શહેરમાં 6 સ્થળોએ વેક્સીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી
ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના હોદ્દેદારો, ક્રિટીકલ કેરના હોદ્દેદારો અને ફીઝીશ્યનના હોદ્દેદારો વગેરેએ પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતેના બુથ પર વેક્સીનેસનમાં ભાગ લીધો
કર્નલ ડો. આર.બી.હાપાણી કે જેમની ઉંમર 81 વર્ષ છે તેમણે પણ હોશભેર કોરોનાની વેક્સીન લીધી
WatchGujarat. ગત 16નાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસ સામે રક્ષણાત્મક બની રહેલ કોરોના વેક્સીન લોન્ચ કરી હતી. ત્યારબાદ આજે બીજા તબક્કાનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શહેરમાં 6 સ્થળોએ વેક્સીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે બપોર સુધીમાં 155 લોકોને વેક્સીન આપવામાં આવી છે. જેમાં ગવર્નમેન્ટ અને પ્રાઈવેટ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને વેક્સીન આપવામાં આવી હતી.
આજે 6 (છ) સ્થળોએ વેક્સીનેશન કામગીરી કરવામાં આવી છે જેમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે 2 બુથ, પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે 1 બુથ, સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે 1 બુથ, વોકહાર્ડ હોસ્પિટલ ખાતે 1 બુથ અને ગીરીરાજ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે 1 બુથ પર કામગીરી કરવામાં આવી રહી છે.
જેમાં ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના હોદ્દેદારો, ક્રિટીકલ કેરના હોદ્દેદારો અને ફીઝીશ્યનના હોદ્દેદારો વગેરેએ પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતેના બુથ પર વેક્સીનેસનમાં ભાગ લીધો હતો. સાથોસાથ કર્નલ ડો. આર.બી.હાપાણી કે જેમની ઉંમર 81 વર્ષ છે તેમણે પણ હોશભેર કોરોનાની વેક્સીન લીધી હતી. સાથે જ રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ કામગીરી કરતી મનપાની ટીમને બિરદાવી હતી. તેમજ કોરોના વેક્સીન લેવામાં કે લીધા બાદ કોઇપણ જાતની તકલીફ પડી નહીં હોવાનું જણાવ્યું હતું.
આ તકે કર્નલે શહેરીજનોને અપીલ કરી હતી કે જયારે પણ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મોબાઈલમાં કોરોના વેક્સીનનો મેસેજ આવે ત્યારે મેસેજના સ્થળે સુરક્ષિત સમાજ માટે અચૂક કોરોનાની વેક્સીન લેવી જોઈએ. તેમજ વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત હોવાનું કહી લોકોને અફવાઓ અને ડરથી દૂર રહેવા જણાવ્યું છે. આજના દિવસમાં 500થી વધુનું રસીકરણ કરવાનો લક્ષ્યાંક હોવાનું ફરજ પરના આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
શહેરમાં 6 સ્થળોએ વેક્સીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી
ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના હોદ્દેદારો, ક્રિટીકલ કેરના હોદ્દેદારો અને ફીઝીશ્યનના હોદ્દેદારો વગેરેએ પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતેના બુથ પર વેક્સીનેસનમાં ભાગ લીધો
કર્નલ ડો. આર.બી.હાપાણી કે જેમની ઉંમર 81 વર્ષ છે તેમણે પણ હોશભેર કોરોનાની વેક્સીન લીધી
WatchGujarat. ગત 16નાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસ સામે રક્ષણાત્મક બની રહેલ કોરોના વેક્સીન લોન્ચ કરી હતી. ત્યારબાદ આજે બીજા તબક્કાનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શહેરમાં 6 સ્થળોએ વેક્સીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે બપોર સુધીમાં 155 લોકોને વેક્સીન આપવામાં આવી છે. જેમાં ગવર્નમેન્ટ અને પ્રાઈવેટ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને વેક્સીન આપવામાં આવી હતી.
આજે 6 (છ) સ્થળોએ વેક્સીનેશન કામગીરી કરવામાં આવી છે જેમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે 2 બુથ, પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે 1 બુથ, સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે 1 બુથ, વોકહાર્ડ હોસ્પિટલ ખાતે 1 બુથ અને ગીરીરાજ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે 1 બુથ પર કામગીરી કરવામાં આવી રહી છે.
જેમાં ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના હોદ્દેદારો, ક્રિટીકલ કેરના હોદ્દેદારો અને ફીઝીશ્યનના હોદ્દેદારો વગેરેએ પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતેના બુથ પર વેક્સીનેસનમાં ભાગ લીધો હતો. સાથોસાથ કર્નલ ડો. આર.બી.હાપાણી કે જેમની ઉંમર 81 વર્ષ છે તેમણે પણ હોશભેર કોરોનાની વેક્સીન લીધી હતી. સાથે જ રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ કામગીરી કરતી મનપાની ટીમને બિરદાવી હતી. તેમજ કોરોના વેક્સીન લેવામાં કે લીધા બાદ કોઇપણ જાતની તકલીફ પડી નહીં હોવાનું જણાવ્યું હતું.
આ તકે કર્નલે શહેરીજનોને અપીલ કરી હતી કે જયારે પણ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મોબાઈલમાં કોરોના વેક્સીનનો મેસેજ આવે ત્યારે મેસેજના સ્થળે સુરક્ષિત સમાજ માટે અચૂક કોરોનાની વેક્સીન લેવી જોઈએ. તેમજ વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત હોવાનું કહી લોકોને અફવાઓ અને ડરથી દૂર રહેવા જણાવ્યું છે. આજના દિવસમાં 500થી વધુનું રસીકરણ કરવાનો લક્ષ્યાંક હોવાનું ફરજ પરના આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.