યુરોપના ઓસ્ટ્રિયાની ટીમ દ્વારા રોપ-વેનું ચેકિંગ કરવામાં આવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થાય તેવી શક્યતા.
રોપવેની ટ્રોલી ચલાવી કેબલ, સિંગ્નલનો સામાન લાવવા અને લઇ જવા માટેનું ચેકીંગ કરી રહ્યા છે. કામગીરી પૂર્ણ થયા બાદ વધુ એક ટીમ દ્વારા રોપ-વે ટેસ્ટીંગની કામગીરી શરૂ કરાશે
ટીમ વિવિધ ટેસ્ટીંગ બાદ કોઇ મુશ્કેલી ન હોવાનો એક રિપોર્ટ તૈયાર કરશે, રિપોર્ટના આધારે રોપવે શરૂ કરવાનો આખરી નિર્ણય લેવાશે
ગીરનાર રોપ-વે શરૂ થતાં યાત્રિકોનો પ્રવાહ વધશે.
જુનાગઢ. ગીરનાર રોપ-વેના ટ્રાયલ માટેની તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ઓસ્ટ્રિયાની ટીમ ચેકીંગ માટે આવી પહોંચી છે. તેમજ રોપ-વેની કામગીરીની ઝીણવટભરી તપાસ કરી રહી છે. જેમાં સિગ્નલ અને કેબલનું ચેકીંગ કરવામાં આવ્યું છે. થોડા દિવસો બાદ હજુ અન્ય એક ટીમ આવશે. અને તેના દ્વારા ટ્રાયલ કરવામાં આવશે. જો બધું ધારણા પ્રમાણે થયું તો 9 નવેમ્બરે PM મોદીનાં હસ્તે ગીરનાર રોપ-વેનું લોકાર્પણ થવાની પૂરતી સંભાવના છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, યુરોપિયન દેશ ઓસ્ટ્રિયામાં સૌથી વધુ પર્વતો હોઈ રોપ-વે પણ ઘણા છે. જેને લઈ ત્યાંના નિષ્ણાંતોને ખાસ રોપ-વેમાં ભવિષ્યમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી શકે. અને કોઈ અકસ્માત ન થાય એ માટે શું-શું કરી શકાય તેનો સારો એવો અનુભવ હોય છે. આ કારણે રોપ-વે બનાવનાર ઉષા બ્રેકો કંપની દ્વારા ઓસ્ટ્રિયન કંપની સાથે ટેક્નિકલ માર્ગદર્શનનાં કરાર કરવામાં આવ્યા છે.
https://youtu.be/q2D000zDKpU
રોપ-વે ના ચેકીંગમાં ટ્રોલીને ખાલી કરી તેમજ ચોક્કસ વજન સાથે દોડાવાશે
ઉષા બ્રેકો સાથેનાં આ કરાર મુજબ હાલ ઓસ્ટીયાનાં ઇજનેરો જૂનાગઢ આવી ચુક્યા છે. અને ટ્રોલી ચલાવી કેબલ, સિંગ્નલનો સામાન લાવવા અને લઇ જવા માટેનું ચેકીંગ કરી રહ્યા છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વધુ એક ટીમ દ્વારા રોપ-વે ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવશે. જેમાં પેસેન્જર ટ્રોલીનું ટેસ્ટીંગ કરવા માટે આ ટ્રોલી ખાલી તેમજ નક્કી કરેલા વજન સાથે દોડાવવામાં આવશે. સવારથી સાંજ સુધી આ પ્રકારની જુદી-જુદી ટ્રાયલ કરવામાં આવશે.
ટેસ્ટીંગ બાદ તૈયાર કરાયેલા આખરી રિપોર્ટના આધારે રોપ-વે શરૂ કરાશે
વિદેશથી આવેલી ટીમ રોપ-વેની આખરી ટ્રાયલ કરીને જ પરત જશે. ત્યાં સુધી તેઓ અહીં જ રોકાશે. જોકે, ટીમનાં સભ્યોએ કોરોનાથી બચવા સ્થાનિક કોઇને પણ નહીં મળવાની શરત રાખી હોવાનું જાણવા મળ્યું છે. આ ટીમ વિવિધ ટેસ્ટીંગ બાદ કોઇ મુશ્કેલી ન હોવાનો એક રિપોર્ટ તૈયાર કરશે. અને આ રિપોર્ટને આધારે રોપ-વે શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે.
પીએમ મોદી રોપ-વે નું ઉદ્ધાટન કરે તેવી શક્યતા- વિસ્તારમાં ટુરીઝને પ્રોત્સાહન મળશે
ગીરનાર રોપ-વે શરૂ થતાં યાત્રિકોનો પ્રવાહ વધશે. ખાસ અંબાજીથી જૈન દેરાસર અને ગુરૂ દત્તાત્રેય વચ્ચેનો ટ્રાફિક ખૂબ જ વધવાની શક્યતા છે. જેને લઈને સ્થાનિક વેપારીઓને લાભ થશે. જોકે હાલ માત્ર યાત્રાળુઓ માટેની મંજૂરી મળી છે. જેને લઈને માલ-સામાન પહોંચાડતા વધુ મજૂરોની જરૂર પડવાની સંભાવના છે. તંત્ર દ્વારા 9 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદીનાં હસ્તે આ મહત્વપૂર્ણ પ્રોજેકટનું લોકાર્પણ કરાવવાની તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને ટૂંક સમયમાં આ માટેની સતાવાર જાહેરાત કરવામાં આવનાર છે.
