ઉત્તરપ્રદેશમાં બનેલો હાથરસ કાંડ કંઈ પહેલો બળાત્કાર-કેસ નહોતો અને છેલ્લો પણ નહીં જ હોય! હા, એટલું ખરું કે ૨૦૧૨ના નિર્ભયા કેસ પછી કદાચ બીજી જ વખત ભારતીયોએ હાથમાં મીણબત્તી પકડી. એ દિવસ પછી પણ આખા દેશમાં હજારો બળાત્કારની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. હાથરસ ખાતે રાજકારણીઓએ પોતાના રોટલા શેક્યા અને મીડિયા ચેનલ્સને ટીઆરપી મળ્યા, પણ આ બધાંની વચ્ચે પીડિતાના પરિવારે ભોગવેલી મુશ્કેલીઓ અને મેન્ટલ હેરેસમેન્ટ ઘણા ખરા અંશે નજરઅંદાજ થયા છે.
ભારતનાં કેટલાક રાજ્યોએ ‘પ્રિવેન્શન ઓફ વિચ-હન્ટિંગ એક્ટ’ લાગુ કર્યો છે. કાયદા અનુસાર, ગામની મહિલાઓ પર ચૂડેલ હોવાનો ભદ્દો આરોપ લગાવનાર માણસની આખેઆખી કમ્યુનિટીને સજા કરવાની જોગવાઈ છે. અરે, સરકારે તો ત્યાં સુધીની વ્યવસ્થા કરી છે કે ગામનો વ્યક્તિ અન્ય કોઈ મહિલાને ‘ચૂડેલ’ કે ‘ડાકણ’નાં નામથી સંબોધન કરે તો પણ તેમનાં વિરૂધ્ધ એફઆઈઆર દાખલ થઈ શકે.
હાથરસ બાદ જામનગરમાં પણ તાજેતરમં બળાત્કારની ઘટના નોંધાઈ. આરોપીને પકડી પાડવામાં આવ્યો. પોલીસ સ્ટેશને પહોંચતાં જ તેના પ્રાંગણમાં એ આરોપીને મહિલા કાર્યકરોએ ચંપલથી ફટકાર્યો પણ ખરા! પરંતુ આપણે વિરોધ કરવામાં અને મીણબત્તી સળગાવવામાં પણ બહુ ચૂઝી થઈ ગયા છીએ. આવી બાબતોમાં અવાજ ઉઠાવવો એ બેશક સારી વાત છે. વાંધો એની સામે નથી. મુદ્દો એ છે કે આનું કોઈ કાયમી સોલ્યુશન લાવવાનો પ્રયત્ન નથી કરતું.
દર વખતની જેમ આખી પોલીસ કાર્યવાહી પૂરી થવામાં અગર વર્ષો નીકળી ગયા તો પીડિતા અથવા તેના પરિવારે ભોગવેલા માનસિક ત્રાસનું કોઈ વળતર ખરૂ? એ કોઈ વિચારતું નથી. નરાધમોએ બળાત્કાર કરતી વખતે વિચાર્યુ હશે કે આ દેશમાં બળાત્કારીઓને સીધા ફાંસી પર નથી ચડાવી દેવાતાં. પહેલા તો લાંબો-લચક કેસ ચાલે, વર્ષો પછી તેનો ચુકાદો આવે અને અંતે ચૌદ વર્ષની જેલની સજા! વધુ ડરવા જેવું કંઈ છે જ નહી, એટલે બિંદાસ બળાત્કાર કરીએ!!
