રાજય સરકારની સુચનાથી યોજાયેલી બેઠકમાં વર્ષે મહાશિવરાત્રી મેળો નહી યોજવા અંગે સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. – કલેક્ટર
ધ્વજારોહણ, રવેડી પૂજાવિધીમાં લોકોને પ્રવેશ નહીં
કોરોનાના લીધે પરિક્રમણ પણ પ્રતીકાત્મક રીતે યોજાઈ હતી
WatchGujarat. આગામી તારીખ 7 માર્ચથી યોજાનાર મહા શિવરાત્રી મેળો કોરોના મહામારીને કારણે રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. કલેકટર ડોકટર સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને સાધુ - સંતો, મેયર ધીરૂભાઈ ગોહેલ, ઉતારા - અન્નક્ષેત્ર મંડળના પ્રતિનિધિઓની હાજરીમાં એક બેઠક મળી હતી. જેમાં આ વર્ષે કોરોના મહામારી હોવાથી જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર સાધુ-સંતો જ મેળાની પરંપરા અનુસાર ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરશે.
આ અંગે કેલેકટરે જણાવ્યું હતું કે, રાજય સરકારની સુચનાથી એક બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની મહામારીના કારણે આ વર્ષે મહાશિવરાત્રી મેળો નહી યોજવા અંગે સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. સાધુ સંતો દ્વારા મેળાની પરંપરા મુજબ ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. તથા પૂજાવિધિ કરાશે. મહાશિવરાત્રીની રાત્રે રવેડી અને મૃગીકુંડમાં સ્નાન થશે. તેમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થશે. આ મુદે આગામી દિવસોમાં અખાડાઓના સાધુ સંતોની બેઠક યોજાશે. જેમાં મહાશિવરાત્રીની ઉજવણી અંગે આયોજન કરવામાં આવશે. પરંતુ ધ્વજારોહણ, રવેડી પૂજાવિધીમાં લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે.
કોરોનાના લીધે પરિક્રમણ પણ પ્રતીકાત્મક રીતે યોજાઈ હતી. જયારે હવે મહાશિવરાત્રી મેળો પણ માત્ર પરંપરા જાળવવા પુરતો જ યોજાનાર છે. તેમાં સાધુ સંતો જ ઉપસ્થિત રહેશે. મહાશિવરાત્રી મેળો પણ રદ થવાથી સ્થાનિક વેપારીઓ રિક્ષાચાલકો, ST, તેમજ મેળામાં નાનો મોટો વ્યવસાય કરવા આવતા લોકોને નુકસાન સહન કરવું પડશે. ત્યારે મેળો રદ્દ થતા ચૂંટણી વખતે સભા રેલીઓમાં કેમ કોરોના ન યાદ આવ્યો? તેમજ જો કોરોના છે તો ચૂંટણી પણ શા માટે યોજી? જેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજયની મહાનગર પાલીકાઓની તથા ન.પા. તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજકીય પક્ષના કાર્યકરો નેતાઓએ જાણે કોરોના જતો રહ્યો હોય તેમ સભા રેલીઓ યોજી હતી. અને માણસો એકત્ર કર્યા હતાં. ચૂંટણી યોજવામાં સ્વાર્થ હોવાથી તેમાં કોઈને કોરોના ન નડયો અને હવે મહાશિવરાત્રી મેળો કોરોનાના કારણે રદ્દ કરવામાં આવતા સરકારનાં બેવડા વલણથી લોકોમાં આશ્ચર્ય છવાયું છે.
રાજય સરકારની સુચનાથી યોજાયેલી બેઠકમાં વર્ષે મહાશિવરાત્રી મેળો નહી યોજવા અંગે સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. – કલેક્ટર
ધ્વજારોહણ, રવેડી પૂજાવિધીમાં લોકોને પ્રવેશ નહીં
કોરોનાના લીધે પરિક્રમણ પણ પ્રતીકાત્મક રીતે યોજાઈ હતી
WatchGujarat. આગામી તારીખ 7 માર્ચથી યોજાનાર મહા શિવરાત્રી મેળો કોરોના મહામારીને કારણે રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. કલેકટર ડોકટર સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને સાધુ - સંતો, મેયર ધીરૂભાઈ ગોહેલ, ઉતારા - અન્નક્ષેત્ર મંડળના પ્રતિનિધિઓની હાજરીમાં એક બેઠક મળી હતી. જેમાં આ વર્ષે કોરોના મહામારી હોવાથી જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર સાધુ-સંતો જ મેળાની પરંપરા અનુસાર ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરશે.
આ અંગે કેલેકટરે જણાવ્યું હતું કે, રાજય સરકારની સુચનાથી એક બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની મહામારીના કારણે આ વર્ષે મહાશિવરાત્રી મેળો નહી યોજવા અંગે સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. સાધુ સંતો દ્વારા મેળાની પરંપરા મુજબ ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. તથા પૂજાવિધિ કરાશે. મહાશિવરાત્રીની રાત્રે રવેડી અને મૃગીકુંડમાં સ્નાન થશે. તેમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થશે. આ મુદે આગામી દિવસોમાં અખાડાઓના સાધુ સંતોની બેઠક યોજાશે. જેમાં મહાશિવરાત્રીની ઉજવણી અંગે આયોજન કરવામાં આવશે. પરંતુ ધ્વજારોહણ, રવેડી પૂજાવિધીમાં લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે.
કોરોનાના લીધે પરિક્રમણ પણ પ્રતીકાત્મક રીતે યોજાઈ હતી. જયારે હવે મહાશિવરાત્રી મેળો પણ માત્ર પરંપરા જાળવવા પુરતો જ યોજાનાર છે. તેમાં સાધુ સંતો જ ઉપસ્થિત રહેશે. મહાશિવરાત્રી મેળો પણ રદ થવાથી સ્થાનિક વેપારીઓ રિક્ષાચાલકો, ST, તેમજ મેળામાં નાનો મોટો વ્યવસાય કરવા આવતા લોકોને નુકસાન સહન કરવું પડશે. ત્યારે મેળો રદ્દ થતા ચૂંટણી વખતે સભા રેલીઓમાં કેમ કોરોના ન યાદ આવ્યો? તેમજ જો કોરોના છે તો ચૂંટણી પણ શા માટે યોજી? જેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજયની મહાનગર પાલીકાઓની તથા ન.પા. તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજકીય પક્ષના કાર્યકરો નેતાઓએ જાણે કોરોના જતો રહ્યો હોય તેમ સભા રેલીઓ યોજી હતી. અને માણસો એકત્ર કર્યા હતાં. ચૂંટણી યોજવામાં સ્વાર્થ હોવાથી તેમાં કોઈને કોરોના ન નડયો અને હવે મહાશિવરાત્રી મેળો કોરોનાના કારણે રદ્દ કરવામાં આવતા સરકારનાં બેવડા વલણથી લોકોમાં આશ્ચર્ય છવાયું છે.