ન્યુ જાગનાથ વિસ્તારમાં આવેલા પન્નાલા ફ્રૂટવાળાનાં કુટુંબ ઉપર જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું
13 એપ્રિલથી ત્રીજી મેં સુધીમાં જ પરિવારનો માળો વીંખાઈ ગયો
ત્રણેય ભાઈઓની 40 વર્ષની મહેનતથી રાજકોટ શહેરમાં પન્નાલાલ ફ્રૂટવાળા એક જાણીતુ નામ બન્યું
WatchGujarat. કોરોના નામથી જ લોકો સંપૂર્ણ ભયભીત થઇ ચુક્યા છે. તેમાં પણ કોરોનાનાં બીજા સ્ટ્રેને અનેક લોકોનાં ભોગ લઈ રીતસરનો આતંક મચાવ્યો છે. આ દરમિયાન રાજકોટનાં એક પરિવારનાં ત્રણ ભાઈઓનાં માત્ર 20 દિવસનાં સમયગાળામાં મોત નિપજતાં આ પરિવારમાં આક્રંદ છવાયો છે. તો પોતાની નજર સામે એક બાદ એક પુત્રની અર્થી ઉઠતા જોઈને મૃતકોનાં વૃદ્ધ માતા-પિતા સાવ સુન્ન થઈ ગયા છે.
રાજકોટનાં ન્યુ જાગનાથ વિસ્તારમાં આવેલા પન્નાલા ફ્રૂટવાળાનાં કુટુંબ ઉપર જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં આ કુટુંબના ત્રણ સભ્યોએ માત્ર 20 દિવસમાં એક બાદ એક કોરોનાને કારણે જીવ ગુમાવતા પરિવાર પાર આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગત તારીખ ત્રીજી એપ્રિલે જેના હાથમાં આ કુટુંબની ભાગડોર હતી. તેવા ઓમપ્રકાશભાઇ જસાણી કોરોના સંક્રમિત થયા હતા. અને 13 એપ્રિલે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બાદમાં 22 એપ્રિલે તેમના નાના ભાઈ ગિરીશભાઈ અને 3 મેં નાં રોજ ત્રીજા યશવંતભાઇનું પણ મોત નિપજ્યું હતું. આમ 13 એપ્રિલથી ત્રીજી મેં સુધીમાં જ પરિવારનો માળો વીંખાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, આ ભાઈઓની 40 વર્ષની મહેનતથી રાજકોટ શહેરમાં પન્નાલાલ ફ્રૂટવાળા એક જાણીતુ નામ બન્યું છે. હાલમાં ન્યૂ જાગનાથ અને વિરાણી ચોક ખાતે પોતાની દુકાનો ધરાવે છે. શહેરનાં મોટા ભાગના લોકો આ દુકાનોમાંથી ફ્રુટ ખરીદે છે. જ્યારે પણ કોઈ બીમાર વ્યક્તિ માટે ફ્રુટ ખરીદવાનું હોય ત્યારે લોકો પન્નાલાલનો આગ્રહ રાખતા હોય છે. વારંવાર જરૂરિયાતમંદ લોકોને તેઓ નિઃશુલ્ક ફ્રૂટ આપી સેવા પણ કરતા હતા. અનેક કોરોનાનાં દર્દીઓ પણ આ સેવાનો લાભ લઇ ચુક્યા છે. ત્યારે માત્ર 20 દિવસમાં ત્રણ-ત્રણ ભાઈઓનાં મોતથી લોકોમાં શોકની લાગણી ફરી વળી છે.
ન્યુ જાગનાથ વિસ્તારમાં આવેલા પન્નાલા ફ્રૂટવાળાનાં કુટુંબ ઉપર જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું
13 એપ્રિલથી ત્રીજી મેં સુધીમાં જ પરિવારનો માળો વીંખાઈ ગયો
ત્રણેય ભાઈઓની 40 વર્ષની મહેનતથી રાજકોટ શહેરમાં પન્નાલાલ ફ્રૂટવાળા એક જાણીતુ નામ બન્યું
WatchGujarat. કોરોના નામથી જ લોકો સંપૂર્ણ ભયભીત થઇ ચુક્યા છે. તેમાં પણ કોરોનાનાં બીજા સ્ટ્રેને અનેક લોકોનાં ભોગ લઈ રીતસરનો આતંક મચાવ્યો છે. આ દરમિયાન રાજકોટનાં એક પરિવારનાં ત્રણ ભાઈઓનાં માત્ર 20 દિવસનાં સમયગાળામાં મોત નિપજતાં આ પરિવારમાં આક્રંદ છવાયો છે. તો પોતાની નજર સામે એક બાદ એક પુત્રની અર્થી ઉઠતા જોઈને મૃતકોનાં વૃદ્ધ માતા-પિતા સાવ સુન્ન થઈ ગયા છે.
રાજકોટનાં ન્યુ જાગનાથ વિસ્તારમાં આવેલા પન્નાલા ફ્રૂટવાળાનાં કુટુંબ ઉપર જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં આ કુટુંબના ત્રણ સભ્યોએ માત્ર 20 દિવસમાં એક બાદ એક કોરોનાને કારણે જીવ ગુમાવતા પરિવાર પાર આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગત તારીખ ત્રીજી એપ્રિલે જેના હાથમાં આ કુટુંબની ભાગડોર હતી. તેવા ઓમપ્રકાશભાઇ જસાણી કોરોના સંક્રમિત થયા હતા. અને 13 એપ્રિલે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બાદમાં 22 એપ્રિલે તેમના નાના ભાઈ ગિરીશભાઈ અને 3 મેં નાં રોજ ત્રીજા યશવંતભાઇનું પણ મોત નિપજ્યું હતું. આમ 13 એપ્રિલથી ત્રીજી મેં સુધીમાં જ પરિવારનો માળો વીંખાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, આ ભાઈઓની 40 વર્ષની મહેનતથી રાજકોટ શહેરમાં પન્નાલાલ ફ્રૂટવાળા એક જાણીતુ નામ બન્યું છે. હાલમાં ન્યૂ જાગનાથ અને વિરાણી ચોક ખાતે પોતાની દુકાનો ધરાવે છે. શહેરનાં મોટા ભાગના લોકો આ દુકાનોમાંથી ફ્રુટ ખરીદે છે. જ્યારે પણ કોઈ બીમાર વ્યક્તિ માટે ફ્રુટ ખરીદવાનું હોય ત્યારે લોકો પન્નાલાલનો આગ્રહ રાખતા હોય છે. વારંવાર જરૂરિયાતમંદ લોકોને તેઓ નિઃશુલ્ક ફ્રૂટ આપી સેવા પણ કરતા હતા. અનેક કોરોનાનાં દર્દીઓ પણ આ સેવાનો લાભ લઇ ચુક્યા છે. ત્યારે માત્ર 20 દિવસમાં ત્રણ-ત્રણ ભાઈઓનાં મોતથી લોકોમાં શોકની લાગણી ફરી વળી છે.