ઉત્તર કોરિયા આમ ભલે શેખચિલ્લી જેવી વાતો કરતું હોય, પણ બળાત્કારીઓ બાબતે ખૂબ સખત વલણ ધરાવવા માટે મશહૂર છે. ત્યાં અગર બળાત્કારનાં ગુનામાં ઝડપાયા એટલે મૃત્યુદંડ સિવાય બીજી કોઈ વાત જ નહી. આવું ચીનમાં પણ ખરૂ. બરાબર માથાની નીચે (કરોડરજ્જુનાં શરૂઆતનાં ભાગમાં) ગળા પર એક બુલેટ-ગોળી મારી ગુનેગારને મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવે! સાઉદી અરેબિયા તો આ મામલે સૌથી વધુ કડક. ગુનો સાબિત થાય એટલે તરત છડેચોક ધોળા દિવસે માથું વાઢી નાંખવામાં આવે! કોઈ દયાની અરજી નહી, કશું જ નહી. ઈજિપ્ત અને અફઘાનિસ્તાનમાં સીધી ફાંસીની સજા! જ્યારે આપણા દેશમાં બળાત્કારીઓને લીલાલહેર છે. પાંચ વર્ષનાં વ્હાણાં વીતી ગયા પછી પણ દિલ્ગી નિર્ભયા કેસનાં ગુનેગારોને ફાંસીએ નથી ચડાવાયા એ બાબત આપણા દેશ માટે જેટલી શરમજનક છે એનાથી વધુ અહીંના બળાત્કારીઓ માટે ઉત્સાહપ્રેરક છે!
હરિયાણા અને મધ્યપ્રદેશ સરકારે બળાત્કારીઓ માટે મૃત્યુદંડનો આદેશ જારી કર્યો છે. રાજસ્થાન સરકારે પણ મૃત્યુદંડનો કાયદો ઘડ્યો. પરંતુ જ્યાં સુધી દેશનું ન્યાયતંત્ર ઝડપી ન બને ત્યાં સુધી આનો કોઈ ફાયદો ખરો? ઉલ્ટુ, આના લીધે પરેશાનીઓ વધી જશે. ગુનેગારો પોતાનાં શિકારને પોલીસ-ફરિયાદ કરવા દેવા માટે જીવતી જ નહી રહેવા દે! માની લો કે, ગમે તેમ કરીને પીડિતા એમનાં ચંગુલમાંથી છુટી પણ ગઈ છતાં આગળ જતાં કોર્ટ-કેસનાં બખેડા તો ઉભા થવાનાં જ છે! જેમાં સામ, દામ, દંડ અને ભેદની નીતિનો ઉપયોગ કરાશે અને પીડિતાનું મોઢું બંધ કરી દેવામાં આવશે.
કાયદાનાં નિષ્ણાંતોનું માનવું છે કે મૃત્યુદંડનો કાયદો ભારત માટે ખરેખર અસરકારક નિર્ણય સાબિત થઈ શકે એમ છે પરંતુ એના માટે સરકારે પોતે જાગવું પડશે. બળાત્કાર જેવા ગંભીર ગુનાને અટકાવવા માટે અતિ ઝડપી તપાસ-સારવાર અને ચુકાદો આપતી કોર્ટ ઉભી કરવી પડશે જેથી પીડિતાને કાયદાકીય ગુંચવણોનો સામનો ન કરવો પડે.
અત્યારની પરિસ્થિતિમાં બળાત્કારનો ભોગ બનનાર પીડિતા જ સૌથી વધુ પરેશાનીઓનો ભોગ બને છે. પોલીસ ફરિયાદ કર્યા બાદની મેડિકલ તપાસ તેને માટે માનસિક બળાત્કાર સમાન પ્રતીત થાય છે. રાજસ્થાનમાં બળાત્કાર-પીડિતાની તપાસ-પધ્ધતિ સામે મોટો વાંધો ઉઠાવાયો છે. ત્યાં ટુ-ફિંગર ટેસ્ટ દ્વારા બળાત્કાર થયો છે કે નહી એની તપાસ કરવામાં આવે છે. જેમાં પીડિતાની વજાઇનામાં બે આંગળીઓ વડે હાઇમેન (યોનિપટલ) ચકાસવામાં આવે છે. તપાસ બાદ અગર હાઈમેન તૂટી ગયેલો માલૂમ પડે તો તેનું યૌનશોષણ થયું છે તેવું જાહેર કરીને તેને આગળનાં મેડિકલ-ચેકઅપ માટે મોકલી દેવામાં આવે છે! માનવ અધિકાર સંરક્ષણે આના વિરૂધ્ધ ખાસ અરજી કરી હતી, જેનાં હેઠળ તેમણે દરખાસ્ત મૂકી હતી કે ટુ-ફિંગર ટેસ્ટ વ્યક્તિનાં અંગત અધિકારોનું ખંડન કરે છે. ઉપરાંત, પીડિતાને આના થકી માનસિક યાતનાનો ભોગ બનવું પડે છે. જેથી આ સિવાયની અન્ય કોઈ પધ્ધતિ વડે જાંચ થાય તે ઇચ્છનીય છે.
