પરમાણું મિસાઇલ વહન કરી શકતા આધુનિક જેટનાં આગમનથી શહેર સહિત સમગ્ર દેશના લોકોમાં અનેરી ઉત્તેજના જોવા મળી
ફ્રાંસથી રાફેલ જેટનો બીજો જથ્થો જામનગર એરફોર્સ એરબેઝ પર રાત્રે 8:14 વાગ્યે આવી પહોંચ્યો
ત્રણેય રાફેલે ફ્રાંસથી 7,364 કિમીની સફરમાં ક્યાંય પણ અટક્યા વિના પુરી કરી
જામનગર. ગતરાત્રે ત્રણ રાફેલ જેટે એરબેઝ પર લેન્ડ કર્યું હતું. ત્યારે હાલારનું ગગન રાફેલની ગર્જનાથી ગુંજી ઉઠ્યું હતું. પ્રતિ કલાક 2000 કિલોમીટરની સ્પીડથી પરમાણું મિસાઇલ વહન કરી શકતા આધુનિક જેટનાં આગમનથી શહેર સહિત સમગ્ર દેશના લોકોમાં અનેરી ઉત્તેજના જોવા મળી હતી. હાલ પાકિસ્તાન અને ચીન પાસે રાફેલ વિમાન નથી. ત્યારે ભારતની વાયુસેનાની તાકાતમાં વધુ ત્રણ વિમાન ઉમેરાતા દુશ્મનોના પેટમાં તેલ રેડાયું છે. આજે આ ત્રણેય રાફેલ અંબાલા જવા રવાના થશે.
ભારતીય વાયુ સેનાએ સત્તાવાર જાહેરાત કરતા કહ્યું હતું કે, ફ્રાંસથી રાફેલ જેટનો બીજો જથ્થો જામનગર એરફોર્સ એરબેઝ પર રાત્રે 8:14 વાગ્યે આવી પહોંચ્યો છે. આ લડાકુ વિમાનો જામનગરમાં રાત્રી રોકાણ કરી આજે હરિયાણાના અંબાલા એરબેઝ પર જવા ઉડાન ભરશે. ત્રણેય રાફેલે ફ્રાંસથી 7,364 કિમીની સફરમાં ક્યાંય પણ અટક્યા વિના પુરી કરી હતી. આ સમયે હવામાં ફ્યુલ ભરવા માટે ફ્રાંસનું અન્ય ખાસ વિમાન પણ સાથે રહ્યું હતું.
https://youtu.be/z30r3YLrFBc
ઉલ્લેખનીય છે કે, ભારત અને ફ્રાંસ વચ્ચે 36 રાફેલ વિમાનની ડીલ થઇ છે. આ પહેલા 5 રાફેલનો પ્રથમ જથ્થો અબુધાબી પાસે અલ ઢફરા એરબેસમાં એક સ્ટોપ પર રોકાયા બાદ 29 જુલાઇએ અંબાલા એરબેસ પર પહોચ્યો હતો. બાદમાં રક્ષામંત્રી રાજનાથસિંહના હસ્તે 10 સપ્ટેમ્બરે ઔપચારિક સમારંભ યોજવામાં આવ્યો હતો. જેના દ્વારા રાફેલ ભારતીય વાયુસેનામાં સામેલ થયું હતું. ભારતને દર બે મહિનામાં ત્રણથી ચાર રાફેલ આપવાનો દાવો ફ્રાંસએ કર્યો છે. આ રીતે તમામ 36 રાફેલ ભારતીય વાયુસેનાની તાકાત વધારશે.
પરમાણું મિસાઇલ વહન કરી શકતા આધુનિક જેટનાં આગમનથી શહેર સહિત સમગ્ર દેશના લોકોમાં અનેરી ઉત્તેજના જોવા મળી
ફ્રાંસથી રાફેલ જેટનો બીજો જથ્થો જામનગર એરફોર્સ એરબેઝ પર રાત્રે 8:14 વાગ્યે આવી પહોંચ્યો
ત્રણેય રાફેલે ફ્રાંસથી 7,364 કિમીની સફરમાં ક્યાંય પણ અટક્યા વિના પુરી કરી
જામનગર. ગતરાત્રે ત્રણ રાફેલ જેટે એરબેઝ પર લેન્ડ કર્યું હતું. ત્યારે હાલારનું ગગન રાફેલની ગર્જનાથી ગુંજી ઉઠ્યું હતું. પ્રતિ કલાક 2000 કિલોમીટરની સ્પીડથી પરમાણું મિસાઇલ વહન કરી શકતા આધુનિક જેટનાં આગમનથી શહેર સહિત સમગ્ર દેશના લોકોમાં અનેરી ઉત્તેજના જોવા મળી હતી. હાલ પાકિસ્તાન અને ચીન પાસે રાફેલ વિમાન નથી. ત્યારે ભારતની વાયુસેનાની તાકાતમાં વધુ ત્રણ વિમાન ઉમેરાતા દુશ્મનોના પેટમાં તેલ રેડાયું છે. આજે આ ત્રણેય રાફેલ અંબાલા જવા રવાના થશે.
ભારતીય વાયુ સેનાએ સત્તાવાર જાહેરાત કરતા કહ્યું હતું કે, ફ્રાંસથી રાફેલ જેટનો બીજો જથ્થો જામનગર એરફોર્સ એરબેઝ પર રાત્રે 8:14 વાગ્યે આવી પહોંચ્યો છે. આ લડાકુ વિમાનો જામનગરમાં રાત્રી રોકાણ કરી આજે હરિયાણાના અંબાલા એરબેઝ પર જવા ઉડાન ભરશે. ત્રણેય રાફેલે ફ્રાંસથી 7,364 કિમીની સફરમાં ક્યાંય પણ અટક્યા વિના પુરી કરી હતી. આ સમયે હવામાં ફ્યુલ ભરવા માટે ફ્રાંસનું અન્ય ખાસ વિમાન પણ સાથે રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ફ્રાંસ વચ્ચે 36 રાફેલ વિમાનની ડીલ થઇ છે. આ પહેલા 5 રાફેલનો પ્રથમ જથ્થો અબુધાબી પાસે અલ ઢફરા એરબેસમાં એક સ્ટોપ પર રોકાયા બાદ 29 જુલાઇએ અંબાલા એરબેસ પર પહોચ્યો હતો. બાદમાં રક્ષામંત્રી રાજનાથસિંહના હસ્તે 10 સપ્ટેમ્બરે ઔપચારિક સમારંભ યોજવામાં આવ્યો હતો. જેના દ્વારા રાફેલ ભારતીય વાયુસેનામાં સામેલ થયું હતું. ભારતને દર બે મહિનામાં ત્રણથી ચાર રાફેલ આપવાનો દાવો ફ્રાંસએ કર્યો છે. આ રીતે તમામ 36 રાફેલ ભારતીય વાયુસેનાની તાકાત વધારશે.