મીની લોકડાઉનને લઈને પ્રવાસીઓ માટે પ્રદ્યુમન પાર્ક ઝૂને બંધ રાખવામાં આવ્યું છે
ગતરાત્રે સિંહના વિશાળ પાંજરામાં અચાનક ઝેરી કોબ્રા આવી ચડ્યો
કોબ્રાએ અંદાજે છ વર્ષની ઋત્વી નામની સિંહણને દંશ મારતા તે બેભાન મળી આવતા અધિકારીઓ દોડતા થયા
કોબ્રા પર સિંહણનો પગ આવી જવા કે અન્ય કોઇ આકસ્મિક ઘટનાના કારણે તેને દંશ મારી દીધાની શક્યતા
ઝેર ઉતારવા સિંહણને ‘એન્ટીસ્નેક વેનમ’ની સારવાર આપવામાં આવી
WatchGujarat. મનપા દ્વારા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં ગતરાત્રે એક ઝેરી કોબ્રા સિંહના પાંજરામાં ઘૂસી ગયો હતો. અને અંદાજે છ વર્ષની ઋત્વી નામની સિંહણને કોબ્રાએ દંશ માર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે બાળ સિંહણની હાલત ગંભીર બનતા સારવારમાં ખસેડાઈ છે. હાલમાં સિંહણને ‘એન્ટીસ્નેક વેનમ’ની સારવાર આપવામાં આવી રહી હોવાનું અને તેના શરીરમાંથી ઝેર ઉતારવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, હાલ મીની લોકડાઉનને લઈને પ્રવાસીઓ માટે પ્રદ્યુમન પાર્ક ઝૂને બંધ રાખવામાં આવ્યું છે. દરમિયાન ગતરાત્રે સિંહના વિશાળ પાંજરામાં અચાનક ઝેરી કોબ્રા આવી ચડ્યો હતો. અને કોઈ કારણોસર આ કોબ્રાએ અંદાજે છ વર્ષની ઋત્વી નામની સિંહણને દંશ મારતા તે બેભાન થઇ ગઇ હતી. આજે સવારે રાબેતા મુજબ ઝૂનો સ્ટાફ પાંજરામાં પહોંચ્યો હતો. અને સિંહણ ઋત્વીને બેભાન હાલતમાં જોતા તુરંત અધિકારીઓને જાણ કરી હતી.
બનાવ અંગેની જાણ થતાં જ ઝૂ અધિક્ષક ડો. આર.કે. હિરપરા અને ડો.ઝાકાસણીયા સ્થળ પર દોડી ગયા હતા. સાથે જ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ પણ ત્યાં પહોંચ્યા હતા. અને સિંહણને પાંજરામાંથી બહાર કાઢી તેની સારવાર શરૂ કરાવી હતી. બપોરે આ સિંહણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે, સામાન્ય રીતે અહીં પ્રાણીઓ એકબીજાને બહુ નુકસાન કરતા નથી. પરંતુ કોબ્રા પર સિંહણનો પગ આવી જવા કે અન્ય કોઇ આકસ્મિક ઘટનાના કારણે તેને દંશ મારી દીધાની શક્યતા છે. હાલ કોબ્રાનું ઝેર ઉતારવા સિંહણને ‘એન્ટીસ્નેક વેનમ’ની સારવાર આપવામાં આવી રહી છે. અને ઇન્જેકશન મારફત તેના શરીરમાંથી ઝેર કાઢવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
મીની લોકડાઉનને લઈને પ્રવાસીઓ માટે પ્રદ્યુમન પાર્ક ઝૂને બંધ રાખવામાં આવ્યું છે
ગતરાત્રે સિંહના વિશાળ પાંજરામાં અચાનક ઝેરી કોબ્રા આવી ચડ્યો
કોબ્રાએ અંદાજે છ વર્ષની ઋત્વી નામની સિંહણને દંશ મારતા તે બેભાન મળી આવતા અધિકારીઓ દોડતા થયા
કોબ્રા પર સિંહણનો પગ આવી જવા કે અન્ય કોઇ આકસ્મિક ઘટનાના કારણે તેને દંશ મારી દીધાની શક્યતા
ઝેર ઉતારવા સિંહણને ‘એન્ટીસ્નેક વેનમ’ની સારવાર આપવામાં આવી
WatchGujarat. મનપા દ્વારા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં ગતરાત્રે એક ઝેરી કોબ્રા સિંહના પાંજરામાં ઘૂસી ગયો હતો. અને અંદાજે છ વર્ષની ઋત્વી નામની સિંહણને કોબ્રાએ દંશ માર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે બાળ સિંહણની હાલત ગંભીર બનતા સારવારમાં ખસેડાઈ છે. હાલમાં સિંહણને ‘એન્ટીસ્નેક વેનમ’ની સારવાર આપવામાં આવી રહી હોવાનું અને તેના શરીરમાંથી ઝેર ઉતારવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, હાલ મીની લોકડાઉનને લઈને પ્રવાસીઓ માટે પ્રદ્યુમન પાર્ક ઝૂને બંધ રાખવામાં આવ્યું છે. દરમિયાન ગતરાત્રે સિંહના વિશાળ પાંજરામાં અચાનક ઝેરી કોબ્રા આવી ચડ્યો હતો. અને કોઈ કારણોસર આ કોબ્રાએ અંદાજે છ વર્ષની ઋત્વી નામની સિંહણને દંશ મારતા તે બેભાન થઇ ગઇ હતી. આજે સવારે રાબેતા મુજબ ઝૂનો સ્ટાફ પાંજરામાં પહોંચ્યો હતો. અને સિંહણ ઋત્વીને બેભાન હાલતમાં જોતા તુરંત અધિકારીઓને જાણ કરી હતી.
બનાવ અંગેની જાણ થતાં જ ઝૂ અધિક્ષક ડો. આર.કે. હિરપરા અને ડો.ઝાકાસણીયા સ્થળ પર દોડી ગયા હતા. સાથે જ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ પણ ત્યાં પહોંચ્યા હતા. અને સિંહણને પાંજરામાંથી બહાર કાઢી તેની સારવાર શરૂ કરાવી હતી. બપોરે આ સિંહણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે, સામાન્ય રીતે અહીં પ્રાણીઓ એકબીજાને બહુ નુકસાન કરતા નથી. પરંતુ કોબ્રા પર સિંહણનો પગ આવી જવા કે અન્ય કોઇ આકસ્મિક ઘટનાના કારણે તેને દંશ મારી દીધાની શક્યતા છે. હાલ કોબ્રાનું ઝેર ઉતારવા સિંહણને ‘એન્ટીસ્નેક વેનમ’ની સારવાર આપવામાં આવી રહી છે. અને ઇન્જેકશન મારફત તેના શરીરમાંથી ઝેર કાઢવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.