ઘણીવાર તો તેને કલાકો સુધી ચેક-અપ રૂમની બહાર બેસાડી રાખી રાહ જોવાનું કહેવામાં આવે છે. સગીર બાળાઓને તેની સાથે બનેલી ઘટનાઓને વારંવાર યાદ કરાવડાવી નર્કીય પીડામાંથી પસાર થવું પડે છે. જે ‘પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ, ૨૦૧૨’નો સરેઆમ ભંગ છે! કોર્ટ-કચેરીમાં વકીલો દ્વારા વારંવાર પૂછાતાં બીભત્સ સવાલોથી પીડિતાનો પરિવાર પણ ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે. સમાજની ઘૃણા અને તેનાં ભવિષ્યની ચિંતાને કારણે પીડિતાએ આત્મહત્યા કર્યા હોવાનાં પુષ્કળ બનાવો નોંધાયા છે. વાસ્તવમાં આ દરેક ઘટના પર રોક લગાવવા આપણી સરકાર સક્ષમ છે. પરંતુ મુશ્કેલી છે આપણું ધીમું ન્યાયતંત્ર! એમ કહોને કે સરકારી તંત્ર! ભયજનક વાત તો એ છે કે ન્યાયતંત્ર પ્રત્યેનો ડર લોકોમાંથી જતો રહ્યો છે. લોકો બેફામ કાયદાનું ઉલ્લંઘન કરી પૈસાને જોરે બચી રહ્યા છે.
બળાત્કાર સિવાય પણ આપણા દેશની મહિલાઓને ભોગવવી પડતી સૌથી મોટી પરેશાની છે, સમાજની અંધશ્રદ્ધા!
રાજસ્થાનનાં ભીલવાડામાં રહેતાં ૮૦ વર્ષનાં વૃધ્ધા રમકણ્ય દેવી; જેમને પડોશીઓ દ્વારા જીવતાં સળગાવી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તેઓ પોતાની સાથે વીતેલી એ ખૌફનાક રાતનો અનુભવ યાદ કરતાં આજની તારીખે પણ થરથરી ઉઠે છે. ઘરની બહાર પગ મૂકતાંની સાથે જ કોઈક તેમનું બાવડું પકડી આખા શરીરે આગ ચાપી દેશે તેવા ભય હેઠળ તેમણે પોતાની જાતને ઘરની ચાર દીવાલો વચ્ચે કેદ કરી દીધી છે. રમકણ્ય દેવી છેલ્લા ૬૦ વર્ષથી પોતાનાં પતિ સાથે આ ગામમાં વસવાટ કરે છે.
હાલમાં, તેમનાં ત્રણ છોકરાઓ ગામમાં વાળંદની નાનકડી દુકાન સંભાળે છે. આજથી ત્રણ મહિના પહેલા પાડોશમાં રહેતાં પરિવારની નવ-દસ વર્ષની નાનકડી છોકરી પૂજાને પેટમાં દુઃખાવો ઉપડતાં ગામનાં ભૂવા પાસે લઈ જવામાં આવી! ઓછું ભણેલા હોવાને લીધે ગામનો દરેક વ્યક્તિ પોતાની સમસ્યા-દર્દ-બિમારી લઈને તે ભૂવા પાસે જાય અને પેલો ધૂતારો અષ્ટમ-પષ્ટમ મંત્રો બોલી ધૂણવાની એક્ટિંગ દેખાડી ગામવાળાને તેમની સમસ્યાનું સમાધાન બતાવે. બિમારી સમયે ડોક્ટર પાસે જવાય તેવી મૂળભૂત સમજદારીને નામશેષ કરવામાં આ ભૂવાનો બહુ મોટો હાથ! હવે આ ભૂવાએ છોકરીનાં પરિવારને એવું સમજાવ્યું કે તેમની સમસ્યાનું મુખ્ય કારણ રમકણ્ય દેવી છે, જેણે પોતાનાં કાળા જાદુ વડે છોકરીને પોતાનાં વશમાં કરી છે.
