3 વર્ષ પહેલાં નવો બનાવવામાં આવેલો પુલ માત્ર 6 મહિનાના ટૂંકા સમયમાં આ પુલ બિસ્માર થઈ તૂટી ગયો
ગોંડલ-રાજકોટનો રસ્તો ખરાબ હોય લોકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. અને સાથે ટોલટેક્સ પણ ભરવાનો ? - સાંસદ રમેશ ધડુક
પુલ બિસ્માર થઈ તૂટી ગયો હોવાથી લોકો લાંબા સમયથી હેરાન પરેશાન
રાજકોટ. જેતપુરનાં ભાદર ડેમ પરનાં પુલનું બુધવારે બીજી વખતનું લોકાર્પણ પોરબંદર સાંસદ રમેશ ધડુકનાં હસ્તે કરવામાં આવ્યું હતું. 3 વર્ષ પહેલાં આ પુલને નવો બનાવવામાં આવ્યો હતો અને માત્ર 6 મહિનાના ટૂંકા સમયમાં આ પુલ બિસ્માર થઈ તૂટી ગયો હતો. લોકો લાંબા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા. ત્યારે સાંસદ ધડુકનાં હસ્તક્ષેપ બાદ ત્વરિત રીપેર થયેલા પુલનું લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે ધડુકે વધુ એક ધડાકો કર્યો હતો. અને ગોંડલના નેશનલ હાઈવે પર ખાડાને લઈને હાઈવે ઓથોરિટીનાં અધિકારીને સ્થળ પર બોલાવીને કહ્યું હતું કે, રસ્તો રીપેર થાય પછી ટોલ ઉઘરાવો.
https://youtu.be/62TSZoGvHps
રમેશ ધડુકે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને કહ્યું હતું કે, તમે ટોલ ઉઘરાવવાનું ચાલુ રાખો છો અને રોડનું કામ તો કરતા નથી, આવું થોડુ ચાલે. તો તમે ટોલટેક્સ ઉઘરાવવાનું બંધ કરી દો, તમારી પાસે એજન્સી પણ નથી. ત્યારે અધિકારી કહે છે કે તે નોટિસ મેં આપી દીધી છે. જવાબમાં ધડુકે કે ગોંડલથી પોરબંદર સુધી એકપણ તકલીફ ન થવી જોઈએ. રિપેરિંગનું કામ પહેલા કરવું જ પડશે.
આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં સાંસદ રમેશ ધડુકે જણાવ્યું હતું કે, આ વાત સાચી જ છે કે મેં અધિકારી સાથે વાત કરી છે. એ લોકો કહે છે કે અમારી પાસે એજન્સી ન હોય તો ટોલ લેવાનું બંધ કરી દેવું જોઈએ. ટોલ લેવો છે અને એજન્સી નથી તો બેય કેમ ચલાવી લેવાય ? ગોંડલ-રાજકોટનો રસ્તો ખરાબ હોય લોકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. અને સાથે ટોલટેક્સ પણ ભરવાનો ? બધા જ નિયમો મંગાવવાનો છું. અને કાયદેસર રીતે લોકોની મદદ માટે જે કરવું પડશે તે બધું કરવાની મારી તૈયારી છે.
3 વર્ષ પહેલાં નવો બનાવવામાં આવેલો પુલ માત્ર 6 મહિનાના ટૂંકા સમયમાં આ પુલ બિસ્માર થઈ તૂટી ગયો
ગોંડલ-રાજકોટનો રસ્તો ખરાબ હોય લોકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. અને સાથે ટોલટેક્સ પણ ભરવાનો ? - સાંસદ રમેશ ધડુક
પુલ બિસ્માર થઈ તૂટી ગયો હોવાથી લોકો લાંબા સમયથી હેરાન પરેશાન
રાજકોટ. જેતપુરનાં ભાદર ડેમ પરનાં પુલનું બુધવારે બીજી વખતનું લોકાર્પણ પોરબંદર સાંસદ રમેશ ધડુકનાં હસ્તે કરવામાં આવ્યું હતું. 3 વર્ષ પહેલાં આ પુલને નવો બનાવવામાં આવ્યો હતો અને માત્ર 6 મહિનાના ટૂંકા સમયમાં આ પુલ બિસ્માર થઈ તૂટી ગયો હતો. લોકો લાંબા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા. ત્યારે સાંસદ ધડુકનાં હસ્તક્ષેપ બાદ ત્વરિત રીપેર થયેલા પુલનું લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે ધડુકે વધુ એક ધડાકો કર્યો હતો. અને ગોંડલના નેશનલ હાઈવે પર ખાડાને લઈને હાઈવે ઓથોરિટીનાં અધિકારીને સ્થળ પર બોલાવીને કહ્યું હતું કે, રસ્તો રીપેર થાય પછી ટોલ ઉઘરાવો.
રમેશ ધડુકે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને કહ્યું હતું કે, તમે ટોલ ઉઘરાવવાનું ચાલુ રાખો છો અને રોડનું કામ તો કરતા નથી, આવું થોડુ ચાલે. તો તમે ટોલટેક્સ ઉઘરાવવાનું બંધ કરી દો, તમારી પાસે એજન્સી પણ નથી. ત્યારે અધિકારી કહે છે કે તે નોટિસ મેં આપી દીધી છે. જવાબમાં ધડુકે કે ગોંડલથી પોરબંદર સુધી એકપણ તકલીફ ન થવી જોઈએ. રિપેરિંગનું કામ પહેલા કરવું જ પડશે.
આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં સાંસદ રમેશ ધડુકે જણાવ્યું હતું કે, આ વાત સાચી જ છે કે મેં અધિકારી સાથે વાત કરી છે. એ લોકો કહે છે કે અમારી પાસે એજન્સી ન હોય તો ટોલ લેવાનું બંધ કરી દેવું જોઈએ. ટોલ લેવો છે અને એજન્સી નથી તો બેય કેમ ચલાવી લેવાય ? ગોંડલ-રાજકોટનો રસ્તો ખરાબ હોય લોકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. અને સાથે ટોલટેક્સ પણ ભરવાનો ? બધા જ નિયમો મંગાવવાનો છું. અને કાયદેસર રીતે લોકોની મદદ માટે જે કરવું પડશે તે બધું કરવાની મારી તૈયારી છે.