દીવાન પર રોડ પર આવેલા વિશ્વકર્મા મંદિરમાં તંત્ર દ્વારા જાહેર થયેલી કોરોના ગાઈડલાઇનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે
મંદિરમાં સેનેટાઈઝરની વ્યવસ્થા રાખવાની સાથે ઘંટનાદ માટે સેન્સર મુકવામાં આવ્યા
Watchgujarat. છેલ્લા ઘણા મહિનાઓથી કોરોના કાળ ચાલી રહ્યો છે. અને કોરોના વાયરસ હાથ લગાડવાથી ફેલાતો હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. જેને પગલે શહેરનાં વિશ્વકર્મા મંદિર ખાતે અનોખો ઉપાય કરવામાં આવ્યો છે. અહીં મંદિરમાં ઘંટ વગાડવા કોઈએ પણ ઘંટને અડવાની જરૂર રહે નહીં તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આ માટે ખાસ મુકવામાં આવેલા સેન્સર સામે હાથ રાખતા જ ઘંટનાદ શરૂ થઈ જાય છે.
જાણવા મળતી વિગત મુજબ શહેરના દીવાન પર રોડ પર આવેલા વિશ્વકર્મા મંદિરમાં તંત્ર દ્વારા જાહેર થયેલી કોરોના ગાઈડલાઇનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં મંદિરમાં સેનેટાઈઝરની વ્યવસ્થા રાખવાની સાથે ઘંટનાદ માટે સેન્સર મુકવામાં આવ્યા છે. અને આ ઉપરાંત અહીં દર્શન કરવા માટે માસ્ક પહેરીને આવવું અનિવાર્ય કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, મંદિરો માટે તંત્ર દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. જે મુજબ મંદિરમાં જે દરેક લોકો ઘંટનાદ કરતા હોય છે. તેના પર મનાઈ કરવામાં આવી હતી. અને તેની પાછળ કારણ હતું ઘંટનાદ વગાડતી વખતે હાથેથી કોઈપણ અડે ત્યારે કોરોના વાયરસ ફેલાવવાની શક્યતા રહે છે. ત્યારે વિશ્વકર્મા મંદિરમાં એક સેન્સર લગાડવામાં આવ્યું છે. આ સેન્સર સામે હાથ બતાવવાથી જાતે જ ઘંટનાદ થઈ જાય છે. આ રીતે આ મંદિરમાં કોરોના ગાઈડલાઇનનું પાલન પણ થાય છે અને મંદિર માં ઘંટનાદ પણ ગુંજે છે.
દીવાન પર રોડ પર આવેલા વિશ્વકર્મા મંદિરમાં તંત્ર દ્વારા જાહેર થયેલી કોરોના ગાઈડલાઇનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે
મંદિરમાં સેનેટાઈઝરની વ્યવસ્થા રાખવાની સાથે ઘંટનાદ માટે સેન્સર મુકવામાં આવ્યા
Watchgujarat. છેલ્લા ઘણા મહિનાઓથી કોરોના કાળ ચાલી રહ્યો છે. અને કોરોના વાયરસ હાથ લગાડવાથી ફેલાતો હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. જેને પગલે શહેરનાં વિશ્વકર્મા મંદિર ખાતે અનોખો ઉપાય કરવામાં આવ્યો છે. અહીં મંદિરમાં ઘંટ વગાડવા કોઈએ પણ ઘંટને અડવાની જરૂર રહે નહીં તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આ માટે ખાસ મુકવામાં આવેલા સેન્સર સામે હાથ રાખતા જ ઘંટનાદ શરૂ થઈ જાય છે.
જાણવા મળતી વિગત મુજબ શહેરના દીવાન પર રોડ પર આવેલા વિશ્વકર્મા મંદિરમાં તંત્ર દ્વારા જાહેર થયેલી કોરોના ગાઈડલાઇનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં મંદિરમાં સેનેટાઈઝરની વ્યવસ્થા રાખવાની સાથે ઘંટનાદ માટે સેન્સર મુકવામાં આવ્યા છે. અને આ ઉપરાંત અહીં દર્શન કરવા માટે માસ્ક પહેરીને આવવું અનિવાર્ય કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, મંદિરો માટે તંત્ર દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. જે મુજબ મંદિરમાં જે દરેક લોકો ઘંટનાદ કરતા હોય છે. તેના પર મનાઈ કરવામાં આવી હતી. અને તેની પાછળ કારણ હતું ઘંટનાદ વગાડતી વખતે હાથેથી કોઈપણ અડે ત્યારે કોરોના વાયરસ ફેલાવવાની શક્યતા રહે છે. ત્યારે વિશ્વકર્મા મંદિરમાં એક સેન્સર લગાડવામાં આવ્યું છે. આ સેન્સર સામે હાથ બતાવવાથી જાતે જ ઘંટનાદ થઈ જાય છે. આ રીતે આ મંદિરમાં કોરોના ગાઈડલાઇનનું પાલન પણ થાય છે અને મંદિર માં ઘંટનાદ પણ ગુંજે છે.