આ વાત ધુમાડાની જેમ આખા ગામમાં ફેલાઈ ગઈ. ત્યાંના રહેવાસીઓએ રોષે ભરાઈને રમકણ્ય દેવીને તેમનાં ઘર સહિત જીવતાં સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો. પતિને લાકડી-લાકડીએ ફટકાર્યો. આખરે તેમનાં ત્રણેય છોકરાઓની આજીજી પર ગામવાસીઓએ રમકણ્ય દેવીને જીવતાં તો છોડ્યા પરંતુ એ દિવસથી રમકણ્ય દેવી ગામનાં કોઈપણ વ્યક્તિની નજરે ન ચડે એટલા માટે તેમનાં સગા છોકરાઓએ પોતાની ૮૦ વર્ષની માંને એક અંધારી કોટડીમાં કેદ કરી. હવા-ઉજાસ વગરનાં આ કમરામાં ૧૮ દિવસ સુધી તેમને ફક્ત પાણીનાં સહારે જીવતાં રાખવામાં આવી. ત્યારબાદ નજીકનાં કોઈક નોન-ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશનમાં આ ખબર પહોંચતા સોશિયલ એક્ટિવિસ્ટ તારા આહલુવાલિયાની ટીમે રમકણ્ય દેવીને આ ભયાનક કેદમાંથી મુક્તિ અપાવી. આટલું બન્યા પછી પણ રમકણ્ય દેવી સમાજની બીકે પોલીસ ફરિયાદ નોંધાવવા નથી ઈચ્છતાં!
દરેક સ્ત્રી રમક્ણ્ય દેવી જેટલી નસીબદાર નથી હોતી. ભીલવાડાથી ૧૨૦ કિલોમીટર ઉત્તરે આવેલા ગામમાં રહેતી ચાલીસ વર્ષની એક મહિલાનાં વસ્ત્રો ફાડી, ઢોર માર મારીને છડે ચોક આંખોમાં કોલસા ભોંકી મોતને ઘાટ ઉતારી નાંખવામાં આવી.
ઘટનાનો ભોગ બનેલા ત્રાહિત પરિવારની પરિસ્થિતિ બાદમાં વધુ કફોડી બનતી જાય છે. સમાજ સાથે તેમનો નાતો કપાઈ જાય છે. ગામનો એકપણ વ્યક્તિ તેમનાં તરફ સન્માનભરી દ્રષ્ટિથી નથી જોતો. તેઓનાં ધંધા પડી ભાંગે છે. દીકરા-દીકરીનાં લગ્ન અટકી પડે છે. આખરે મને-કમને તેઓ પોતાની જન્મભૂમિ-કર્મભૂમિ છોડવા મજબૂર થઈ જાય છે. સરકાર તરફથી આવા કુટુંબને રૂપિયા ૫૦,૦૦૦ થી ૨,૦૦,૦૦૦ સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. (પરિવારની જીવથી પણ વ્હાલી વ્યક્તિની ખોટ પૂરવા માટે ન્યાય સિવાય બીજી કોઈ સહાય મહત્વની નથી, જે હકીકતને ન્યાયતંત્રએ ગંભીરતાથી સમજવી જરૂરી છે.)
એકવીસમી સદી આજે પણ પીડિત મહિલાઓની ચીસોનો ભાર સહન કરી રહી છે
જુવાનીમાં પગ મૂકી ચૂકેલી એકવીસમી સદી આજે પણ પીડિત મહિલાઓની ચીસોનો ભાર સહન કરી રહી છે. બળાત્કાર સિવાય પણ આપણા દેશની મહિલાઓને ભોગવવી પડતી સૌથી મોટી પરેશાની છે, સમાજની અંધશ્રદ્ધા! રાજસ્થાન, આસામ, બંગાળ જેવા રાજ્યો આજે પણ અંધશ્રધ્ધાનાં ઓછાયા હેઠળ જીવી રહ્યા છે.
bhattparakh@yahoo.com
યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)
યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.
