રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા મનપા તંત્ર એક્શન મોડમાં
મેડિકલ સ્ટોર સંચાલકોને દવા લેનાર તમામ વ્યક્તિની નામ, નંબર સહિતની માહિતી નોંધવા સૂચના.
રાજકોટ. શહેરમાં સતત વધી રહેલુ કોરોના સંક્રમણ અટકાવવા આખરે મનપા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અને હવે મેડિકલ સ્ટોરમાં તાવ,શરદી-ઉધરસની દવા લેનારની યાદી બનાવી તેમના ટેસ્ટ શરૂ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે મેડિકલ સ્ટોર સંચાલકોને તાવ, શરદી, ઉધરસની દવા લેવા આવતાં વ્યક્તિની નામ, નંબર સહિતની વિગતો નોંધવાની સૂચના આપી દેવામાં આવી છે.
આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટોર્સમાંથી દવા લેનાર બધી વ્યક્તિઓએ પોતાનું નામ, નંબર અને એડ્રેસ લખાવવા પડશે. આ માટે શહેરનાં મેડિકલ સ્ટોર્સને પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. બાદમાં મેડિકલ સ્ટોર્સનાં વોર્ડના મેડિકલ ઓફિસરો સાથે કો-ઓર્ડિનેટ કરશે. મેડિકલ ઓફિસરો દર્દીઓના નામ-નંબર લઈને કોરોના ટેસ્ટ કરાવશે. આ સાથે જ રાજકોટવાસીઓને તાવ, શરદી અને ઉધરસ જેવા લક્ષણોને ગંભીરતાથી લેવા અપીલ પણ તેમણે કરી છે.
https://youtu.be/qqgH8HfBP6U
મેડિકલ સ્ટોર સંચાલકોએ પણ તંત્રના આ નિર્ણયને આવકર્યો છે. શહેરનાં એક મેડિકલ સંચાલકે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય યોગ્ય છે જ છે. કારણ કે શરદી-ઉધરસ-તાવની દવા લેવા આવતા લોકો કોરોના સંક્રમિત હોવાની સંભાવના વધુ હોય છે. માટે જ અહીં દવા લેવા આવતા લોકોને પણ અમે ડોક્ટર પાસે જવાની સલાહ આપીએ છીએ. સાથે જ કોરોનાની શરૂઆત થઈ ત્યારથી જ ગ્રાહકોનાં નામ, નંબર અને એડ્રેસની યાદી પણ રાખીએ છીએ.
મેડિકલ સ્ટોર સંચાલકોને દવા લેનાર તમામ વ્યક્તિની નામ, નંબર સહિતની માહિતી નોંધવા સૂચના.
રાજકોટ. શહેરમાં સતત વધી રહેલુ કોરોના સંક્રમણ અટકાવવા આખરે મનપા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અને હવે મેડિકલ સ્ટોરમાં તાવ,શરદી-ઉધરસની દવા લેનારની યાદી બનાવી તેમના ટેસ્ટ શરૂ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે મેડિકલ સ્ટોર સંચાલકોને તાવ, શરદી, ઉધરસની દવા લેવા આવતાં વ્યક્તિની નામ, નંબર સહિતની વિગતો નોંધવાની સૂચના આપી દેવામાં આવી છે.
આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટોર્સમાંથી દવા લેનાર બધી વ્યક્તિઓએ પોતાનું નામ, નંબર અને એડ્રેસ લખાવવા પડશે. આ માટે શહેરનાં મેડિકલ સ્ટોર્સને પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. બાદમાં મેડિકલ સ્ટોર્સનાં વોર્ડના મેડિકલ ઓફિસરો સાથે કો-ઓર્ડિનેટ કરશે. મેડિકલ ઓફિસરો દર્દીઓના નામ-નંબર લઈને કોરોના ટેસ્ટ કરાવશે. આ સાથે જ રાજકોટવાસીઓને તાવ, શરદી અને ઉધરસ જેવા લક્ષણોને ગંભીરતાથી લેવા અપીલ પણ તેમણે કરી છે.
મેડિકલ સ્ટોર સંચાલકોએ પણ તંત્રના આ નિર્ણયને આવકર્યો છે. શહેરનાં એક મેડિકલ સંચાલકે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય યોગ્ય છે જ છે. કારણ કે શરદી-ઉધરસ-તાવની દવા લેવા આવતા લોકો કોરોના સંક્રમિત હોવાની સંભાવના વધુ હોય છે. માટે જ અહીં દવા લેવા આવતા લોકોને પણ અમે ડોક્ટર પાસે જવાની સલાહ આપીએ છીએ. સાથે જ કોરોનાની શરૂઆત થઈ ત્યારથી જ ગ્રાહકોનાં નામ, નંબર અને એડ્રેસની યાદી પણ રાખીએ છીએ.