ગ્રહદોષ સહિતની સમસ્યાઓના સમાધાનમાં વિધી કરાવવાના બહાને જ્યોતિષ લાખો રૂપિયા પડાવતા
શારીરિક સમસ્યાના સમાધાનરૂપે વિધી કરાવ્યા બાદ પણ કોઇ ફરક ન પડ્યો
વિગતો એકઠી કર્યા બાદ વિજ્ઞાન જાથાની ટીમે તાલુકા પોલીસની મદદથી જ્યોતિષ અશ્વિનને ઝડપી લીધો
WatchGujarat. આધુનિક યુગમાં પણ લોકો તંત્ર-મંત્ર અને જ્યોતિષની વાતોમાં આવી જતા હોય છે. શહેરમાં જ વસતા આવા જ એક ઢોંગી જ્યોતિષનો પોલીસ અને વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ થયો છે. પોતાનું ભવિષ્ય નહીં જાણતો અશ્વિન મહેતા છેલ્લા 10 વર્ષથી લોકોનું ભવિષ્ય જાણતો હોવાનો દાવો કરી છેતરપીંડી કરતો હતો. જો કે હકીકતમાં તેના પોતાના લગ્ન બે-બે વખત તૂટી ચુક્યા છે. અને ઇમિટેશનનો ધંધો નહીં ચાલતા જ તેણે આ ધંધો શરૂ કર્યાનો સ્વીકાર કર્યો હતો. સાથે જ ભાંડો ફૂટ્યા બાદ આ જ્યોતિશે માફી પણ માંગી હતી.
https://youtu.be/rfviEdRPQhU
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર, શ્રી રામ ટાઉનશીપમાં રહેતા હિતેષભાઈ અચાનક બીમાર પડી ગયા હતા. તેઓ ગમે તે વસ્તુનો ઘા કરે, 'તારો જીવ લઈને છોડીશ' એવું બોલીને બેભાન થઈ જતાં હતા. જેને પગલે મિત્રોએ ડૉક્ટરી ઉપચાર સાથે જયોતિષ અશ્વિન મહેતાનો સંપર્ક કર્યો હતો. અશ્વિને દર્દીની આ હાલત જોઈને તાત્કાલિક વિધિ કરવાનું કહ્યું હતું. આ માટે કાળું, કપડું, એક શ્રીફળ, લીંબુની સાથે 2,500 રૂપિયા ઉતારના મૂકવા માટે જણાવ્યું હતું. મજબૂર પરિવારે આ તમામ કર્યાં બાદ જ્યોતિષે વધુ 4,000 રૂપિયા માંગ્યા હતા. જોકે, તેમને આ વિધિથી કંઈ ફરક પડ્યો ન હતો.
અન્ય એક કેસમાં ધોરાજીના વકીલ અશ્વિન ગોહેલને પણ આ જ્યોતિષ સાથે આવો કડવો અનુભવ થયો હતો. આથી રાજકોટના અન્ય પરિવારોને જયોતિષી છેતરે નહીં તે માટે તેઓએ તાલુકા પોલીસ સ્ટેશન અને વિજ્ઞાન જાથાની મદદ માંગી હતી. આ મામલે જાથાએ માહિતીના આધારે ખરાઈ કરવા તેના ઘરે તપાસ કરતા અશ્વિન જયોતિષ વિદ્યાના નામે અનેક રીતે લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. અને માટે અશ્વિન રૂ. 2 હજારથી માંડીને એક લાખ સુધીની રકમ વસુલતો હોવાનું સામે આવ્યું હતું.
અશ્વિન મૂળા ઉતાર વિધિમાં સ્મશાનમાં ઉતાર મૂકવો, માતાજીના મઢમાં તાંત્રિક વિધિની વસ્તુ મૂકવી, મેલી વિદ્યાનો છાયો, પિતૃ, ગ્રહ નડતર નિવારણ, વગેરે વિધિ કરતો હતો. અને લોકોને જુદા-જુદા ડર બતાવી તેમની સાથે છેતરપિંડી આચરતો હતો. એટલું જ નહીં તેણે ત્રણ માસમાં ત્રણ મકાન ફેરવ્યા હતા. સાથે જ્યોતિષના લગ્ન જીવનમાં બે વાર ભંગાણ થયું હોઈ ઈમિટેશનનું મજૂરી કામ છોડી 10 વર્ષથી તેણે જ્યોતિષ વિદ્યાનું કામ શરૂ કર્યું હોવાની વિગતો પણ સામે આવી હતી.
સમગ્ર વિગતો એકઠી કર્યા બાદ વિજ્ઞાન જાથાની ટીમે તાલુકા પોલીસની મદદથી જ્યોતિષ અશ્વિનને ઝડપી લીધો છે. જો કે ઝડપાઈ જતા અશ્વિને હવેથી કોઈને છેતરશે નહીં તેવી લેખિત બાંહેધરી પણ આપી હતી. છતાં તાલુકા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અને આ અથવા આવા કોઈપણ જ્યોતિષ કે તંત્ર-મંત્ર કારનારાઓનો ભોગ બનનાનરને પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડોદરામાં સામુહિક આપઘાત કરનાર પરિવાર સાથે પણ જ્યોતિષએ રૂપિયા 32 લાખની છેતરપીંડી કર્યાનું સામે આવ્યું હતું.
