ત્રણેક મહિનાનાં આ સમયગાળા દરમિયાન બંને બાળકોને સતત પોર્ટેબલ વેન્ટિલેટર, પેરેન્ટરલ ન્યૂટ્રિશન, તેમજ NTCU પર રાખવામાં આવ્યા
ગુજરાતના મેડિકલ જગતમાં સંભવત: સૌપ્રથમ ઘટના
WatchGujarat. કોરોના કાળમાં કુદરતનાં ચમત્કાર સમાન એક ઘટના સામે આવી છે. જેમાં માત્ર 22 સપ્તાહમાં જન્મ અને 550 તેમજ 620 ગ્રામ જેટલું ઓછું વજન ધરાવતા ટ્વિન્સ ટાબરીયાઓ હાલ બિલકુલ સ્વસ્થ છે. જો કે આ માટે ડોક્ટરોએ સતત મહિનાઓ સુધી કરેલી મહેનતે મહત્વનો ભાગ ભજવ્યો છે. અંદાજે ત્રણેક મહિનાનાં આ સમયગાળા દરમિયાન બંને બાળકોને સતત પોર્ટેબલ વેન્ટિલેટર, પેરેન્ટરલ ન્યૂટ્રિશન, તેમજ NTCU પર રાખવામાં આવ્યા હતા. હાલ આ બેલડીને સંપૂર્ણ રીતે તંદુરસ્ત હોવાની સાથે માતાના ધાવણ પર 2.5 કિલોના વજન સાથે જ ઘરે મોકલવામાં આવી છે. ગુજરાતના મેડિકલ જગતમાં સંભવત: આ સૌપ્રથમ ઘટના હોવાનું તબીબી આલમમાં ચર્ચાઈ રહ્યું છે. #Rajkot
ગુજરાતનાં અમદાવાદ ખાતે તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ઓછા વજન તેમજ અધૂરા માસે જન્મેલા બાળકને તબીબોએ બચાવી નવજીવન આપ્યું હતું. તેનાથી પણ કપરો કહી શકાય તેવો એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. આ કિસ્સામાં માત્ર એક જ નહીં પણ બે બાળકોના જીવનને બચાવી લેવામાં તબીબોને સફળતા મળી છે. આ બાળકો જોડ્યા હતા અને બંનેના વજન નહીં બરાબર હતા. એટલું જ નહીં ગર્ભ રહ્યાનાં 22 સપ્તાહમાં જ મહિલાને પ્રસવ પીડા ઉપડતાં નોર્મલ ડીલીવરીમાં ટ્વીન્સ બાળકોનો જન્મ થયો હતો. #Rajkot
આ બાળકોને જોતા સૌપ્રથમ તો પરિવારજનો સહિત તબીબો પણ અચંબિત થઈ ગયા હતા. કારણકે બંને બાળકોમાં એકનું વજન 550 ગ્રામ જ્યારે બીજાનું માત્ર 620 ગ્રામ હતું. ત્યારે મેડિકલ જગત માટે પણ આ એક ચેલેન્જ હતી કે, આટલા ઓછા સપ્તાહમાં જન્મેલા બે-બે અવિકસિત બાળકોને કેવી રીતે બચાવી શકાય ? જો કે સતત ચાર મહિના અમૃતા હોસ્પિટલમાં અદ્યતન મેડિકલ ટ્રીટમેન્ટ અને તબીબો સહિતની આખી ટીમની રાઉન્ડ ધ ક્લોક મહેનત બાદ આ બંને બાળકોને નવજીવન આપવામાં સફળતા મળતા ડોક્ટરોએ પણ કુદરતનો કરિશ્મા ગણાવ્યો હતો.
