જૂનાગઢ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સ્વપ્ન સમાન એશિયાનો સૌથી મોટો ગીરનારનો રોપ-વે પ્રોજેકટ સાકાર થયો છે. અને સીએમ રૂપાણીની હાજરીમાં PM મોદીનાં હસ્તે તેનું ઈ-લોકાર્પણ પણ થઈ ચૂક્યું છે. જો કે આ રોપ-વેનાં તોતિંગ ભાડાને કારણે તેની સફર સામાન્ય માણસ માટે તો વિમાન યાત્રા સમાન બની છે. જેને પગલે સ્થાનિક ધારાસભ્ય તેમજ કોર્પોરેટર દ્વારા તાત્કાલિક ધોરણે ભાડું ઘટાડવાની માંગ કરવામાં આવી છે.
ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ આ અંગે મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, હાલ રોપ-વેમાં એક વ્યક્તિની રિટર્ન ટિકિટ 700 રૂપિયા વતા 18 ટકા GST રાખવામાં આવ્યો છે. જે ખરેખર ઘણો વધારે છે. આવા ભાવને કારણે ગરીબ વર્ગ રોપ-વેનો લાભ નહીં લઈ શકે. ત્યારે સરકાર અને મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી ભાડું રૂ. 300 જેટલું કરવું જરૂરી છે. જો આ મુદ્દે જરૂરી પગલાં નહીં લેવામાં આવે તો રોપ-વેમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં પણ ઘટાડો થવાની દહેશત તેમણે વ્યક્ત કરી છે.
તો સ્થાનિક કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી આ અંગે રજૂઆત કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, રોપ-વેની રૂ. 700 ટીકીટ સામાન્ય લોકો માટે અન્યાય સમાન છે. જૂનાગઢમાં રહેતા લોકો, દિવ્યાંગો તેમજ સિનિયર સિટીઝનો માટે ટીકીટનો દર ઘટાડવાની માંગ તેમણે કરી છે. તેમણે કહ્યું છે કે, અહીં રહેતા લોકો પોતાના મહેમાનોને પણ રોપ-વેની સફર કરાવી શકે તે માટે ભાડું ઘટાડવું જરૂરી છે. આ સાથે જ રોપ-વે લૂંટ-વે ન થાય અને સાચા અર્થમાં લોકો માતા જગદંબાનાં દર્શન કરી શકે તે માટે ત્વરિત ભાડામાં ઘટાડો કરવાની માંગ તેમણે કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગીરનાર રપો-વેમાં કુલ 9 ટાવર ઉભા કરાયા છે. જેમાં 6 નંબરનો ટાવર આ યોજનાનો સૌથી ઉંચો ટાવર છે. તેની ઉંચાઈ 67 મીટર છે. ભવનાથ તળેટીથી લઈ અંબાજી સુધીનું અંતર 2.3 કીમીનું છે. રોપ-વેથી પ્રવાસીઓ 7 મિનિટમાં તળેટીથી અંબાજી પહોંચી શકશે. હાલ રોપ-વેમાં 24 ટ્રોલી લગાવવામાં આવી છે. જેમાં એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે. એટલે કે એક ફેરામાં 192 પ્રવાસીઓ આ રોપ-વેમાં મુસાફરી કરી શકશે. આ રોપ-વે પાવાગઢ કરતાં 3 ગણો લાંબો છે. પણ તેનું ભાડું 6 ગણું વધારે હોવાથી લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સ્વપ્ન સમાન એશિયાનો સૌથી મોટો ગીરનારનો રોપ-વે પ્રોજેકટ સાકાર થયો છે. અને સીએમ રૂપાણીની હાજરીમાં PM મોદીનાં હસ્તે તેનું ઈ-લોકાર્પણ પણ થઈ ચૂક્યું છે. જો કે આ રોપ-વેનાં તોતિંગ ભાડાને કારણે તેની સફર સામાન્ય માણસ માટે તો વિમાન યાત્રા સમાન બની છે. જેને પગલે સ્થાનિક ધારાસભ્ય તેમજ કોર્પોરેટર દ્વારા તાત્કાલિક ધોરણે ભાડું ઘટાડવાની માંગ કરવામાં આવી છે.
ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ આ અંગે મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, હાલ રોપ-વેમાં એક વ્યક્તિની રિટર્ન ટિકિટ 700 રૂપિયા વતા 18 ટકા GST રાખવામાં આવ્યો છે. જે ખરેખર ઘણો વધારે છે. આવા ભાવને કારણે ગરીબ વર્ગ રોપ-વેનો લાભ નહીં લઈ શકે. ત્યારે સરકાર અને મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી ભાડું રૂ. 300 જેટલું કરવું જરૂરી છે. જો આ મુદ્દે જરૂરી પગલાં નહીં લેવામાં આવે તો રોપ-વેમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં પણ ઘટાડો થવાની દહેશત તેમણે વ્યક્ત કરી છે.
તો સ્થાનિક કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી આ અંગે રજૂઆત કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, રોપ-વેની રૂ. 700 ટીકીટ સામાન્ય લોકો માટે અન્યાય સમાન છે. જૂનાગઢમાં રહેતા લોકો, દિવ્યાંગો તેમજ સિનિયર સિટીઝનો માટે ટીકીટનો દર ઘટાડવાની માંગ તેમણે કરી છે. તેમણે કહ્યું છે કે, અહીં રહેતા લોકો પોતાના મહેમાનોને પણ રોપ-વેની સફર કરાવી શકે તે માટે ભાડું ઘટાડવું જરૂરી છે. આ સાથે જ રોપ-વે લૂંટ-વે ન થાય અને સાચા અર્થમાં લોકો માતા જગદંબાનાં દર્શન કરી શકે તે માટે ત્વરિત ભાડામાં ઘટાડો કરવાની માંગ તેમણે કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગીરનાર રપો-વેમાં કુલ 9 ટાવર ઉભા કરાયા છે. જેમાં 6 નંબરનો ટાવર આ યોજનાનો સૌથી ઉંચો ટાવર છે. તેની ઉંચાઈ 67 મીટર છે. ભવનાથ તળેટીથી લઈ અંબાજી સુધીનું અંતર 2.3 કીમીનું છે. રોપ-વેથી પ્રવાસીઓ 7 મિનિટમાં તળેટીથી અંબાજી પહોંચી શકશે. હાલ રોપ-વેમાં 24 ટ્રોલી લગાવવામાં આવી છે. જેમાં એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે. એટલે કે એક ફેરામાં 192 પ્રવાસીઓ આ રોપ-વેમાં મુસાફરી કરી શકશે. આ રોપ-વે પાવાગઢ કરતાં 3 ગણો લાંબો છે. પણ તેનું ભાડું 6 ગણું વધારે હોવાથી લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.