વિજયભાઈ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીરભગત સિંહ શાળા નંબર 58માં ધોરણ 6થી 8નાં વિધ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાન ભણાવે છે
તમામ કાર્યો પુસ્તકમાં સમજવા કરતાં જો બાળકો પોતાની જાતે કરે તો વધુ સમજણ પડે - વિજયભાઈ મોઢવાણીયા
6-7 વર્ષની મહેનત બાદ તૈયાર કરાયેલા બોટનીકલ ગાર્ડનમાં એક-બે નહીં પણ 150 જુદા-જુદા છોડ સામેલ
WatchGujarat. "ઇરાદે નેક હો તો સપને ભી સાકાર હોતે હે, ઔર સચ્ચી લગન હો તો રાસ્તે આસાન હો જાતે હે" આ પંક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે એક શિક્ષકે. વિજયભાઈ મોઢવાણીયા નામના આ શિક્ષકે ગુજરાત માટે અશક્ય કહેવાય તેવું કામ કરી બતાવ્યું છે. આ પ્રકૃતિપ્રેમી શિક્ષકે શાળામાં પોતાની ઈનોવેટિવ બોટનીકલ ગાર્ડનનું નિર્માણ કર્યું છે. એટલું જ નહીં જે છોડ ગુજરાતમાં થવા અશક્ય માનવામાં આવે છે તેવા છોડ આ ગાર્ડનમાં વિકસાવી બતાવ્યા છે. જેમાં 6-7 વર્ષની મહેનત બાદ એક-બે નહીં પણ 150 જુદા-જુદા છોડ સામેલ છે.
વિજયભાઈ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીરભગત સિંહ શાળા નંબર 58માં ધોરણ 6થી 8નાં વિધ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાન ભણાવે છે. વિજ્ઞાનમાં વનસ્પતિ, નાના-મોટા છોડ અંગે વિદ્યાર્થીઓને ફક્ત પુસ્તકિયું જ્ઞાન ન રહે તે માટે જ સ્કૂલમાં ઇનોવેટિવ બોટનીકલ ગાર્ડનનું નિર્માણ કર્યું હતું. બાળપણથી જ વિજયભાઈને પ્રકૃતિ પ્રત્યે લગાવ હતો. અને વનસ્પતિ શાસ્ત્રમાં જ તેમણે માસ્ટર ડીગ્રી પણ મેળવી છે.
વિજયભાઈ કહે છે કે, તેઓ ભણતર બાદ જ્યારે શિક્ષક બન્યા ત્યારે પણ છોડ વિકસાવવાનું કાર્ય તેમણે ચાલુ જ રાખ્યું હતું. અગાઉ તેઓ જસદણમાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતા. ત્યાં પણ જુદા-જુદા છોડને વિકસાવ્યા હતા. ત્યારબાદ રાજકોટમાં બદલી થતાં શાળા નં.58માં આ પ્રકારે છોડને વિકસાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે, અમુક છોડ જે ગુજરાતમાં વિકસતા નથી. તે પ્રકારના છોડનું તેમણે વાવેતર કર્યું છે. જેમાં સફરજન, કોફી, ચેરી, લીચી, અનાનસ સહિતનાં છોડ સામેલ છે.
વધુમાં વિજયભાઈએ જણાવ્યું હતું કે, માત્ર બાળકોને કેન્દ્રમાં રાખી તેમણે બોટનીકલ ગાર્ડન બનાવ્યું છે. હાલ વિજ્ઞાનમાં વનસ્પતિને લગતા કેટલાક પ્રાયોગિક કાર્ય અભ્યાસમાં આવે છે. પરંતુ આ તમામ કાર્યો પુસ્તકમાં સમજવા કરતાં જો બાળકો પોતાની જાતે કરે તો વધુ સમજણ પડે તે માટે જ તેમણે સ્કૂલમાં જ આ અનોખું અને ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. આ પ્રકારનાં છોડને વિકસાવવાનાં ખર્ચ અંગે તેમણે કહ્યું હતું કે, આ માટે ખાસ કોઈ ખર્ચ થતો નથી. પરંતુ આ પ્રકારનાં છોડને વિકસાવવા માટે મહેનત ખૂબ કરવી પડતી હોય છે. ત્યારે લોકોએ પણ આવા છોડ વિકસાવી પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થવાની સલાહ પણ તેમણે આપી છે.