કુમળા ફૂલ જેવા બંને બાળકોને નવજીવન આપનાર ડોક્ટર જય ધીરવાણી અને ડો.રાકેશ.ગામી જણાવે છે કે, રાધાબેન નકુમ નામના મહિલાએ જ્યારે ગર્ભ ધારણ કર્યો ત્યારે શરૂઆતના દિવસોમાં તેમને કોઈ મુશ્કેલી ન હતી. પણ પાંચમો મહિનો ઉતરતાની સાથે તેમને પ્રસવ પીડા ઉપડી અને આ સમયે નોર્મલ ડીલેવરીમાં ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ આ બાળકો સમય કરતાં ખૂબ જ વહેલા જન્મ્યા હોઈ ઓછા વજનવાળા અને અવિકસિત હતા. સામાન્ય સંજોગોમાં પ્રસૂતાને ડીલેવરી થાય તેનાં કરતા ચાર મહિના વહેલી ડિલિવરી થઈ હોવાથી અઢીથી ત્રણ કિલોને બદલે પાંચમા ભાગનું વજન આ બાળકોનું હતું. #Rajkot
વજન ઓછું હોવાને કારણે જન્મથી જ બંનેના મગજ, ફેફસાં, હૃદય, અને આંતરડા સહિતનાં મુખ્ય અંગોનો વિકાસ થયો નહોતો. જેને લઈને બંને બાળકોને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હોવાથી તુરંત જ પોર્ટેબલ વેન્ટિલેટર ઉપર એન આઇસીયુમાં લઈ જવામાં આવ્યા હતા. સાથે જ તેના ફેફસાં મજબૂત કરવા ઈન્જેકશન, ટોટલ પેરેન્ટરલ ન્યુટ્રીશન જેવી આધુનિક સારવાર પણ આપવામાં આવી હતી. અને માતાના ગર્ભમાં જે પ્રકારે વિકાસ થાય તેવો વિકાસ કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં ઈશ્વર કૃપાથી સંપૂર્ણપણે સફળતા પણ મળી છે. #Rajkot
જ્યારે આ બાળકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે સૌથી મોટો પડકાર તો એ જ હતો કે કુમળા ફૂલ જેવા અને અવિકસિત બાળકોને ઈન્જેકશન આપવા માટે તેમની વેન(નસ) પકડાતી ન હતી. અમારા હાથ કરતા પણ આ જુગલજોડી નાની હતી અને બધા જ અંગો સૂક્ષ્મ હતા. એક તબક્કે તેમના માતા-પિતાએ પણ આશા મુકી દીધી હતી કે, હવે આ બાળકોને અમે બચાવી શકીશું. પરંતુ આ બાળકોને દુનિયા જોવાની ઈચ્છા હિમત બની હતી. અને એક સપ્તાહની સારવાર બાદ રિસ્પોન્સ મળવા લાગ્યો હતો. અત્યારે આ બંને બાળકો ચાર મહિનાના થઈ ગયા છે અને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે તેમના દર મહિને મગજ અને શરીરના રિપોર્ટ કરવામાં આવે છે. #Rajkot
More #New #born #twines #got #medical #attention #Rajkot news #Watchgujarat
ત્રણેક મહિનાનાં આ સમયગાળા દરમિયાન બંને બાળકોને સતત પોર્ટેબલ વેન્ટિલેટર, પેરેન્ટરલ ન્યૂટ્રિશન, તેમજ NTCU પર રાખવામાં આવ્યા
ગુજરાતના મેડિકલ જગતમાં સંભવત: સૌપ્રથમ ઘટના
WatchGujarat. કોરોના કાળમાં કુદરતનાં ચમત્કાર સમાન એક ઘટના સામે આવી છે. જેમાં માત્ર 22 સપ્તાહમાં જન્મ અને 550 તેમજ 620 ગ્રામ જેટલું ઓછું વજન ધરાવતા ટ્વિન્સ ટાબરીયાઓ હાલ બિલકુલ સ્વસ્થ છે. જો કે આ માટે ડોક્ટરોએ સતત મહિનાઓ સુધી કરેલી મહેનતે મહત્વનો ભાગ ભજવ્યો છે. અંદાજે ત્રણેક મહિનાનાં આ સમયગાળા દરમિયાન બંને બાળકોને સતત પોર્ટેબલ વેન્ટિલેટર, પેરેન્ટરલ ન્યૂટ્રિશન, તેમજ NTCU પર રાખવામાં આવ્યા હતા. હાલ આ બેલડીને સંપૂર્ણ રીતે તંદુરસ્ત હોવાની સાથે માતાના ધાવણ પર 2.5 કિલોના વજન સાથે જ ઘરે મોકલવામાં આવી છે. ગુજરાતના મેડિકલ જગતમાં સંભવત: આ સૌપ્રથમ ઘટના હોવાનું તબીબી આલમમાં ચર્ચાઈ રહ્યું છે. #Rajkot