ઉત્તરપ્રદેશમાં બનેલો હાથરસ કાંડ કંઈ પહેલો બળાત્કાર-કેસ નહોતો અને છેલ્લો પણ નહીં જ હોય! હા, એટલું ખરું કે ૨૦૧૨ના નિર્ભયા કેસ પછી કદાચ બીજી જ વખત ભારતીયોએ હાથમાં મીણબત્તી પકડી. એ દિવસ પછી પણ આખા દેશમાં હજારો બળાત્કારની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. હાથરસ ખાતે રાજકારણીઓએ પોતાના રોટલા શેક્યા અને મીડિયા ચેનલ્સને ટીઆરપી મળ્યા, પણ આ બધાંની વચ્ચે પીડિતાના પરિવારે ભોગવેલી મુશ્કેલીઓ અને મેન્ટલ હેરેસમેન્ટ ઘણા ખરા અંશે નજરઅંદાજ થયા છે.
ભારતનાં કેટલાક રાજ્યોએ ‘પ્રિવેન્શન ઓફ વિચ-હન્ટિંગ એક્ટ’ લાગુ કર્યો છે. કાયદા અનુસાર, ગામની મહિલાઓ પર ચૂડેલ હોવાનો ભદ્દો આરોપ લગાવનાર માણસની આખેઆખી કમ્યુનિટીને સજા કરવાની જોગવાઈ છે. અરે, સરકારે તો ત્યાં સુધીની વ્યવસ્થા કરી છે કે ગામનો વ્યક્તિ અન્ય કોઈ મહિલાને ‘ચૂડેલ’ કે ‘ડાકણ’નાં નામથી સંબોધન કરે તો પણ તેમનાં વિરૂધ્ધ એફઆઈઆર દાખલ થઈ શકે.
હાથરસ બાદ જામનગરમાં પણ તાજેતરમં બળાત્કારની ઘટના નોંધાઈ. આરોપીને પકડી પાડવામાં આવ્યો. પોલીસ સ્ટેશને પહોંચતાં જ તેના પ્રાંગણમાં એ આરોપીને મહિલા કાર્યકરોએ ચંપલથી ફટકાર્યો પણ ખરા! પરંતુ આપણે વિરોધ કરવામાં અને મીણબત્તી સળગાવવામાં પણ બહુ ચૂઝી થઈ ગયા છીએ. આવી બાબતોમાં અવાજ ઉઠાવવો એ બેશક સારી વાત છે. વાંધો એની સામે નથી. મુદ્દો એ છે કે આનું કોઈ કાયમી સોલ્યુશન લાવવાનો પ્રયત્ન નથી કરતું.
દર વખતની જેમ આખી પોલીસ કાર્યવાહી પૂરી થવામાં અગર વર્ષો નીકળી ગયા તો પીડિતા અથવા તેના પરિવારે ભોગવેલા માનસિક ત્રાસનું કોઈ વળતર ખરૂ? એ કોઈ વિચારતું નથી. નરાધમોએ બળાત્કાર કરતી વખતે વિચાર્યુ હશે કે આ દેશમાં બળાત્કારીઓને સીધા ફાંસી પર નથી ચડાવી દેવાતાં. પહેલા તો લાંબો-લચક કેસ ચાલે, વર્ષો પછી તેનો ચુકાદો આવે અને અંતે ચૌદ વર્ષની જેલની સજા! વધુ ડરવા જેવું કંઈ છે જ નહી, એટલે બિંદાસ બળાત્કાર કરીએ!!