શારીરિક સમસ્યાના સમાધાનરૂપે વિધી કરાવ્યા બાદ પણ કોઇ ફરક ન પડ્યો
વિગતો એકઠી કર્યા બાદ વિજ્ઞાન જાથાની ટીમે તાલુકા પોલીસની મદદથી જ્યોતિષ અશ્વિનને ઝડપી લીધો
WatchGujarat. આધુનિક યુગમાં પણ લોકો તંત્ર-મંત્ર અને જ્યોતિષની વાતોમાં આવી જતા હોય છે. શહેરમાં જ વસતા આવા જ એક ઢોંગી જ્યોતિષનો પોલીસ અને વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ થયો છે. પોતાનું ભવિષ્ય નહીં જાણતો અશ્વિન મહેતા છેલ્લા 10 વર્ષથી લોકોનું ભવિષ્ય જાણતો હોવાનો દાવો કરી છેતરપીંડી કરતો હતો. જો કે હકીકતમાં તેના પોતાના લગ્ન બે-બે વખત તૂટી ચુક્યા છે. અને ઇમિટેશનનો ધંધો નહીં ચાલતા જ તેણે આ ધંધો શરૂ કર્યાનો સ્વીકાર કર્યો હતો. સાથે જ ભાંડો ફૂટ્યા બાદ આ જ્યોતિશે માફી પણ માંગી હતી.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર, શ્રી રામ ટાઉનશીપમાં રહેતા હિતેષભાઈ અચાનક બીમાર પડી ગયા હતા. તેઓ ગમે તે વસ્તુનો ઘા કરે, 'તારો જીવ લઈને છોડીશ' એવું બોલીને બેભાન થઈ જતાં હતા. જેને પગલે મિત્રોએ ડૉક્ટરી ઉપચાર સાથે જયોતિષ અશ્વિન મહેતાનો સંપર્ક કર્યો હતો. અશ્વિને દર્દીની આ હાલત જોઈને તાત્કાલિક વિધિ કરવાનું કહ્યું હતું. આ માટે કાળું, કપડું, એક શ્રીફળ, લીંબુની સાથે 2,500 રૂપિયા ઉતારના મૂકવા માટે જણાવ્યું હતું. મજબૂર પરિવારે આ તમામ કર્યાં બાદ જ્યોતિષે વધુ 4,000 રૂપિયા માંગ્યા હતા. જોકે, તેમને આ વિધિથી કંઈ ફરક પડ્યો ન હતો.
અન્ય એક કેસમાં ધોરાજીના વકીલ અશ્વિન ગોહેલને પણ આ જ્યોતિષ સાથે આવો કડવો અનુભવ થયો હતો. આથી રાજકોટના અન્ય પરિવારોને જયોતિષી છેતરે નહીં તે માટે તેઓએ તાલુકા પોલીસ સ્ટેશન અને વિજ્ઞાન જાથાની મદદ માંગી હતી. આ મામલે જાથાએ માહિતીના આધારે ખરાઈ કરવા તેના ઘરે તપાસ કરતા અશ્વિન જયોતિષ વિદ્યાના નામે અનેક રીતે લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. અને માટે અશ્વિન રૂ. 2 હજારથી માંડીને એક લાખ સુધીની રકમ વસુલતો હોવાનું સામે આવ્યું હતું.
અશ્વિન મૂળા ઉતાર વિધિમાં સ્મશાનમાં ઉતાર મૂકવો, માતાજીના મઢમાં તાંત્રિક વિધિની વસ્તુ મૂકવી, મેલી વિદ્યાનો છાયો, પિતૃ, ગ્રહ નડતર નિવારણ, વગેરે વિધિ કરતો હતો. અને લોકોને જુદા-જુદા ડર બતાવી તેમની સાથે છેતરપિંડી આચરતો હતો. એટલું જ નહીં તેણે ત્રણ માસમાં ત્રણ મકાન ફેરવ્યા હતા. સાથે જ્યોતિષના લગ્ન જીવનમાં બે વાર ભંગાણ થયું હોઈ ઈમિટેશનનું મજૂરી કામ છોડી 10 વર્ષથી તેણે જ્યોતિષ વિદ્યાનું કામ શરૂ કર્યું હોવાની વિગતો પણ સામે આવી હતી.
સમગ્ર વિગતો એકઠી કર્યા બાદ વિજ્ઞાન જાથાની ટીમે તાલુકા પોલીસની મદદથી જ્યોતિષ અશ્વિનને ઝડપી લીધો છે. જો કે ઝડપાઈ જતા અશ્વિને હવેથી કોઈને છેતરશે નહીં તેવી લેખિત બાંહેધરી પણ આપી હતી. છતાં તાલુકા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અને આ અથવા આવા કોઈપણ જ્યોતિષ કે તંત્ર-મંત્ર કારનારાઓનો ભોગ બનનાનરને પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડોદરામાં સામુહિક આપઘાત કરનાર પરિવાર સાથે પણ જ્યોતિષએ રૂપિયા 32 લાખની છેતરપીંડી કર્યાનું સામે આવ્યું હતું.