તમામ કાર્યો પુસ્તકમાં સમજવા કરતાં જો બાળકો પોતાની જાતે કરે તો વધુ સમજણ પડે - વિજયભાઈ મોઢવાણીયા
6-7 વર્ષની મહેનત બાદ તૈયાર કરાયેલા બોટનીકલ ગાર્ડનમાં એક-બે નહીં પણ 150 જુદા-જુદા છોડ સામેલ
WatchGujarat. "ઇરાદે નેક હો તો સપને ભી સાકાર હોતે હે, ઔર સચ્ચી લગન હો તો રાસ્તે આસાન હો જાતે હે" આ પંક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે એક શિક્ષકે. વિજયભાઈ મોઢવાણીયા નામના આ શિક્ષકે ગુજરાત માટે અશક્ય કહેવાય તેવું કામ કરી બતાવ્યું છે. આ પ્રકૃતિપ્રેમી શિક્ષકે શાળામાં પોતાની ઈનોવેટિવ બોટનીકલ ગાર્ડનનું નિર્માણ કર્યું છે. એટલું જ નહીં જે છોડ ગુજરાતમાં થવા અશક્ય માનવામાં આવે છે તેવા છોડ આ ગાર્ડનમાં વિકસાવી બતાવ્યા છે. જેમાં 6-7 વર્ષની મહેનત બાદ એક-બે નહીં પણ 150 જુદા-જુદા છોડ સામેલ છે.
વિજયભાઈ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીરભગત સિંહ શાળા નંબર 58માં ધોરણ 6થી 8નાં વિધ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાન ભણાવે છે. વિજ્ઞાનમાં વનસ્પતિ, નાના-મોટા છોડ અંગે વિદ્યાર્થીઓને ફક્ત પુસ્તકિયું જ્ઞાન ન રહે તે માટે જ સ્કૂલમાં ઇનોવેટિવ બોટનીકલ ગાર્ડનનું નિર્માણ કર્યું હતું. બાળપણથી જ વિજયભાઈને પ્રકૃતિ પ્રત્યે લગાવ હતો. અને વનસ્પતિ શાસ્ત્રમાં જ તેમણે માસ્ટર ડીગ્રી પણ મેળવી છે.
વિજયભાઈ કહે છે કે, તેઓ ભણતર બાદ જ્યારે શિક્ષક બન્યા ત્યારે પણ છોડ વિકસાવવાનું કાર્ય તેમણે ચાલુ જ રાખ્યું હતું. અગાઉ તેઓ જસદણમાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતા. ત્યાં પણ જુદા-જુદા છોડને વિકસાવ્યા હતા. ત્યારબાદ રાજકોટમાં બદલી થતાં શાળા નં.58માં આ પ્રકારે છોડને વિકસાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે, અમુક છોડ જે ગુજરાતમાં વિકસતા નથી. તે પ્રકારના છોડનું તેમણે વાવેતર કર્યું છે. જેમાં સફરજન, કોફી, ચેરી, લીચી, અનાનસ સહિતનાં છોડ સામેલ છે.
વધુમાં વિજયભાઈએ જણાવ્યું હતું કે, માત્ર બાળકોને કેન્દ્રમાં રાખી તેમણે બોટનીકલ ગાર્ડન બનાવ્યું છે. હાલ વિજ્ઞાનમાં વનસ્પતિને લગતા કેટલાક પ્રાયોગિક કાર્ય અભ્યાસમાં આવે છે. પરંતુ આ તમામ કાર્યો પુસ્તકમાં સમજવા કરતાં જો બાળકો પોતાની જાતે કરે તો વધુ સમજણ પડે તે માટે જ તેમણે સ્કૂલમાં જ આ અનોખું અને ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. આ પ્રકારનાં છોડને વિકસાવવાનાં ખર્ચ અંગે તેમણે કહ્યું હતું કે, આ માટે ખાસ કોઈ ખર્ચ થતો નથી. પરંતુ આ પ્રકારનાં છોડને વિકસાવવા માટે મહેનત ખૂબ કરવી પડતી હોય છે. ત્યારે લોકોએ પણ આવા છોડ વિકસાવી પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થવાની સલાહ પણ તેમણે આપી છે.