ઉત્તર કોરિયા આમ ભલે શેખચિલ્લી જેવી વાતો કરતું હોય, પણ બળાત્કારીઓ બાબતે ખૂબ સખત વલણ ધરાવવા માટે મશહૂર છે. ત્યાં અગર બળાત્કારનાં ગુનામાં ઝડપાયા એટલે મૃત્યુદંડ સિવાય બીજી કોઈ વાત જ નહી. આવું ચીનમાં પણ ખરૂ. બરાબર માથાની નીચે (કરોડરજ્જુનાં શરૂઆતનાં ભાગમાં) ગળા પર એક બુલેટ-ગોળી મારી ગુનેગારને મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવે! સાઉદી અરેબિયા તો આ મામલે સૌથી વધુ કડક. ગુનો સાબિત થાય એટલે તરત છડેચોક ધોળા દિવસે માથું વાઢી નાંખવામાં આવે! કોઈ દયાની અરજી નહી, કશું જ નહી. ઈજિપ્ત અને અફઘાનિસ્તાનમાં સીધી ફાંસીની સજા! જ્યારે આપણા દેશમાં બળાત્કારીઓને લીલાલહેર છે. પાંચ વર્ષનાં વ્હાણાં વીતી ગયા પછી પણ દિલ્ગી નિર્ભયા કેસનાં ગુનેગારોને ફાંસીએ નથી ચડાવાયા એ બાબત આપણા દેશ માટે જેટલી શરમજનક છે એનાથી વધુ અહીંના બળાત્કારીઓ માટે ઉત્સાહપ્રેરક છે!
હરિયાણા અને મધ્યપ્રદેશ સરકારે બળાત્કારીઓ માટે મૃત્યુદંડનો આદેશ જારી કર્યો છે. રાજસ્થાન સરકારે પણ મૃત્યુદંડનો કાયદો ઘડ્યો. પરંતુ જ્યાં સુધી દેશનું ન્યાયતંત્ર ઝડપી ન બને ત્યાં સુધી આનો કોઈ ફાયદો ખરો? ઉલ્ટુ, આના લીધે પરેશાનીઓ વધી જશે. ગુનેગારો પોતાનાં શિકારને પોલીસ-ફરિયાદ કરવા દેવા માટે જીવતી જ નહી રહેવા દે! માની લો કે, ગમે તેમ કરીને પીડિતા એમનાં ચંગુલમાંથી છુટી પણ ગઈ છતાં આગળ જતાં કોર્ટ-કેસનાં બખેડા તો ઉભા થવાનાં જ છે! જેમાં સામ, દામ, દંડ અને ભેદની નીતિનો ઉપયોગ કરાશે અને પીડિતાનું મોઢું બંધ કરી દેવામાં આવશે.
કાયદાનાં નિષ્ણાંતોનું માનવું છે કે મૃત્યુદંડનો કાયદો ભારત માટે ખરેખર અસરકારક નિર્ણય સાબિત થઈ શકે એમ છે પરંતુ એના માટે સરકારે પોતે જાગવું પડશે. બળાત્કાર જેવા ગંભીર ગુનાને અટકાવવા માટે અતિ ઝડપી તપાસ-સારવાર અને ચુકાદો આપતી કોર્ટ ઉભી કરવી પડશે જેથી પીડિતાને કાયદાકીય ગુંચવણોનો સામનો ન કરવો પડે.
અત્યારની પરિસ્થિતિમાં બળાત્કારનો ભોગ બનનાર પીડિતા જ સૌથી વધુ પરેશાનીઓનો ભોગ બને છે. પોલીસ ફરિયાદ કર્યા બાદની મેડિકલ તપાસ તેને માટે માનસિક બળાત્કાર સમાન પ્રતીત થાય છે. રાજસ્થાનમાં બળાત્કાર-પીડિતાની તપાસ-પધ્ધતિ સામે મોટો વાંધો ઉઠાવાયો છે. ત્યાં ટુ-ફિંગર ટેસ્ટ દ્વારા બળાત્કાર થયો છે કે નહી એની તપાસ કરવામાં આવે છે. જેમાં પીડિતાની વજાઇનામાં બે આંગળીઓ વડે હાઇમેન (યોનિપટલ) ચકાસવામાં આવે છે. તપાસ બાદ અગર હાઈમેન તૂટી ગયેલો માલૂમ પડે તો તેનું યૌનશોષણ થયું છે તેવું જાહેર કરીને તેને આગળનાં મેડિકલ-ચેકઅપ માટે મોકલી દેવામાં આવે છે! માનવ અધિકાર સંરક્ષણે આના વિરૂધ્ધ ખાસ અરજી કરી હતી, જેનાં હેઠળ તેમણે દરખાસ્ત મૂકી હતી કે ટુ-ફિંગર ટેસ્ટ વ્યક્તિનાં અંગત અધિકારોનું ખંડન કરે છે. ઉપરાંત, પીડિતાને આના થકી માનસિક યાતનાનો ભોગ બનવું પડે છે. જેથી આ સિવાયની અન્ય કોઈ પધ્ધતિ વડે જાંચ થાય તે ઇચ્છનીય છે.