યુરોપના ઓસ્ટ્રિયાની ટીમ દ્વારા રોપ-વેનું ચેકિંગ કરવામાં આવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થાય તેવી શક્યતા.
રોપવેની ટ્રોલી ચલાવી કેબલ, સિંગ્નલનો સામાન લાવવા અને લઇ જવા માટેનું ચેકીંગ કરી રહ્યા છે. કામગીરી પૂર્ણ થયા બાદ વધુ એક ટીમ દ્વારા રોપ-વે ટેસ્ટીંગની કામગીરી શરૂ કરાશે
ટીમ વિવિધ ટેસ્ટીંગ બાદ કોઇ મુશ્કેલી ન હોવાનો એક રિપોર્ટ તૈયાર કરશે, રિપોર્ટના આધારે રોપવે શરૂ કરવાનો આખરી નિર્ણય લેવાશે
ગીરનાર રોપ-વે શરૂ થતાં યાત્રિકોનો પ્રવાહ વધશે.
જુનાગઢ. ગીરનાર રોપ-વેના ટ્રાયલ માટેની તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ઓસ્ટ્રિયાની ટીમ ચેકીંગ માટે આવી પહોંચી છે. તેમજ રોપ-વેની કામગીરીની ઝીણવટભરી તપાસ કરી રહી છે. જેમાં સિગ્નલ અને કેબલનું ચેકીંગ કરવામાં આવ્યું છે. થોડા દિવસો બાદ હજુ અન્ય એક ટીમ આવશે. અને તેના દ્વારા ટ્રાયલ કરવામાં આવશે. જો બધું ધારણા પ્રમાણે થયું તો 9 નવેમ્બરે PM મોદીનાં હસ્તે ગીરનાર રોપ-વેનું લોકાર્પણ થવાની પૂરતી સંભાવના છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, યુરોપિયન દેશ ઓસ્ટ્રિયામાં સૌથી વધુ પર્વતો હોઈ રોપ-વે પણ ઘણા છે. જેને લઈ ત્યાંના નિષ્ણાંતોને ખાસ રોપ-વેમાં ભવિષ્યમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી શકે. અને કોઈ અકસ્માત ન થાય એ માટે શું-શું કરી શકાય તેનો સારો એવો અનુભવ હોય છે. આ કારણે રોપ-વે બનાવનાર ઉષા બ્રેકો કંપની દ્વારા ઓસ્ટ્રિયન કંપની સાથે ટેક્નિકલ માર્ગદર્શનનાં કરાર કરવામાં આવ્યા છે.
રોપ-વે ના ચેકીંગમાં ટ્રોલીને ખાલી કરી તેમજ ચોક્કસ વજન સાથે દોડાવાશે
ઉષા બ્રેકો સાથેનાં આ કરાર મુજબ હાલ ઓસ્ટીયાનાં ઇજનેરો જૂનાગઢ આવી ચુક્યા છે. અને ટ્રોલી ચલાવી કેબલ, સિંગ્નલનો સામાન લાવવા અને લઇ જવા માટેનું ચેકીંગ કરી રહ્યા છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વધુ એક ટીમ દ્વારા રોપ-વે ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવશે. જેમાં પેસેન્જર ટ્રોલીનું ટેસ્ટીંગ કરવા માટે આ ટ્રોલી ખાલી તેમજ નક્કી કરેલા વજન સાથે દોડાવવામાં આવશે. સવારથી સાંજ સુધી આ પ્રકારની જુદી-જુદી ટ્રાયલ કરવામાં આવશે.
ટેસ્ટીંગ બાદ તૈયાર કરાયેલા આખરી રિપોર્ટના આધારે રોપ-વે શરૂ કરાશે
વિદેશથી આવેલી ટીમ રોપ-વેની આખરી ટ્રાયલ કરીને જ પરત જશે. ત્યાં સુધી તેઓ અહીં જ રોકાશે. જોકે, ટીમનાં સભ્યોએ કોરોનાથી બચવા સ્થાનિક કોઇને પણ નહીં મળવાની શરત રાખી હોવાનું જાણવા મળ્યું છે. આ ટીમ વિવિધ ટેસ્ટીંગ બાદ કોઇ મુશ્કેલી ન હોવાનો એક રિપોર્ટ તૈયાર કરશે. અને આ રિપોર્ટને આધારે રોપ-વે શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે.
પીએમ મોદી રોપ-વે નું ઉદ્ધાટન કરે તેવી શક્યતા- વિસ્તારમાં ટુરીઝને પ્રોત્સાહન મળશે
ગીરનાર રોપ-વે શરૂ થતાં યાત્રિકોનો પ્રવાહ વધશે. ખાસ અંબાજીથી જૈન દેરાસર અને ગુરૂ દત્તાત્રેય વચ્ચેનો ટ્રાફિક ખૂબ જ વધવાની શક્યતા છે. જેને લઈને સ્થાનિક વેપારીઓને લાભ થશે. જોકે હાલ માત્ર યાત્રાળુઓ માટેની મંજૂરી મળી છે. જેને લઈને માલ-સામાન પહોંચાડતા વધુ મજૂરોની જરૂર પડવાની સંભાવના છે. તંત્ર દ્વારા 9 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદીનાં હસ્તે આ મહત્વપૂર્ણ પ્રોજેકટનું લોકાર્પણ કરાવવાની તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને ટૂંક સમયમાં આ માટેની સતાવાર જાહેરાત કરવામાં આવનાર છે.