શાળા ખુલતાની સાથે જ કોરોના કેસોમાં વધારો નોંધાતા શિક્ષણ કાર્ય ખોરવાયું
વિદ્યાર્થીનીનાં પરિવારમાં કોરોનાનો કેસ આવ્યો હોવાથી ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓની મંગળવાર સુધી રજા આપવામાં આવી - સ્કુલ સંચાલક
બુધવારથી જ જિલ્લાની તમામ શાળાઓમાં જુદી-જુદી ટીમો બનાવી નિરિક્ષણ કરાશે - શિક્ષણાધિકારી બી.એસ.કૈલા
WatchGujarat. શહેરમાં શાળાઓ ફરી શરુ થતાં કોરોનાને લગતી ચિંતા વધી છે. ત્યારે શહેરની ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માતાને કોરોના પોઝિટિવ આવતા શાળાના બાળકોમાં ફફડાટ ફેલાયો છે. તેમજ આ કારણે શાળામાં ત્વરિત રજા જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં તમામ 300થી વધુ છાત્રોનાં કોરોના ટેસ્ટ કરાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ, એરપોર્ટ રોડ ખાતેની સરસ્વતી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનાં માતા કોરોનાગ્રસ્ત થયા હતા. જેને લઈને સંચાલકોએ જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના અનુસાર તકેદારી સ્વરૂપે મંગળવાર સુધી ત્રણ દિવસ સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમજ વિદ્યાર્થિની સાથે અભ્યાસ કરતા 300થી વધુ છાત્રોનો કોરોનાનો એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવનાર છે.
આ અંગે સરસ્વતીવિદ્યાર્થીનીનાં પરિવારમાં કોરોનાનો કેસ આવ્યો હોવાથી ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓની મંગળવાર સુધી રજા આપવામાં આવી જણાવ્યું હતું કે, હાઇસ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીનાં પરિવારમાં કોરોનાનો કેસ આવ્યો હોવાથી ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓની મંગળવાર સુધી રજા આપવામાં આવી છે. આ દરમિયાન હાઈસ્કૂલના 300થી વધારે છાત્રોનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે જેનો રિપોર્ટ નેગેટીવ આવે તેને જ બુધવારે પ્રવેશ અપાશે. જોકે આ દરમિયાન પ્રાથમિકમાં ધો. 6 થી 8 ની શાળાનો સમય સવારનો હોવાથી રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે.
શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે આ ઘટનાને પગલે તંત્ર સતર્ક બન્યું છે. અને બુધવારથી જ જિલ્લાની તમામ શાળાઓમાં જુદી-જુદી ટીમો બનાવી નિરિક્ષણ કરાશે. અને શંકાસ્પદ જણાશે તે શાળામાં કોરોના ટેસ્ટ કરાવવા સુચના આપવામાં આવશે. હાલ શિક્ષકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ રાજ્યભરમાં ધોરણ 6થી 8ના વર્ગો પણ શરૂ થઇ ગયા છે. અને સ્કૂલો દ્વારા કોરોના ગાઇડલાઇનનાં પાલન સાથે જ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા છે. જેમાં પણ થર્મલ ગનથી વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવું, માસ્ક, સેનેટાઈઝરનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. અને કલાસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા છે.
શાળા ખુલતાની સાથે જ કોરોના કેસોમાં વધારો નોંધાતા શિક્ષણ કાર્ય ખોરવાયું
વિદ્યાર્થીનીનાં પરિવારમાં કોરોનાનો કેસ આવ્યો હોવાથી ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓની મંગળવાર સુધી રજા આપવામાં આવી - સ્કુલ સંચાલક
બુધવારથી જ જિલ્લાની તમામ શાળાઓમાં જુદી-જુદી ટીમો બનાવી નિરિક્ષણ કરાશે - શિક્ષણાધિકારી બી.એસ.કૈલા
WatchGujarat. શહેરમાં શાળાઓ ફરી શરુ થતાં કોરોનાને લગતી ચિંતા વધી છે. ત્યારે શહેરની ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માતાને કોરોના પોઝિટિવ આવતા શાળાના બાળકોમાં ફફડાટ ફેલાયો છે. તેમજ આ કારણે શાળામાં ત્વરિત રજા જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં તમામ 300થી વધુ છાત્રોનાં કોરોના ટેસ્ટ કરાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ, એરપોર્ટ રોડ ખાતેની સરસ્વતી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનાં માતા કોરોનાગ્રસ્ત થયા હતા. જેને લઈને સંચાલકોએ જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના અનુસાર તકેદારી સ્વરૂપે મંગળવાર સુધી ત્રણ દિવસ સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમજ વિદ્યાર્થિની સાથે અભ્યાસ કરતા 300થી વધુ છાત્રોનો કોરોનાનો એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવનાર છે.
આ અંગે સરસ્વતીવિદ્યાર્થીનીનાં પરિવારમાં કોરોનાનો કેસ આવ્યો હોવાથી ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓની મંગળવાર સુધી રજા આપવામાં આવી જણાવ્યું હતું કે, હાઇસ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીનાં પરિવારમાં કોરોનાનો કેસ આવ્યો હોવાથી ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓની મંગળવાર સુધી રજા આપવામાં આવી છે. આ દરમિયાન હાઈસ્કૂલના 300થી વધારે છાત્રોનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે જેનો રિપોર્ટ નેગેટીવ આવે તેને જ બુધવારે પ્રવેશ અપાશે. જોકે આ દરમિયાન પ્રાથમિકમાં ધો. 6 થી 8 ની શાળાનો સમય સવારનો હોવાથી રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે.
શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે આ ઘટનાને પગલે તંત્ર સતર્ક બન્યું છે. અને બુધવારથી જ જિલ્લાની તમામ શાળાઓમાં જુદી-જુદી ટીમો બનાવી નિરિક્ષણ કરાશે. અને શંકાસ્પદ જણાશે તે શાળામાં કોરોના ટેસ્ટ કરાવવા સુચના આપવામાં આવશે. હાલ શિક્ષકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ રાજ્યભરમાં ધોરણ 6થી 8ના વર્ગો પણ શરૂ થઇ ગયા છે. અને સ્કૂલો દ્વારા કોરોના ગાઇડલાઇનનાં પાલન સાથે જ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા છે. જેમાં પણ થર્મલ ગનથી વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવું, માસ્ક, સેનેટાઈઝરનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. અને કલાસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા છે.