ઘણીવાર તો તેને કલાકો સુધી ચેક-અપ રૂમની બહાર બેસાડી રાખી રાહ જોવાનું કહેવામાં આવે છે. સગીર બાળાઓને તેની સાથે બનેલી ઘટનાઓને વારંવાર યાદ કરાવડાવી નર્કીય પીડામાંથી પસાર થવું પડે છે. જે ‘પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ, ૨૦૧૨’નો સરેઆમ ભંગ છે! કોર્ટ-કચેરીમાં વકીલો દ્વારા વારંવાર પૂછાતાં બીભત્સ સવાલોથી પીડિતાનો પરિવાર પણ ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે. સમાજની ઘૃણા અને તેનાં ભવિષ્યની ચિંતાને કારણે પીડિતાએ આત્મહત્યા કર્યા હોવાનાં પુષ્કળ બનાવો નોંધાયા છે. વાસ્તવમાં આ દરેક ઘટના પર રોક લગાવવા આપણી સરકાર સક્ષમ છે. પરંતુ મુશ્કેલી છે આપણું ધીમું ન્યાયતંત્ર! એમ કહોને કે સરકારી તંત્ર! ભયજનક વાત તો એ છે કે ન્યાયતંત્ર પ્રત્યેનો ડર લોકોમાંથી જતો રહ્યો છે. લોકો બેફામ કાયદાનું ઉલ્લંઘન કરી પૈસાને જોરે બચી રહ્યા છે.
બળાત્કાર સિવાય પણ આપણા દેશની મહિલાઓને ભોગવવી પડતી સૌથી મોટી પરેશાની છે, સમાજની અંધશ્રદ્ધા!
રાજસ્થાનનાં ભીલવાડામાં રહેતાં ૮૦ વર્ષનાં વૃધ્ધા રમકણ્ય દેવી; જેમને પડોશીઓ દ્વારા જીવતાં સળગાવી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તેઓ પોતાની સાથે વીતેલી એ ખૌફનાક રાતનો અનુભવ યાદ કરતાં આજની તારીખે પણ થરથરી ઉઠે છે. ઘરની બહાર પગ મૂકતાંની સાથે જ કોઈક તેમનું બાવડું પકડી આખા શરીરે આગ ચાપી દેશે તેવા ભય હેઠળ તેમણે પોતાની જાતને ઘરની ચાર દીવાલો વચ્ચે કેદ કરી દીધી છે. રમકણ્ય દેવી છેલ્લા ૬૦ વર્ષથી પોતાનાં પતિ સાથે આ ગામમાં વસવાટ કરે છે.
હાલમાં, તેમનાં ત્રણ છોકરાઓ ગામમાં વાળંદની નાનકડી દુકાન સંભાળે છે. આજથી ત્રણ મહિના પહેલા પાડોશમાં રહેતાં પરિવારની નવ-દસ વર્ષની નાનકડી છોકરી પૂજાને પેટમાં દુઃખાવો ઉપડતાં ગામનાં ભૂવા પાસે લઈ જવામાં આવી! ઓછું ભણેલા હોવાને લીધે ગામનો દરેક વ્યક્તિ પોતાની સમસ્યા-દર્દ-બિમારી લઈને તે ભૂવા પાસે જાય અને પેલો ધૂતારો અષ્ટમ-પષ્ટમ મંત્રો બોલી ધૂણવાની એક્ટિંગ દેખાડી ગામવાળાને તેમની સમસ્યાનું સમાધાન બતાવે. બિમારી સમયે ડોક્ટર પાસે જવાય તેવી મૂળભૂત સમજદારીને નામશેષ કરવામાં આ ભૂવાનો બહુ મોટો હાથ! હવે આ ભૂવાએ છોકરીનાં પરિવારને એવું સમજાવ્યું કે તેમની સમસ્યાનું મુખ્ય કારણ રમકણ્ય દેવી છે, જેણે પોતાનાં કાળા જાદુ વડે છોકરીને પોતાનાં વશમાં કરી છે.
