ઓખાથી 10 નોટિકલ માઈલ દૂર ભારતીય કોસ્ટગાર્ડ દ્વાર દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું
26 સપ્ટેમ્બરે સવારે MSV કૃષ્ણસુદામા નામનું જહાજ મુન્દ્રા બંદરથી ડિબૌટી તરફ રવાના થયું હતું
કોસ્ટ ગાર્ડ વહાણ સી -411 દક્ષિણ રોબિન દ્વારા સૂચવાયેલ સ્થાને પહોંચ્યું, જ્યાં ડૂબી ગયેલ જહાજના અમુક કાટમાળની વચ્ચે જીવ બચાવવા માટે મથી રહેલા 12 જેટલા ખલાસીઓને કોસ્ટગાર્ડની ટીમે એક એક કરીને બચાવ્યા
દ્વારકા : ગઈકાલે મધરાત્રે ઓખાથી 10 નોટિકલ માઈલ દૂર ભારતીય કોસ્ટગાર્ડ દ્વાર દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં અરબી સમુદ્રમાં ડૂબી ગયેલ માલ વાહક જહાજના 12 ક્રુ મેમ્બર્સને કોસ્ટગાર્ડની ટીમે બચાવી લીધા હતા. અને તમામને કિનારે લાવવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડની આ ત્વરિત કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, 26 સપ્ટેમ્બરે સવારે MSV કૃષ્ણસુદામા નામનું જહાજ મુન્દ્રા બંદરથી ડિબૌટી તરફ રવાના થયું હતું. જેમાં ચોખા-ખાંડ મળીને કુલ 905 ટનનો સામાન હતો. પરંતુ અચાનક રાત્રે નવ વાગ્યે સમુદ્રથી 10 નોટિકલ માઈલ દૂર પૂરનું પાણી આ જહાજમાં આવવાની શરૂઆત થઈ હતી. આ અંગેની જાણ થતાં કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું.
ભારતીય કોસ્ટગાર્ડની શિપ સી-411 ઓખાથી રવાના થઈ હતી. કોસ્ટ ગાર્ડ વહાણ સી -411 દક્ષિણ રોબિન દ્વારા સૂચવાયેલ સ્થાને પહોંચ્યું હતું. જ્યાં ડૂબી ગયેલ જહાજના અમુક કાટમાળની વચ્ચે જીવ બચાવવા માટે મથી રહેલા 12 જેટલા ખલાસીઓને કોસ્ટગાર્ડની ટીમે એક એક કરીને બચાવ્યા હતા. અને બાદમાં તમામને સહી સલામત કિનારા સુધી પહોંચાડ્યા હતા. જો કે જહાજ કૃષ્ણ સુદામા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
ઓખાથી 10 નોટિકલ માઈલ દૂર ભારતીય કોસ્ટગાર્ડ દ્વાર દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું
26 સપ્ટેમ્બરે સવારે MSV કૃષ્ણસુદામા નામનું જહાજ મુન્દ્રા બંદરથી ડિબૌટી તરફ રવાના થયું હતું
કોસ્ટ ગાર્ડ વહાણ સી -411 દક્ષિણ રોબિન દ્વારા સૂચવાયેલ સ્થાને પહોંચ્યું, જ્યાં ડૂબી ગયેલ જહાજના અમુક કાટમાળની વચ્ચે જીવ બચાવવા માટે મથી રહેલા 12 જેટલા ખલાસીઓને કોસ્ટગાર્ડની ટીમે એક એક કરીને બચાવ્યા
દ્વારકા : ગઈકાલે મધરાત્રે ઓખાથી 10 નોટિકલ માઈલ દૂર ભારતીય કોસ્ટગાર્ડ દ્વાર દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં અરબી સમુદ્રમાં ડૂબી ગયેલ માલ વાહક જહાજના 12 ક્રુ મેમ્બર્સને કોસ્ટગાર્ડની ટીમે બચાવી લીધા હતા. અને તમામને કિનારે લાવવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડની આ ત્વરિત કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, 26 સપ્ટેમ્બરે સવારે MSV કૃષ્ણસુદામા નામનું જહાજ મુન્દ્રા બંદરથી ડિબૌટી તરફ રવાના થયું હતું. જેમાં ચોખા-ખાંડ મળીને કુલ 905 ટનનો સામાન હતો. પરંતુ અચાનક રાત્રે નવ વાગ્યે સમુદ્રથી 10 નોટિકલ માઈલ દૂર પૂરનું પાણી આ જહાજમાં આવવાની શરૂઆત થઈ હતી. આ અંગેની જાણ થતાં કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું.
ભારતીય કોસ્ટગાર્ડની શિપ સી-411 ઓખાથી રવાના થઈ હતી. કોસ્ટ ગાર્ડ વહાણ સી -411 દક્ષિણ રોબિન દ્વારા સૂચવાયેલ સ્થાને પહોંચ્યું હતું. જ્યાં ડૂબી ગયેલ જહાજના અમુક કાટમાળની વચ્ચે જીવ બચાવવા માટે મથી રહેલા 12 જેટલા ખલાસીઓને કોસ્ટગાર્ડની ટીમે એક એક કરીને બચાવ્યા હતા. અને બાદમાં તમામને સહી સલામત કિનારા સુધી પહોંચાડ્યા હતા. જો કે જહાજ કૃષ્ણ સુદામા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.