પોલીસે ગતરાત્રે ડ્રોન ઉડાવીને આધુનિક પેટ્રોલીંગનો સહારો લીધો
અનેક વેપારીઓ તેમજ વાહન ચાલકો ઝપટે ચડી ગયા
WatchGujarat. શહેરમાં કોરોના કહેર વચ્ચે સરકારે રાત્રી કરફ્યુ જાહેર કર્યો છે. જેને લઈને રાત્રે 9 થી 6 વચ્ચે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પોલીસે ગતરાત્રે ડ્રોન ઉડાવીને આધુનિક પેટ્રોલીંગનો સહારો લીધો હતો. જેમાં અનેક વેપારીઓ તેમજ વાહન ચાલકો ઝપટે ચડી ગયા હતા. પોલીસે ઉડાવેલાં ડ્રોનનો વિડીયો પણ જાહેર કર્યો હતો. અને લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.
ગતરાત્રે પોલીસે જાહેરનામાં ભંગનાં વધુ 131 કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમાં શહેરના વિવિધ એન્ટ્રી પોઇન્ટ અને મુખ્ય રાજમાર્ગો ઉપર બનાવેલી ચેકપોસ્ટ ઉપરથી કારણ વિના કર્ફ્યુમાં નીકળેલા લોકો વિરુદ્ધ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. પોલીસે સઘન નાઈટ પેટ્રોલિંગની સાથે જ ડીજીટલ પેટ્રોલીંગ પણ શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાત્રી કર્ફ્યુ દરમિયાન 2000થી વધુ જવાનો ખડેપગે રહીને ફરજ નિભાવી રહ્યા છે. છતાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સ્ટાફની તંગી વચ્ચે પણ નિયમો તોડનારા વધુને વધુ લોકોને અટકાવવા માટે પોલીસે ડ્રોનથી આધુનિક પેટ્રોલિંગનો સહારો લીધો હતો. જેમાં જાહેરનામા ભંગના વિવિધ ગુનાઓમાં સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવનાર અનેક વેપારીઓ અને વાહનચાલકો દંડાયા હતા.
પોલીસે ગતરાત્રે ડ્રોન ઉડાવીને આધુનિક પેટ્રોલીંગનો સહારો લીધો
અનેક વેપારીઓ તેમજ વાહન ચાલકો ઝપટે ચડી ગયા
WatchGujarat.શહેરમાં કોરોના કહેર વચ્ચે સરકારે રાત્રી કરફ્યુ જાહેર કર્યો છે. જેને લઈને રાત્રે 9 થી 6 વચ્ચે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પોલીસે ગતરાત્રે ડ્રોન ઉડાવીને આધુનિક પેટ્રોલીંગનો સહારો લીધો હતો. જેમાં અનેક વેપારીઓ તેમજ વાહન ચાલકો ઝપટે ચડી ગયા હતા. પોલીસે ઉડાવેલાં ડ્રોનનો વિડીયો પણ જાહેર કર્યો હતો. અને લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.
ગતરાત્રે પોલીસે જાહેરનામાં ભંગનાં વધુ 131 કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમાં શહેરના વિવિધ એન્ટ્રી પોઇન્ટ અને મુખ્ય રાજમાર્ગો ઉપર બનાવેલી ચેકપોસ્ટ ઉપરથી કારણ વિના કર્ફ્યુમાં નીકળેલા લોકો વિરુદ્ધ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. પોલીસે સઘન નાઈટ પેટ્રોલિંગની સાથે જ ડીજીટલ પેટ્રોલીંગ પણ શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાત્રી કર્ફ્યુ દરમિયાન 2000થી વધુ જવાનો ખડેપગે રહીને ફરજ નિભાવી રહ્યા છે. છતાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સ્ટાફની તંગી વચ્ચે પણ નિયમો તોડનારા વધુને વધુ લોકોને અટકાવવા માટે પોલીસે ડ્રોનથી આધુનિક પેટ્રોલિંગનો સહારો લીધો હતો. જેમાં જાહેરનામા ભંગના વિવિધ ગુનાઓમાં સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવનાર અનેક વેપારીઓ અને વાહનચાલકો દંડાયા હતા.