સાંસદ મોહન કુંડારિયા 25 કિલો ભરતી મંજુર કરવાની માંગ કરવામાં આવી હતી
જાહેરાતો માત્ર કાગળ ઉપર રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો
અચાનક લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતોને ભારે મુશ્કેલી પડતી હોઈ ખરીદી અટકાવી દેવામાં આવી
કિસાન સંઘ દ્વારા તમામ સ્થળોએ અધિકારીઓ સાથે વાત કરીને 30 કિલોનો નિર્ણય પરત ખેંચાવવામાં આવ્યો
રાજકોટ. રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં સાંસદ મોહન કુંડારિયા 25 કિલો ભરતી મંજુર કરવાની માંગ કરવામાં આવી હતી. અને આ પ્રમાણેની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી હતી. પરંતુ આ જાહેરાતો માત્ર કાગળ ઉપર રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેને પગલે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા યાર્ડ ખાતે આ મુદ્દે હોબાળો કરી ખરીદી અટકાવી હતી. જેને પગલે ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. તેમજ 25 કિલોની મંજૂરી આપી ખરીદી શરૂ કરવામાં આવી છે.
ટેકાના ભાવે ખરીદ કરવામાં આવતી મગફળીમાં 25 કિલોનાં બદલે અચાનક 30 કિલોની ભરતી ફરજિયાત કરવામાં આવી હતી. જેને પગલે કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિતનાઓ દોડી ગયા હતા. અને ત્યાં રજૂઆત કરવા છતાં 25 કિલો સાથે ખરીદીનો ઇન્કાર થતા ખરીદી અટકાવવામાં આવી હતી.
https://youtu.be/6mATp47WrqM
દિલીપ સખીયાનાં જણાવ્યા મુજબ, સાંસદ મોહન કુંડરિયાની રજૂઆત બાદ રાજ્ય સરકારે 25 કિલોની છૂટ આપી છે. તેમ છતાં અચાનક ગતરાત્રે 30 કિલોનો ફતવો બહાર પાડી દેવામાં આવ્યો. હાલ મગફળીની સાઈઝ નાની હોવાથી બારદાનમાં 30 કિલો મગફળી રાખવી શક્ય નથી. તેવામાં અચાનક લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતોને ભારે મુશ્કેલી પડતી હોઈ ખરીદી અટકાવી દેવામાં આવી હતી.
જો કે બાદમાં પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા. અને આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈ તાત્કાલિક 30 કિલોનો નિર્ણય પરત ખેંચવામાં આવ્યો હતો. અને 25 કિલોની ભરતી સાથે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લોધિકા સહિત જિલ્લાનાં વિવિધ સેન્ટરોમાં પણ આ જ સમસ્યા ઉપસ્થિત થતા કિસાન સંઘ દ્વારા તમામ સ્થળોએ અધિકારીઓ સાથે વાત કરીને 30 કિલોનો નિર્ણય પરત ખેંચાવવામાં આવ્યો હતો.
સાંસદ મોહન કુંડારિયા 25 કિલો ભરતી મંજુર કરવાની માંગ કરવામાં આવી હતી
જાહેરાતો માત્ર કાગળ ઉપર રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો
અચાનક લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતોને ભારે મુશ્કેલી પડતી હોઈ ખરીદી અટકાવી દેવામાં આવી
કિસાન સંઘ દ્વારા તમામ સ્થળોએ અધિકારીઓ સાથે વાત કરીને 30 કિલોનો નિર્ણય પરત ખેંચાવવામાં આવ્યો
રાજકોટ. રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં સાંસદ મોહન કુંડારિયા 25 કિલો ભરતી મંજુર કરવાની માંગ કરવામાં આવી હતી. અને આ પ્રમાણેની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી હતી. પરંતુ આ જાહેરાતો માત્ર કાગળ ઉપર રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેને પગલે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા યાર્ડ ખાતે આ મુદ્દે હોબાળો કરી ખરીદી અટકાવી હતી. જેને પગલે ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. તેમજ 25 કિલોની મંજૂરી આપી ખરીદી શરૂ કરવામાં આવી છે.
ટેકાના ભાવે ખરીદ કરવામાં આવતી મગફળીમાં 25 કિલોનાં બદલે અચાનક 30 કિલોની ભરતી ફરજિયાત કરવામાં આવી હતી. જેને પગલે કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિતનાઓ દોડી ગયા હતા. અને ત્યાં રજૂઆત કરવા છતાં 25 કિલો સાથે ખરીદીનો ઇન્કાર થતા ખરીદી અટકાવવામાં આવી હતી.
દિલીપ સખીયાનાં જણાવ્યા મુજબ, સાંસદ મોહન કુંડરિયાની રજૂઆત બાદ રાજ્ય સરકારે 25 કિલોની છૂટ આપી છે. તેમ છતાં અચાનક ગતરાત્રે 30 કિલોનો ફતવો બહાર પાડી દેવામાં આવ્યો. હાલ મગફળીની સાઈઝ નાની હોવાથી બારદાનમાં 30 કિલો મગફળી રાખવી શક્ય નથી. તેવામાં અચાનક લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતોને ભારે મુશ્કેલી પડતી હોઈ ખરીદી અટકાવી દેવામાં આવી હતી.
જો કે બાદમાં પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા. અને આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈ તાત્કાલિક 30 કિલોનો નિર્ણય પરત ખેંચવામાં આવ્યો હતો. અને 25 કિલોની ભરતી સાથે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લોધિકા સહિત જિલ્લાનાં વિવિધ સેન્ટરોમાં પણ આ જ સમસ્યા ઉપસ્થિત થતા કિસાન સંઘ દ્વારા તમામ સ્થળોએ અધિકારીઓ સાથે વાત કરીને 30 કિલોનો નિર્ણય પરત ખેંચાવવામાં આવ્યો હતો.