રાજકોટ. ગુજરાત સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જોકે હાજર બજારમાં સારા ભાવ (1200-1300) મળતા હોવાને કારણે ખેડૂતો જ સરકારને માલ વેંચવા તૈયાર ન હોય તેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. આજથી જિલ્લાનાં 22 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ પ્રથમ દિવસે રાજકોટનાં જૂના માર્કેટિંગ યાર્ડમાં પડધરી, લોધીકા તેમજ રાજકોટ સહિત 3 તાલુકાનાં માત્ર 9 ખેડૂતો જ મગફળી વેચવા આવ્યા છે.
આ અંગે પુરવઠા વિભાગના નાયબ જિલ્લા મેનેજર પ્રકાશ સખીયાએ જણાવ્યું હતું કે, એક કેન્દ્ર પર 1 અધિકારી સહિત 7 કર્મચારીઓ તૈનાત કરાયા છે. હાલ સમગ્ર જિલ્લામાં એકાદ લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે પૈકી પ્રથમ તબક્કે માત્ર 20-20 ખેડૂતને બોલાવવામાં આવ્યા છે. બાદમાં 50થી વધુ ખેડૂતોને બોલવાશે. સરળતા માટે જ દરેક ખેડૂતોને SMSથી જાણ કરવામાં આવી રહી છે. કોઈ ગેરરીતિ ન થાય તે માટે પુરવઠા વિભાગ દ્વારા CCTVથી સમગ્ર પ્રક્રિયાનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગ દ્વારા 140 ગોદામ ભાડે રાખવામાં આવ્યાં છે. આ ખરીદીની પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે. જેમાં તમામ ખેડૂત પાસેથી 2500 કિલો મગફળીની જ ખરીદી કરવામાં આવશે. જો કે આજે પ્રથમ દિવસે ખેડૂતોનો નબળો પ્રતિસાદ છે. અને કુલ 60 ખેડૂતોને બોલાવાયા હતા. આ પૈકી હાલ માત્ર 9-10 ખેડૂતો આવ્યા છે. જોકે બપોર બાદ બાકીનાં ખેડૂતો આવવાની આશા તેમણે વ્યક્ત કરી છે.
બીજીતરફ સારા વરસાદને પગલે મગફળીનું મબલખ ઉત્પાદન અને દરવર્ષની સરખામણીએ સારા ભાવને કારણે ખેડૂતો હાજર બજારમાં મગફળી વેંચવા માટે ઉતાવળા બન્યા છે. અને આજે લગભગ 2 લાખ ગુણી જેટલી આવક થતા યાર્ડનાં સતાધીશોએ નવી આવકો બંધ કરવાની ફરજ પડી છે. હાલ એક દિવસમાં 25 હજાર ગુણીની હરરાજી શક્ય હોવાથી આગામી એક સપ્તાહ સુધી અવકો બંધ રહે તેવી શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી છે.
રાજકોટ. ગુજરાત સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જોકે હાજર બજારમાં સારા ભાવ (1200-1300) મળતા હોવાને કારણે ખેડૂતો જ સરકારને માલ વેંચવા તૈયાર ન હોય તેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. આજથી જિલ્લાનાં 22 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ પ્રથમ દિવસે રાજકોટનાં જૂના માર્કેટિંગ યાર્ડમાં પડધરી, લોધીકા તેમજ રાજકોટ સહિત 3 તાલુકાનાં માત્ર 9 ખેડૂતો જ મગફળી વેચવા આવ્યા છે.
આ અંગે પુરવઠા વિભાગના નાયબ જિલ્લા મેનેજર પ્રકાશ સખીયાએ જણાવ્યું હતું કે, એક કેન્દ્ર પર 1 અધિકારી સહિત 7 કર્મચારીઓ તૈનાત કરાયા છે. હાલ સમગ્ર જિલ્લામાં એકાદ લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે પૈકી પ્રથમ તબક્કે માત્ર 20-20 ખેડૂતને બોલાવવામાં આવ્યા છે. બાદમાં 50થી વધુ ખેડૂતોને બોલવાશે. સરળતા માટે જ દરેક ખેડૂતોને SMSથી જાણ કરવામાં આવી રહી છે. કોઈ ગેરરીતિ ન થાય તે માટે પુરવઠા વિભાગ દ્વારા CCTVથી સમગ્ર પ્રક્રિયાનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગ દ્વારા 140 ગોદામ ભાડે રાખવામાં આવ્યાં છે. આ ખરીદીની પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે. જેમાં તમામ ખેડૂત પાસેથી 2500 કિલો મગફળીની જ ખરીદી કરવામાં આવશે. જો કે આજે પ્રથમ દિવસે ખેડૂતોનો નબળો પ્રતિસાદ છે. અને કુલ 60 ખેડૂતોને બોલાવાયા હતા. આ પૈકી હાલ માત્ર 9-10 ખેડૂતો આવ્યા છે. જોકે બપોર બાદ બાકીનાં ખેડૂતો આવવાની આશા તેમણે વ્યક્ત કરી છે.
બીજીતરફ સારા વરસાદને પગલે મગફળીનું મબલખ ઉત્પાદન અને દરવર્ષની સરખામણીએ સારા ભાવને કારણે ખેડૂતો હાજર બજારમાં મગફળી વેંચવા માટે ઉતાવળા બન્યા છે. અને આજે લગભગ 2 લાખ ગુણી જેટલી આવક થતા યાર્ડનાં સતાધીશોએ નવી આવકો બંધ કરવાની ફરજ પડી છે. હાલ એક દિવસમાં 25 હજાર ગુણીની હરરાજી શક્ય હોવાથી આગામી એક સપ્તાહ સુધી અવકો બંધ રહે તેવી શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી છે.