CGPS સાથે બી ગ્રેડ આપવામાં આવતા સતાધીશોએ ઇન્સ્પેકશન માટે કરેલો લાખો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો છે. અને A+ ગેડ મળવાની આશાઓ પર ઠંડુ પાણી ફરી વળ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કમિટી દ્વારા ચોથી સાયકલનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું. ત્રીજી સાયકલમાં યુનિવર્સિટીને A ગ્રેડ મળ્યો હતો. પણ સાઇકલ દરમ્યાન A ગ્રેડ જાળવવામાં યુનિવર્સિટીના સત્તાધીશો નિષ્ફળ ગયા છે. આ મૂલ્યાંકન કમિટીમાં ફિઝિક્સ માટે દેશના જાણીતા ડોક્ટર વિદ્યા શંકર પંડિતની ટીમ યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવી હતી. કમિટી દ્વારા યુનિવર્સિટીની તમામ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યા બાદ તા. 20ના રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યા બાદ મંગળવારે પરિણામ જાહેર કરાયું હતું. જેમાં માત્ર B ગ્રેડ મળતાં સતાધીશોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા A+ ગ્રેડ મળશે તેવા દાવાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ B ગ્રેડ મળ્યો છે. આ અંગેનાં કારણોની ચર્ચા કરતા સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘણા લાંબા સમયથી યુનિવર્સિટીના કુલપતિ અને કુલનાયક વચ્ચેનો આંતરિક વિવાદ રહ્યો છે. તદુપરાંત જુદા જુદા ભવનોમાં અધ્યાપકોની ભરતી કરવામાં તેમજ વિદ્યાર્થીઓના સંશોધન - ઇનોવેટિવ પ્રવૃત્તિઓનું સ્તર ઊંચે લઈ જવામાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે. એટલું જ નહીં લાંબા સમયથી પ્લેસમેન્ટ પર કામ કરતા કર્મચારીઓને કારણે પણ કામગીરીમાં વિપરીત અસર થઈ છે. જેના કારણે A ગ્રેડ ગુમાવવાનો વારો આવ્યો છે.
ઘણા લાંબા સમયથી યુનિવર્સિટીના કુલપતિ અને કુલનાયક વચ્ચેનો આંતરિક વિવાદ ચાલી રહ્યો છે
યુનિવર્સિટીને 2.49 CGPS સાથે બી ગ્રેડ આપવામાં આવતા સતાધીશોએ ઇન્સ્પેકશન માટે કરેલો લાખો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો
અધ્યાપકોની ભરતી કરવામાં તેમજ વિદ્યાર્થીઓના સંશોધન - ઇનોવેટિવ પ્રવૃત્તિઓનું સ્તર ઊંચે લઈ જવામાં સત્તાધીશો નિષ્ફળ
WatchGujarat. UGC નેટ કમિટી દ્વારા 18થી20 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સર્વાંગી મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા મહાવિદ્યાલયોના તજજ્ઞોની છ ટીમો દ્વારા જુદા પાડવાનો અને વહીવટી કામગીરી તેમજ પરિક્ષા સહિત યુનિવર્સિટીના તમામ કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ કમિટી દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યા બાદ અને કમિટી વર્ષ 2014 થી 2019 સુધીની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યા બાદ આજે યુનિવર્સિટીને બી ગ્રેડ જાહેર કરાયો હતો. યુનિવર્સિટીને 2.49 CGPS સાથે બી ગ્રેડ આપવામાં આવતા સતાધીશોએ ઇન્સ્પેકશન માટે કરેલો લાખો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો છે. અને A+ ગેડ મળવાની આશાઓ પર ઠંડુ પાણી ફરી વળ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કમિટી દ્વારા ચોથી સાયકલનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું. ત્રીજી સાયકલમાં યુનિવર્સિટીને A ગ્રેડ મળ્યો હતો. પણ સાઇકલ દરમ્યાન A ગ્રેડ જાળવવામાં યુનિવર્સિટીના સત્તાધીશો નિષ્ફળ ગયા છે. આ મૂલ્યાંકન કમિટીમાં ફિઝિક્સ માટે દેશના જાણીતા ડોક્ટર વિદ્યા શંકર પંડિતની ટીમ યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવી હતી. કમિટી દ્વારા યુનિવર્સિટીની તમામ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યા બાદ તા. 20ના રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યા બાદ મંગળવારે પરિણામ જાહેર કરાયું હતું. જેમાં માત્ર B ગ્રેડ મળતાં સતાધીશોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા A+ ગ્રેડ મળશે તેવા દાવાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ B ગ્રેડ મળ્યો છે. આ અંગેનાં કારણોની ચર્ચા કરતા સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘણા લાંબા સમયથી યુનિવર્સિટીના કુલપતિ અને કુલનાયક વચ્ચેનો આંતરિક વિવાદ રહ્યો છે. તદુપરાંત જુદા જુદા ભવનોમાં અધ્યાપકોની ભરતી કરવામાં તેમજ વિદ્યાર્થીઓના સંશોધન - ઇનોવેટિવ પ્રવૃત્તિઓનું સ્તર ઊંચે લઈ જવામાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે. એટલું જ નહીં લાંબા સમયથી પ્લેસમેન્ટ પર કામ કરતા કર્મચારીઓને કારણે પણ કામગીરીમાં વિપરીત અસર થઈ છે. જેના કારણે A ગ્રેડ ગુમાવવાનો વારો આવ્યો છે.