સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપના ત્રણ અગ્રાણી બદ્રીનાથ દર્શાને ગયા હતા.
દર્શન કરી પરત ફરતી વેળાએ કાર અલખનંદા ખીણમાં ખાબકી હતી.
દુર્ઘટનામાં સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપના પ્રમુખનુ મોત નિપજ્યું,
એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે, જયારે કાર ચાલક અને અન્ય યુવકની હજુ કોઈ ભાળ મળી નથી
સુરેન્દ્રનગર. બદ્રીનાથ દર્શન કરીને પરત ફરતા જિલ્લા ભાજપના અગ્રણીઓની કાર અલખનંદા ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે બીજાને ગંભીર ઈજાઓ પહોંચી છે. સાથે જ કાર ચલાવનાર યુવકની હજી કોઈ ભાળ મળી નથી. ઘટનાને પગલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ઉત્તરાખંડના અધિકારીઓ સાથે વાત કરી છે. તેમજ આ યુવકોને ત્વરિત જરૂરી મદદ પુરી પાડવા જણાવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, જિલ્લા ભાજપ મહા મંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, યૂવા ભાજપ પ્રમુખ મૃગેશ રાઠોડ અને લીંબડી ગ્રામ્ય યુવા મોરચા ભાજપ પ્રમુખ કૃપાલસિંહ ઝાલા બદ્રીનાથ દર્શનાર્થે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તેમની ઈનોવા કાર અલખનંદા ખાતે હિમાલયન મંદિર તરફ જતા રસ્તા પર 300 મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી.
આ દુર્ઘટનામાં યૂવા ભાજપ પ્રમુખ મૃગેશ રાઠોડનુ સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે હિતેન્દ્રસિંહ ચૌહાણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તો ક્રિપાલસિંહ ઝાલા અને ઈનોવા કારનો ડ્રાઈવર ધર્મપાલ હજુપણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે એસડીઆરએફ સહિતની ટીમો સ્થળ પર દોડી ગઈ છે. અને લાપતા બંનેની શોધખોળ કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપના ત્રણ અગ્રાણી બદ્રીનાથ દર્શાને ગયા હતા.
દર્શન કરી પરત ફરતી વેળાએ કાર અલખનંદા ખીણમાં ખાબકી હતી.
એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે, જયારે કાર ચાલક અને અન્ય યુવકની હજુ કોઈ ભાળ મળી નથી
સુરેન્દ્રનગર. બદ્રીનાથ દર્શન કરીને પરત ફરતા જિલ્લા ભાજપના અગ્રણીઓની કાર અલખનંદા ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે બીજાને ગંભીર ઈજાઓ પહોંચી છે. સાથે જ કાર ચલાવનાર યુવકની હજી કોઈ ભાળ મળી નથી. ઘટનાને પગલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ઉત્તરાખંડના અધિકારીઓ સાથે વાત કરી છે. તેમજ આ યુવકોને ત્વરિત જરૂરી મદદ પુરી પાડવા જણાવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, જિલ્લા ભાજપ મહા મંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, યૂવા ભાજપ પ્રમુખ મૃગેશ રાઠોડ અને લીંબડી ગ્રામ્ય યુવા મોરચા ભાજપ પ્રમુખ કૃપાલસિંહ ઝાલા બદ્રીનાથ દર્શનાર્થે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તેમની ઈનોવા કાર અલખનંદા ખાતે હિમાલયન મંદિર તરફ જતા રસ્તા પર 300 મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી.
આ દુર્ઘટનામાં યૂવા ભાજપ પ્રમુખ મૃગેશ રાઠોડનુ સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે હિતેન્દ્રસિંહ ચૌહાણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તો ક્રિપાલસિંહ ઝાલા અને ઈનોવા કારનો ડ્રાઈવર ધર્મપાલ હજુપણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે એસડીઆરએફ સહિતની ટીમો સ્થળ પર દોડી ગઈ છે. અને લાપતા બંનેની શોધખોળ કરવામાં આવી રહી છે.