આ વાત ધુમાડાની જેમ આખા ગામમાં ફેલાઈ ગઈ. ત્યાંના રહેવાસીઓએ રોષે ભરાઈને રમકણ્ય દેવીને તેમનાં ઘર સહિત જીવતાં સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો. પતિને લાકડી-લાકડીએ ફટકાર્યો. આખરે તેમનાં ત્રણેય છોકરાઓની આજીજી પર ગામવાસીઓએ રમકણ્ય દેવીને જીવતાં તો છોડ્યા પરંતુ એ દિવસથી રમકણ્ય દેવી ગામનાં કોઈપણ વ્યક્તિની નજરે ન ચડે એટલા માટે તેમનાં સગા છોકરાઓએ પોતાની ૮૦ વર્ષની માંને એક અંધારી કોટડીમાં કેદ કરી. હવા-ઉજાસ વગરનાં આ કમરામાં ૧૮ દિવસ સુધી તેમને ફક્ત પાણીનાં સહારે જીવતાં રાખવામાં આવી. ત્યારબાદ નજીકનાં કોઈક નોન-ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશનમાં આ ખબર પહોંચતા સોશિયલ એક્ટિવિસ્ટ તારા આહલુવાલિયાની ટીમે રમકણ્ય દેવીને આ ભયાનક કેદમાંથી મુક્તિ અપાવી. આટલું બન્યા પછી પણ રમકણ્ય દેવી સમાજની બીકે પોલીસ ફરિયાદ નોંધાવવા નથી ઈચ્છતાં!
દરેક સ્ત્રી રમક્ણ્ય દેવી જેટલી નસીબદાર નથી હોતી. ભીલવાડાથી ૧૨૦ કિલોમીટર ઉત્તરે આવેલા ગામમાં રહેતી ચાલીસ વર્ષની એક મહિલાનાં વસ્ત્રો ફાડી, ઢોર માર મારીને છડે ચોક આંખોમાં કોલસા ભોંકી મોતને ઘાટ ઉતારી નાંખવામાં આવી.
ઘટનાનો ભોગ બનેલા ત્રાહિત પરિવારની પરિસ્થિતિ બાદમાં વધુ કફોડી બનતી જાય છે. સમાજ સાથે તેમનો નાતો કપાઈ જાય છે. ગામનો એકપણ વ્યક્તિ તેમનાં તરફ સન્માનભરી દ્રષ્ટિથી નથી જોતો. તેઓનાં ધંધા પડી ભાંગે છે. દીકરા-દીકરીનાં લગ્ન અટકી પડે છે. આખરે મને-કમને તેઓ પોતાની જન્મભૂમિ-કર્મભૂમિ છોડવા મજબૂર થઈ જાય છે. સરકાર તરફથી આવા કુટુંબને રૂપિયા ૫૦,૦૦૦ થી ૨,૦૦,૦૦૦ સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. (પરિવારની જીવથી પણ વ્હાલી વ્યક્તિની ખોટ પૂરવા માટે ન્યાય સિવાય બીજી કોઈ સહાય મહત્વની નથી, જે હકીકતને ન્યાયતંત્રએ ગંભીરતાથી સમજવી જરૂરી છે.)
એકવીસમી સદી આજે પણ પીડિત મહિલાઓની ચીસોનો ભાર સહન કરી રહી છે
જુવાનીમાં પગ મૂકી ચૂકેલી એકવીસમી સદી આજે પણ પીડિત મહિલાઓની ચીસોનો ભાર સહન કરી રહી છે. બળાત્કાર સિવાય પણ આપણા દેશની મહિલાઓને ભોગવવી પડતી સૌથી મોટી પરેશાની છે, સમાજની અંધશ્રદ્ધા! રાજસ્થાન, આસામ, બંગાળ જેવા રાજ્યો આજે પણ અંધશ્રધ્ધાનાં ઓછાયા હેઠળ જીવી રહ્યા છે.
bhattparakh@yahoo.com
યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)
યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.