રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી લાલીયાવાડી સામે આવી રહી છે. પરંતુ કોઇ નક્કર પગલા લેવામાં આવતા નથી
શુક્રવારે અકસ્માતમાં મૃત્યુ પામેલા વૃદ્ધનું પોસ્ટ મોર્ટમ કર્યા સિવાય મૃતદેહ પરિવારજનોને સોંપવાની ગંભીર બેદરકારી સામે આવી
સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ થતા અંતિમવિધિ રોકીને વૃદ્ધનાં મૃતદેહને પરત લાવવાની કામગીરી હાથ ધરી
રાજકોટ : શહેરની સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોના વંટોળમાં ઘેરાયેલી જોવા મળી છે. ગઈકાલે જ કોરોનાનાં દર્દીને બેરહેમીથી માર મારવાનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં વધુ એક ગોટાળો સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે જ ગોંડલ અંતિમવિધિમાંથી મૃતદેહને પરત મંગાવવાની પોલીસને ફરજ પડી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતમાં બટુકભાઇ નામના એક વૃદ્ધનું મોત નીપજયું હતું. નિયમ મુજબ અકસ્માતે થતા મોતમાં પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત છે. પરંતુ સિવિલ હોસ્પિટલનાં જવાબદાર અધિકારીઓએ પોસ્ટમોર્ટમ કર્યા વિના જ મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો. અને મૃતક ગોંડલનાં હોવાથી પરિવારજનો તેને વતન લઈ ગયા હતા અને અંતિમવિધિ પણ શરૂ કરી દેવામાં આવી હતી.
જો કે અચાનક જ આ બાબત પોલીસતંત્રનાં ધ્યાને આવતા સમગ્ર મામલનો પર્દાફાશ થયો હતો. જેને લઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પરત લાવવા પરિવારને જણાવાયું હતું. આ માટે પરિવારને કરવામાં આવેલા ફોનની ઓડિયોક્લિપ પણ સામે આવી છે. હાલ તો પરિવાર દ્વારા અંતિમવિધિ રોકીને વૃદ્ધનાં મૃતદેહને પરત લાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ મામલે હોસ્પિટલ અને પોલીસ તંત્રની બેદરકારીને લઈને અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી લાલીયાવાડી સામે આવી રહી છે. પરંતુ કોઇ નક્કર પગલા લેવામાં આવતા નથી
શુક્રવારે અકસ્માતમાં મૃત્યુ પામેલા વૃદ્ધનું પોસ્ટ મોર્ટમ કર્યા સિવાય મૃતદેહ પરિવારજનોને સોંપવાની ગંભીર બેદરકારી સામે આવી
સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ થતા અંતિમવિધિ રોકીને વૃદ્ધનાં મૃતદેહને પરત લાવવાની કામગીરી હાથ ધરી
રાજકોટ : શહેરની સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોના વંટોળમાં ઘેરાયેલી જોવા મળી છે. ગઈકાલે જ કોરોનાનાં દર્દીને બેરહેમીથી માર મારવાનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં વધુ એક ગોટાળો સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે જ ગોંડલ અંતિમવિધિમાંથી મૃતદેહને પરત મંગાવવાની પોલીસને ફરજ પડી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતમાં બટુકભાઇ નામના એક વૃદ્ધનું મોત નીપજયું હતું. નિયમ મુજબ અકસ્માતે થતા મોતમાં પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત છે. પરંતુ સિવિલ હોસ્પિટલનાં જવાબદાર અધિકારીઓએ પોસ્ટમોર્ટમ કર્યા વિના જ મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો. અને મૃતક ગોંડલનાં હોવાથી પરિવારજનો તેને વતન લઈ ગયા હતા અને અંતિમવિધિ પણ શરૂ કરી દેવામાં આવી હતી.
જો કે અચાનક જ આ બાબત પોલીસતંત્રનાં ધ્યાને આવતા સમગ્ર મામલનો પર્દાફાશ થયો હતો. જેને લઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પરત લાવવા પરિવારને જણાવાયું હતું. આ માટે પરિવારને કરવામાં આવેલા ફોનની ઓડિયોક્લિપ પણ સામે આવી છે. હાલ તો પરિવાર દ્વારા અંતિમવિધિ રોકીને વૃદ્ધનાં મૃતદેહને પરત લાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ મામલે હોસ્પિટલ અને પોલીસ તંત્રની બેદરકારીને લઈને અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.