પૂ. હરીચરણ દાસજી મહારાજ (રામજી મંદિર ગોંડલ) નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો
99 વર્ષીય હરિચરણ દાસજી મહારાજને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી હાલ ઓક્સિજન પર રાખવામાં આવ્યા
રાજકોટ. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાનાં ગુરૂ અને પરમ પૂ.રણછોડદાસજી મહારાજના અનન્ય શિષ્ય પૂ. હરીચરણ દાસજી મહારાજ (રામજી મંદિર ગોંડલ) નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. 99 વર્ષીય હરિચરણ દાસજી મહારાજને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી હાલ ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. જેને પગલે તેમના ભક્તોમાં ચિંતાનો માહોલ છવાયો છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, રાજકોટથી 40 કિલોમીટર દૂર ગોંડલ ખાતે પૂ. હરિચરણ દાસજી મહારાજનો આશ્રમ આવેલો છે. જે રામજી મંદિરનાં નામે ઓળખાય છે. ક્રિકેટર ચેતેશ્વર પુજારા સહિતનાં અનેક સેલિબ્રિટીઓ પૂ. હરિચરણ દાસજી મહારાજનાં ભક્તો છે. અને તેમને હૃદયપૂર્વક પોતાના ગુરૂ માને છે. છેલ્લા એકાદ દિવસથી તેમની તબિયત નાદુરસ્ત થઈ જતા ડૉક્ટર્સની સલાહ મુજબ કોરોનાનો રિપોર્ટ પણ કરાવ્યો હતો.
દરમિયાન સીટી સ્કેનમાં તેમને કોરોના હોવાનું સામે આવ્યું છે. હાલ સખત તાવ આવે છે. સાથે જ શ્વાસ લેવામાં પણ તકલીફ હોવાથી ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. સુ-પ્રસિધ્ધ રામ હોસ્પિટલનાં ડોકટરો તેમને સારવાર આપી રહયા છે. ડોક્ટર્સનાં કહેવા મુજબ તેમની સ્થીતી સ્ટેબલ છે. પરંતુ તેમને સંપૂર્ણ આરામની જરૂર હોઈ લાખો અનુયાયીઓને ગોંડલ ખાતે ધસારો નહિ કરવા વિનંતી કરવામાં આવી છે.
પૂ. હરીચરણ દાસજી મહારાજ (રામજી મંદિર ગોંડલ) નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો
99 વર્ષીય હરિચરણ દાસજી મહારાજને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી હાલ ઓક્સિજન પર રાખવામાં આવ્યા
રાજકોટ. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાનાં ગુરૂ અને પરમ પૂ.રણછોડદાસજી મહારાજના અનન્ય શિષ્ય પૂ. હરીચરણ દાસજી મહારાજ (રામજી મંદિર ગોંડલ) નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. 99 વર્ષીય હરિચરણ દાસજી મહારાજને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી હાલ ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. જેને પગલે તેમના ભક્તોમાં ચિંતાનો માહોલ છવાયો છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, રાજકોટથી 40 કિલોમીટર દૂર ગોંડલ ખાતે પૂ. હરિચરણ દાસજી મહારાજનો આશ્રમ આવેલો છે. જે રામજી મંદિરનાં નામે ઓળખાય છે. ક્રિકેટર ચેતેશ્વર પુજારા સહિતનાં અનેક સેલિબ્રિટીઓ પૂ. હરિચરણ દાસજી મહારાજનાં ભક્તો છે. અને તેમને હૃદયપૂર્વક પોતાના ગુરૂ માને છે. છેલ્લા એકાદ દિવસથી તેમની તબિયત નાદુરસ્ત થઈ જતા ડૉક્ટર્સની સલાહ મુજબ કોરોનાનો રિપોર્ટ પણ કરાવ્યો હતો.
દરમિયાન સીટી સ્કેનમાં તેમને કોરોના હોવાનું સામે આવ્યું છે. હાલ સખત તાવ આવે છે. સાથે જ શ્વાસ લેવામાં પણ તકલીફ હોવાથી ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. સુ-પ્રસિધ્ધ રામ હોસ્પિટલનાં ડોકટરો તેમને સારવાર આપી રહયા છે. ડોક્ટર્સનાં કહેવા મુજબ તેમની સ્થીતી સ્ટેબલ છે. પરંતુ તેમને સંપૂર્ણ આરામની જરૂર હોઈ લાખો અનુયાયીઓને ગોંડલ ખાતે ધસારો નહિ કરવા વિનંતી કરવામાં આવી છે.