ગુજરાતનાં અમદાવાદ ખાતે તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ઓછા વજન તેમજ અધૂરા માસે જન્મેલા બાળકને તબીબોએ બચાવી નવજીવન આપ્યું હતું. તેનાથી પણ કપરો કહી શકાય તેવો એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. આ કિસ્સામાં માત્ર એક જ નહીં પણ બે બાળકોના જીવનને બચાવી લેવામાં તબીબોને સફળતા મળી છે. આ બાળકો જોડ્યા હતા અને બંનેના વજન નહીં બરાબર હતા. એટલું જ નહીં ગર્ભ રહ્યાનાં 22 સપ્તાહમાં જ મહિલાને પ્રસવ પીડા ઉપડતાં નોર્મલ ડીલીવરીમાં ટ્વીન્સ બાળકોનો જન્મ થયો હતો. #Rajkot
આ બાળકોને જોતા સૌપ્રથમ તો પરિવારજનો સહિત તબીબો પણ અચંબિત થઈ ગયા હતા. કારણકે બંને બાળકોમાં એકનું વજન 550 ગ્રામ જ્યારે બીજાનું માત્ર 620 ગ્રામ હતું. ત્યારે મેડિકલ જગત માટે પણ આ એક ચેલેન્જ હતી કે, આટલા ઓછા સપ્તાહમાં જન્મેલા બે-બે અવિકસિત બાળકોને કેવી રીતે બચાવી શકાય ? જો કે સતત ચાર મહિના અમૃતા હોસ્પિટલમાં અદ્યતન મેડિકલ ટ્રીટમેન્ટ અને તબીબો સહિતની આખી ટીમની રાઉન્ડ ધ ક્લોક મહેનત બાદ આ બંને બાળકોને નવજીવન આપવામાં સફળતા મળતા ડોક્ટરોએ પણ કુદરતનો કરિશ્મા ગણાવ્યો હતો.
કુમળા ફૂલ જેવા બંને બાળકોને નવજીવન આપનાર ડોક્ટર જય ધીરવાણી અને ડો.રાકેશ.ગામી જણાવે છે કે, રાધાબેન નકુમ નામના મહિલાએ જ્યારે ગર્ભ ધારણ કર્યો ત્યારે શરૂઆતના દિવસોમાં તેમને કોઈ મુશ્કેલી ન હતી. પણ પાંચમો મહિનો ઉતરતાની સાથે તેમને પ્રસવ પીડા ઉપડી અને આ સમયે નોર્મલ ડીલેવરીમાં ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ આ બાળકો સમય કરતાં ખૂબ જ વહેલા જન્મ્યા હોઈ ઓછા વજનવાળા અને અવિકસિત હતા. સામાન્ય સંજોગોમાં પ્રસૂતાને ડીલેવરી થાય તેનાં કરતા ચાર મહિના વહેલી ડિલિવરી થઈ હોવાથી અઢીથી ત્રણ કિલોને બદલે પાંચમા ભાગનું વજન આ બાળકોનું હતું. #Rajkot
વજન ઓછું હોવાને કારણે જન્મથી જ બંનેના મગજ, ફેફસાં, હૃદય, અને આંતરડા સહિતનાં મુખ્ય અંગોનો વિકાસ થયો નહોતો. જેને લઈને બંને બાળકોને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હોવાથી તુરંત જ પોર્ટેબલ વેન્ટિલેટર ઉપર એન આઇસીયુમાં લઈ જવામાં આવ્યા હતા. સાથે જ તેના ફેફસાં મજબૂત કરવા ઈન્જેકશન, ટોટલ પેરેન્ટરલ ન્યુટ્રીશન જેવી આધુનિક સારવાર પણ આપવામાં આવી હતી. અને માતાના ગર્ભમાં જે પ્રકારે વિકાસ થાય તેવો વિકાસ કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં ઈશ્વર કૃપાથી સંપૂર્ણપણે સફળતા પણ મળી છે. #Rajkot
જ્યારે આ બાળકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે સૌથી મોટો પડકાર તો એ જ હતો કે કુમળા ફૂલ જેવા અને અવિકસિત બાળકોને ઈન્જેકશન આપવા માટે તેમની વેન(નસ) પકડાતી ન હતી. અમારા હાથ કરતા પણ આ જુગલજોડી નાની હતી અને બધા જ અંગો સૂક્ષ્મ હતા. એક તબક્કે તેમના માતા-પિતાએ પણ આશા મુકી દીધી હતી કે, હવે આ બાળકોને અમે બચાવી શકીશું. પરંતુ આ બાળકોને દુનિયા જોવાની ઈચ્છા હિમત બની હતી. અને એક સપ્તાહની સારવાર બાદ રિસ્પોન્સ મળવા લાગ્યો હતો. અત્યારે આ બંને બાળકો ચાર મહિનાના થઈ ગયા છે અને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે તેમના દર મહિને મગજ અને શરીરના રિપોર્ટ કરવામાં આવે છે. #Rajkot
More #New #born #twines #got #medical #attention #Rajkot news #Watchgujarat