જહાજ ભાંગી નાખવા માટે ખરીદનારા અલંગનાં શ્રીરામ ગ્રુપે હવે આ જહાજ વેચવા માટે સોદાબાજી શરૂ કરી દીધી
જહાજ 70 વર્ષ જૂનું હોય એક્સપર્ટ ના અભિપ્રાય મુજબ તેને મ્યુઝિયમમાં ફેરવી શકાય નહીં અને જો ફેરવાય તો મોટો અકસ્માત થવાની સંભાવના છે -કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ મંડવીયા
રાષ્ટ્રભક્તિ માટે હું રૂ.100 કરોડમાં આ જહાજ આપવા તૈયાર છું - મુકેશ પટેલ - શ્રીરામ ગ્રુપ
ભાવનગર : ભારતીય નૌકાદળનું વિમાન વાહક જહાજ વિસર્જન માટે અલંગ આવી પહોંચ્યુ છે. પરંતુ જહાજ ભાંગી નાખવા માટે ખરીદનારા અલંગનાં શ્રીરામ ગ્રુપે હવે આ જહાજ વેચવા માટે સોદાબાજી શરૂ કરી દીધી છે. અને INS વિરાટને રાષ્ટ્ર ગૌરવના નામે રૂ. 38.54 કરોડમાં ખરીદ્યા પછી હવે આ ગ્રુપ દ્વારા તેને રૂ. 100 કરોડમાં વેચવાની તૈયારી બતાવવામાં આવી છે. જો કે થેંક્યું વિરાટના કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ મંડવ્યા એ જાહેરમાં કહ્યું હતું કે આ જહાજ 70 વર્ષ જૂનું હોય એક્સપર્ટ ના અભિપ્રાય મુજબ તેને મ્યુઝિયમમાં ફેરવી શકાય નહીં અને જો ફેરવાય તો મોટો અકસ્માત થવાની સંભાવના છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, INS વિરાટ જહાજ ખરીદનાર શ્રીરામ ગ્રુપનાં મુકેશ પટેલનું કહેવું છે કે, જો કોઈ આ જહાજને મ્યુઝિયમ બનાવવા માંગે તો હું આ જહાજ રૂ. 100 કરોડમાં આપી દેવા તૈયાર છું. કારણ મેં રૂ. 38.50 કરોડ માં ખરીદ્યા બાદ કસ્ટમ ડ્યુટી ,જીએસટી તેમજ જહાજ ખરીદવા માટેની રકમ 3 માસ પહેલા ભરી છે તેનું વ્યાજ ગણવામાં આવે તો આંકડો રૂ. 125 કરોડ જેવો થાય છે. પરંતુ રાષ્ટ્રભક્તિ માટે હું રૂ.100 કરોડમાં આ જહાજ આપવા તૈયાર છું. જેને જોઈએ તે ભારત સરકારની પરમીશન લઈ આવે તો હું રાષ્ટ્રભક્તિ માટે જહાજ આપી દઈશ.
મુંબઈ સ્થિત એન્વીટેક મરિન નામની કંપનીએ ભારતની શાન સમા યુદ્ધ જહાજ INS વિરાટને એક મ્યુઝિયમમાં ફેરવવા માટે માંગણી કરી છે. અને ગોવાનાં મુખ્યપ્રધાને પણ આ જહાજને મ્યુઝિયમ બનાવવા માટે સહમતી દર્શાવી છે. ત્યારે સવાલ એ છે કે, જો મ્યુઝિયમ જ બનાવવાનું હોય તો આ જહાજને સસ્તામાં શા માટે વેચી દેવાયું ? અને હવે જેને વેચવામાં આવ્યું છે તે ગ્રુપ આટલી ઉંચી કિંમત કેમ માંગે છે ? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેના જવાબ તો આવનારો સમય જ આપી શકશે.
- જહાજ ભાંગી નાખવા માટે ખરીદનારા અલંગનાં શ્રીરામ ગ્રુપે હવે આ જહાજ વેચવા માટે સોદાબાજી શરૂ કરી દીધી
- જહાજ 70 વર્ષ જૂનું હોય એક્સપર્ટ ના અભિપ્રાય મુજબ તેને મ્યુઝિયમમાં ફેરવી શકાય નહીં અને જો ફેરવાય તો મોટો અકસ્માત થવાની સંભાવના છે -કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ મંડવીયા
- રાષ્ટ્રભક્તિ માટે હું રૂ.100 કરોડમાં આ જહાજ આપવા તૈયાર છું - મુકેશ પટેલ - શ્રીરામ ગ્રુપ
ભાવનગર : ભારતીય નૌકાદળનું વિમાન વાહક જહાજ વિસર્જન માટે અલંગ આવી પહોંચ્યુ છે. પરંતુ જહાજ ભાંગી નાખવા માટે ખરીદનારા અલંગનાં શ્રીરામ ગ્રુપે હવે આ જહાજ વેચવા માટે સોદાબાજી શરૂ કરી દીધી છે. અને INS વિરાટને રાષ્ટ્ર ગૌરવના નામે રૂ. 38.54 કરોડમાં ખરીદ્યા પછી હવે આ ગ્રુપ દ્વારા તેને રૂ. 100 કરોડમાં વેચવાની તૈયારી બતાવવામાં આવી છે. જો કે થેંક્યું વિરાટના કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ મંડવ્યા એ જાહેરમાં કહ્યું હતું કે આ જહાજ 70 વર્ષ જૂનું હોય એક્સપર્ટ ના અભિપ્રાય મુજબ તેને મ્યુઝિયમમાં ફેરવી શકાય નહીં અને જો ફેરવાય તો મોટો અકસ્માત થવાની સંભાવના છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, INS વિરાટ જહાજ ખરીદનાર શ્રીરામ ગ્રુપનાં મુકેશ પટેલનું કહેવું છે કે, જો કોઈ આ જહાજને મ્યુઝિયમ બનાવવા માંગે તો હું આ જહાજ રૂ. 100 કરોડમાં આપી દેવા તૈયાર છું. કારણ મેં રૂ. 38.50 કરોડ માં ખરીદ્યા બાદ કસ્ટમ ડ્યુટી ,જીએસટી તેમજ જહાજ ખરીદવા માટેની રકમ 3 માસ પહેલા ભરી છે તેનું વ્યાજ ગણવામાં આવે તો આંકડો રૂ. 125 કરોડ જેવો થાય છે. પરંતુ રાષ્ટ્રભક્તિ માટે હું રૂ.100 કરોડમાં આ જહાજ આપવા તૈયાર છું. જેને જોઈએ તે ભારત સરકારની પરમીશન લઈ આવે તો હું રાષ્ટ્રભક્તિ માટે જહાજ આપી દઈશ.
મુંબઈ સ્થિત એન્વીટેક મરિન નામની કંપનીએ ભારતની શાન સમા યુદ્ધ જહાજ INS વિરાટને એક મ્યુઝિયમમાં ફેરવવા માટે માંગણી કરી છે. અને ગોવાનાં મુખ્યપ્રધાને પણ આ જહાજને મ્યુઝિયમ બનાવવા માટે સહમતી દર્શાવી છે. ત્યારે સવાલ એ છે કે, જો મ્યુઝિયમ જ બનાવવાનું હોય તો આ જહાજને સસ્તામાં શા માટે વેચી દેવાયું ? અને હવે જેને વેચવામાં આવ્યું છે તે ગ્રુપ આટલી ઉંચી કિંમત કેમ માંગે છે ? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેના જવાબ તો આવનારો સમય જ આપી શકશે.